________________
૧૮૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૯-૧૩૦ ટીકા : __वन्दित्वा द्वितीयप्रणिपातदण्डकावसानवन्दनेन पुनरु त्थितेभ्यः प्रणिपातान्निषण्णोत्थानेन गुरुभ्यः= आचार्येभ्यः ततः = तदनन्तरं वन्दनं समं = देवाद्यभिमुखमेव दत्त्वा शिक्षको भणति, किमिति तदाहइच्छाकारेण प्रव्राजयत अस्मानिति गम्यते एवेति गाथार्थः ॥१२९॥ ___ इच्छाम इति भणित्वा विशुद्धवचसा उत्थातुम् (? उत्थाय) ऊर्ध्वस्थानेन आकृष्य मङ्गलकंपठित्वा पञ्चनमस्कारम् अर्पयति रजोहरणं जिनप्रज्ञप्तं गुरुर्लिङ्गमिति गाथार्थः ॥१३०॥ નોંધ :
ટીકામાં સ્થાન છે તેને સ્થાને સાથ હોય તેમ લાગે છે.
ટીકાર્ય :
દ્વિતીય પ્રણિપાતદંડકના અવસાનવાળા વંદન વડે જિનને વંદીને, પ્રણિપાતને કારણે નિષષ્ણ-ઉત્થાન વડે ફરી ઊઠેલા ગુરુને=આચાર્યને, સામે=દેવાદિની અભિમુખ જ, વંદન આપીને=કરીને, ત્યારપછી શિક્ષક કહે છે- શું? એથી તેને=શિક્ષકના કથનને, કહે છે- “ઇચ્છાથી અમને પ્રવજયા આપો.”મૂળગાથામાં રમાએ પ્રકારનો શબ્દ અધ્યાહાર જ છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
અમે ઈચ્છીએ છીએ એ પ્રમાણે કહીને ઊદ્ધસ્થાન વડે ઊઠીને વિશુદ્ધ વચનથી મંગલકને કહીને= પંચનમસ્કારને બોલીને, ગુરુજિન વડે પ્રજ્ઞપ્ત એવા રજોહરણરૂપ લિંગને અર્પે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા-૧૨૭ થી ૧૨૮ માં ચૈત્યવંદન કરવાની વિધિ બતાવી, તે વિધિ પ્રમાણે બીજું નમુસ્કુર્ણ દંડક છે અંતે જેણે એવા વંદન દ્વારા અર્થાત્ ચાર થયો અને બે નમુસ્કુર્ણ સૂત્ર બોલીને ચૈત્યવંદન કરવા દ્વારા, ભગવાનને વંદન કરીને ઊભા થયેલા ગુરુને, ભગવાનની સન્મુખ જ શિષ્ય વંદન કરે અને વંદન કરીને ગુરુને કહે કે “તમે ઇચ્છાપૂર્વક અને પ્રવ્રયા આપો.” ત્યારપછી ગુરુ “તને દીક્ષા આપવા અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે વિશુદ્ધ વચન કહીને ઊભા થાય અને નવકારમંત્ર બોલીને ભગવાને બતાવેલ લિંગરૂપ રજોહરણ શિષ્યને આપે. આ પ્રકારની રજોહરણદાનની ક્રિયા છે.
અહીં વિશુદ્ધવસ'નું તાત્પર્ય એ છે કે “અમે તને દીક્ષા આપવા ઇચ્છીએ છીએ”, એ પ્રકારનું વચન ગુરુ કોઇ મલિન આશયથી કે સ્વાર્થથી બોલતા નથી, પરંતુ શિષ્યનું કેવલ હિત કરવાના આશયથી બોલતા હોય છે. તેથી ગુરુનું રૂછીમો એ પ્રકારનું વચન વિશુદ્ધ આશયવાળું છે. ll૧૨૯/૧૩ ll અવતરણિકા :
लिङ्गदान एव विधिमाह - અવતરણિતાર્થ :
લિંગદાનમાં જ શિષ્યને રજોહરણ આપવાના વિષયમાં જ, વિધિને કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org