SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૨૮ થી ૧૩૦ (૩) વિપર્યસ્ત થયેલી રત્નમાળાની જેમ કોઇ સૂત્રમાં ત્ત્તયન્ શબ્દ હોવા છતાં વત્તયન્ બોલવું અને તેમાં રહેલ ‘વ’ કાર તે સૂત્રના જ અન્ય કોઇક પદમાંથી છૂટીને અહીં જોડાઇ ગયો હોય તો તે વ કાર વિપરીત રીતે આવિદ્ધ=જોડાયેલ, અક્ષરોનો દોષ કહેવાય, અને તે વ્યાવિદ્વદોષ છે. (૪) જે સૂત્રમાં જેટલા અક્ષરનું પદ હોય તેટલા અક્ષરથી ઓછા અક્ષર કરીને બોલવું, તે હીનાક્ષરદોષ છે. (૫) વળી જે સૂત્રમાં જેટલા અક્ષરનું પદ હોય તેટલા અક્ષરમાં અધિક અક્ષર ઉમેરીને બોલવું, તે અત્યક્ષરદોષ છે. ‘‘અત્યક્ષરાવિ’’ માં આવિ શબ્દથી અપ્રતિપૂર્ણાદિ સૂત્રના ઉચ્ચારણના દોષો ગ્રહણ કરવાના છે, અને કોઇ શબ્દોચ્ચાર કરતાં શબ્દ થોડો દબાઇને અધૂરો બોલવો અથવા તો દીર્ધ હોય તો હ્રસ્વ બોલવો, તે અપ્રતિપૂર્ણદોષ છે. આવા પ્રકારના ઉચ્ચારણના દોષોથી દીક્ષા વખતે વંદનની ક્રિયા કરવામાં આવે તો અસામાચારી થાય, અર્થાત્ તે ક્રિયા ઉચિતક્રિયારૂપ બનતી નથી. એ પ્રકારનો આગમનો અર્થ છે અર્થાત્ એ પ્રમાણે શાસ્રની આજ્ઞા છે. ૧૨૮।। અવતરણિકા : व्याख्यातं चैत्यवन्दनद्वारम्, अधुना रजोहरणद्वारं व्याचिख्यासुराह અવતરણિકાર્ય : ‘ચૈત્યવંદન’ દ્વારા વ્યાખ્યાન કરાયું, હવે ‘રજોહરણ’ દ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ગાથા : ૧૮૭ वंदिय पुणुट्ठिआणं गुरूण तो वंदणं समं दाउं । सेहो भाइ इच्छाकारेणं पव्वयावेह ॥ १२९ ॥ इच्छामो त्ति भणित्ता उट्ठेडं कड्डिऊण मंगलयं । अप्पेइ रओहरणं जिणपन्नत्तं गुरू लिंगं ॥ १३० ॥ અન્વયાર્થ : = વંયિ = (ભગવાનને) વંદન કરીને ક્રિયાનું પુણ્ યુરૂન વળી ઉત્થિત એવા ગુરુને સમં = સામે = ભગવાન વગરેની સન્મુખ જ, વળ વાર્ડ = વંદન આપીને તે = ત્યારપછી સેહ્ન = શિષ્ય જ્ઞાારેનું ઇચ્છાકારથી પદ્મયાવે7 = તમે પ્રવ્રજ્યા આપો, (એ પ્રમાણે) મારૂ = કહે છે. રૂામો = અમે ઇચ્છીએ છીએ, ત્તિ = એ પ્રમાણે ખિત્તા કહીને, દ્વેૐ = ઊઠીને મંગલયું ટ્ટુિ ળ = મંગલકને કહીને ગુરૂ = ગુરુ નિપન્નત્ત = જિનપ્રજ્ઞપ્ત = ભગવાન વડે પ્રરૂપાયેલ, રોહળ નિતં = રજોહરણરૂપ લિંગને અપ્પેરૂ = અર્પે છે. – ગાથાર્થ : Jain Education International ભગવાનને વંદન કરીને વળી ઊભા થયેલા ગુરુને ભગવાન વગેરેની સન્મુખ જ વંદન કરીને ત્યારપછી શિષ્ય “ઇચ્છાપૂર્વક તમે પ્રવ્રજ્યા આપો” એમ કહે છે. “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહીને, ઊઠીને, પંચનમસ્કારસૂત્રને બોલીને ગુરુ ભગવાન વડે પ્રરૂપાયેલ રજોહરણરૂપ લિંગ શિષ્યને આપે છે. For Personal & Private Use Only = www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy