________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૨૪-૧૨૫
બનાવવાનું છે. તેથી ભગવાનની ભક્તિ કરતી વખતે ભગવાનના ગુણોમાં તેનું ચિત્ત ઉપયોગવાળું હોય તો સંયમને પ્રતિબંધક એવાં ક્લિષ્ટ કર્મોનો અપગમ થાય, જેથી ભાવથી સંયમની પ્રાપ્તિ સરળ બને.
વળી સંયમમાં યતમાન એવા સાધુઓની વસ્ત્ર-પાત્ર વહોરાવવા વગેરે દ્વારા દીક્ષાર્થી ઉપયોગપૂર્વક ભક્તિ કરે, જેથી સાધુઓ પ્રત્યે તેને બહુમાન થાય કે ‘‘ખરેખર આ મહાત્માઓનું સંયમજીવન સફળ છે, જેઓની પૂજા દ્વારા હું પણ તેમના જેવા જ ભાવસંયમને પ્રાપ્ત કરું.”
આ પ્રકારના ઉપયોગપૂર્વક સાધુઓની ભક્તિ કરવાથી સંયમગ્રહણ કરતી વખતે વીર્યનો પ્રકર્ષ થાય તો સંયમગ્રહણકાળમાં ભાવથી ગુણસ્થાનકની સ્પર્શના થાય છે. ૧૨૪॥
અવતરણિકા :
પૂર્વગાથાના અંતે કહ્યું કે ગુરુ, આગળમાં કહેવાશે એ દીક્ષાદાનની વિધિને કરે છે. તેથી તે વિધિ દર્શાવવા માટે પ્રથમ વિધિનાં દ્વારો બતાવે છે –
ગાથા :
૧૮૩
चिइवंदण रयहरणं अट्ठा सामाइयस्स उस्सग्गो । सामाइयतिगकड्डण पयाहिणं चेव तिक्खुत्तो ॥ १२५॥ दारं ॥
અન્વયાર્થ :
ષિવંવળ રયહાળું = ચૈત્યવંદન, રજોહરણ, અા = અષ્ટા, સામાયH Kળો = સામાયિકનો ઉત્સર્ગ, સામાયતિકૂળ = સામાયિકત્રિકનું કર્ષણ, તિવ્રુત્તો પયાદ્દિગં ચેવ = અને (શિષ્યને) ત્રણ વાર પ્રદક્ષિણા (કરાવે છે.)
ગાથાર્થ :
ચૈત્યવંદન કરે છે, રજોહરણ અર્પણ કરે છે, અષ્ટા ગ્રહણ કરે છે, સામાયિકનો કાયોત્સર્ગ કરે છે, ત્રણ વાર સામાયિકસૂત્ર બોલે છે અને શિષ્યને ત્રણ વાર પ્રદક્ષિણા કરાવે છે.
ટીકા :
चैत्यवन्दनं करोति, रजोहरणमर्पयति, अष्टा गृह्णाति, सामायिकस्योत्सर्ग इति कायोत्सर्गं च करोति, सामायिकत्रयाकर्षणमिति तित्रो वाराः सामायिकं पठति, प्रदक्षिणां चैव त्रिकृत्वः = तिस्रो वाराः शिष्यं कारयतीति ગાથાસમુવાવાર્થ: ॥૨॥
ટીકાર્ય :
Jain Education International
ચૈત્યવંદન કરે છે, રોહરણ અર્પે છે, અષ્ટા ગ્રહણ કરે છે=થોડા કેશનો લોચ કરે છે, અને સામાયિકનો ઉત્સર્ગ=કાયોત્સર્ગ કરે છે, ત્રણ વાર સામાયિકસૂત્ર બોલે છે, અને શિષ્યને ત્રણ વાર પ્રદક્ષિણા કરાવે છે. આ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે=સામાન્યથી અર્થ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org