________________
૧૮૨
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૨૪
અવતરણિકાર્ય :
ગાથા-૧૧૫માં બતાવેલ ‘વયં વા' દ્વારના ચોથા અવયવરૂપ સૂત્રદાન કહેવાયું=પ્રવ્રજ્યાભિમુખ જીવને સામાયિકાદિ સૂત્ર આપવાની વિધિ કહેવાઇ, હવે સૂત્ર આપ્યા પછી દીક્ષા લેવા માટેની શેષ વિધિને કહે છે
ગાથા :
तो अजाविहवं पूअं स करिज्ज वीयरागाणं । साहूण य उवउत्तो एअं च विहिं गुरू कुणइ ॥ १२४॥
અન્વયાર્થ :
તત્તો અ=અને ત્યારપછી વત્તો સ=ઉપયુક્ત એવો તે=દીક્ષા લેવાની ઇચ્છાવાળો, નાવિદ્વં=યથાવિભવ =વૈભવ પ્રમાણે, વીયાળાં સાકૂળ થ=વીતરાગની અને સાધુઓની પૂર્ણાં=પૂજાને રિઝ્ન=કરે, સં 7= અને આ=આગળમાં કહેવાનાર, વિદ્િ = વિધિને ગુરૂ = ગુરુ ુરૂ =કરે છે.
ગાથાર્થ :
અને ત્યારપછી ઉપયુક્ત એવો પ્રવ્રજ્યાની ઇચ્છાવાળો મુમુક્ષુ વૈભવને અનુરૂપ વીતરાગની અને સાધુઓની પૂજા કરે છે અને આગળ કહેવાશે એ વિધિ ગુરુ કરે છે.
ટીકા :
ततश्च तदुत्तरकालं यथाविभवं = यो यस्य विभवः विभवानुरूपमित्यर्थः, पूजां सः = प्रविव्रजिषुः कुर्यात् वीतरागाणां=जिनानां माल्यादिना, साधूनां वस्त्रादिना, उपयुक्तः सन्निति, एनं च वक्ष्यमाणलक्षणं विधिं गुरुः =आचार्यः करोति, सूत्रस्य त्रिकालगोचरत्वप्रदर्शनार्थं वर्त्तमाननिर्देश इति गाथार्थः ॥ १२४॥
ટીકાર્ય :
અને ત્યારપછી−તેનાથી ઉત્તરકાલને વિષે=સામાયિકાદિ સૂત્રના અધ્યયન પછી, ઉપયુક્ત છતો તે= પ્રવ્રજ્યાની ઇચ્છાવાળો, યથાવિભવ=જેનો જે વૈભવ હોય તે વૈભવને અનુરૂપ, માલ્યાદિ દ્વારા=પુષ્પાદિ દ્વારા, વીતરાગની=જિનની, અને વસ્ત્રાદિ દ્વારા સાધુઓની પૂજાને કરે, અને આ=કહેવાનાર લક્ષણવાળી, વિધિને ગુરુ=આચાર્ય, કરે છે. સૂત્રના ત્રિકાલગોચરત્વના પ્રદર્શન અર્થે ‘વતિ' એમ વર્તમાનનો નિર્દેશ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે આચાર્ય આ વિધિને ભૂતકાળમાં કરતા હતા, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં પણ કરશે; એ જણાવવા માટે વૃ ધાતુનું વર્તમાનકાળનું ક્રિયાપદ મૂકેલ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
Jain Education International
દીક્ષાર્થી સૂત્રનો અભ્યાસ કરી લે પછી તેને ગુરુ દીક્ષા આપે છે અને તેમાં પ્રથમ દીક્ષાર્થી પોતાના વૈભવને અનુરૂપ ભગવાનની અને સાધુઓની ભક્તિ કરે અને તે ભક્તિ પણ ઉપયોગપૂર્વક કરે છે; કેમ કે તેને સંયમગ્રહણ કરવું છે, તેથી ભગવાનના ગુણોથી અને સંયમી એવા મહાત્માના ગુણોથી દીક્ષાર્થીએ પોતાના ચિત્તને રંજિત
For Personal & Private Use Only
www.jainelibrary.org