________________
૧૬૨
અવતરણિકા :
उभययुक्तानां तु गुणमाह
અવતરણિકાર્ય :
ગાથા-૧૦૬માં ગ્રંથકારે દશવૈકાલિકસૂત્રના વચનથી, વ્યવહારનયની પ્રધાનતાથી સ્વજનાદિનો ત્યાગ કરનારને ત્યાગી કહ્યો અને ગાથા-૧૦૭માં સ્થાપન કર્યું કે ખરેખર સ્વજનાદિ હોતે છતે પણ પ્રતિબંધ દુષ્ટ છે. માટે સ્વજનાદિનો ત્યાગ કર્યા પછી પણ સ્વજનાદિનો પ્રતિબંધ ન તૂટે, તો તે બાહ્યત્યાગી ખરેખર ત્યાગી નથી.
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૮
હવે વળી, ઉભયથી યુક્ત જીવોના ગુણને=બાહ્યત્યાગથી અને અવિવેકના ત્યાગથી સંપન્ન એવા સાધુઓને થતા લાભને, કહે છે
ગાથા :
धण्णा य उभयजुत्ता धम्मपवित्तीइ हुंति अन्नेसिं ।
जं कारणमिह पायं केसिंचि कयं पसंगेणं ॥ १०८ ॥ केसिं ति दारं गयं ॥
અન્વયાર્થ :
૩મયનુત્તા યુ=અને ઉભયથી યુક્ત=બાહ્યત્યાગ અને અવિવેકના ત્યાગથી યુક્ત જીવો, થળા= ધન્ય છે, અં=જે કારણથી જ્ઞ =અહીં=સંસારમાં, સિષિ અનેસિ=કેટલાક અન્યોની ધમ્મપવિત્તીફ ધર્મપ્રવૃત્તિનું પાયં વ્હારi=પ્રાયઃ કારણ હુંતિ=થાય છે. પસંોળ યં=પ્રસંગ વડે સર્યું. સિં=‘કોને’ તિ=એ પ્રકારનું વારં = દ્વાર થયું ગયું = પૂરું થયું.
ગાથાર્થ :
=
Jain Education International
બાહ્યત્યાગ અને અવિવેકના ત્યાગથી યુક્ત જીવો ધન્ય છે, જે કારણથી સંસારમાં કેટલાક અન્યોની ધર્મપ્રવૃત્તિનું પ્રાયઃ કારણ થાય છે. પ્રસંગથી સર્યું.
ટીકા :
धन्याश्चोभययुक्ता=बाह्यत्यागाविवेकत्यागद्वयसम्पन्नाः, किमित्यत आह- धर्म्मप्रवृत्तेर्भवन्ति अन्येषां प्राणिनां यद्=यस्मात् कारणमिह प्रायेण केषाञ्चिदन्येषामिति कृतं प्रसङ्गेनेति गाथार्थः ॥ १०८ ॥
ટીકાર્ય :
અને ઉભયથી યુક્તો=બાહ્યત્યાગ અને અવિવેકનો ત્યાગ એ બંનેથી સંપન્ન જીવો, ધન્ય છે. કયા કારણથી ? એથી કહે છે- જે કારણથી અહીં=લોકમાં, પ્રાયઃ કરીને કેટલાક અન્યોની=અન્ય પ્રાણીઓની, ધર્મપ્રવૃત્તિનું કારણ થાય છે. પ્રસંગથી સર્યું. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org