SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૫-૧૦૬ સંવર-નિર્જરામાં જ યત્ન કરવા જેવો છે”, અને તેથી જે સંવરના ઉપાયભૂત સંયમમાં અને નિર્જરાના ઉપાયભૂત તપમાં યત્ન કરતા હોય, તેવા સાધુને અવિવેકના ત્યાગને કારણે પૂર્વપક્ષી દ્વારા ગાથા-૯૨માં કહેવાયેલા અગંભીરતા, મદ વગેરે દોષો નિયમથી થતા નથી. વળી, અવિવેકનો ત્યાગ ન કર્યો હોય તો, મહાવૈભવાદિનો ત્યાગ કર્યા પછી પણ સાધુને, સંયમજીવનમાં “મેં મહાવૈભવ છોડ્યો છે” એ પ્રકારનો મદ થઈ શકે છે. માટે સંયમજીવનમાં સ્વજનાદિના ત્યાગનું કાર્ય ગૌણ છે અને અવિવેકના ત્યાગનું કાર્ય પ્રધાન છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. સ્વજનાદિથી યુક્ત છે કે નહિ? એ કાર્ય થોડું છે” એ કથનનું તાત્પર્ય એ છે કે દીક્ષાનો અધિકારી સ્વજનાદિથી યુક્ત હોય કે સ્વજનાદિથી રહિત હોય તે કાર્ય સંયમના ગ્રહણમાં અલ્પ છે; કેમ કે તેનાથી કાંઈ સંયમમાં અધિકતા આવતી નથી, પરંતુ અવિવેકના ત્યાગથી સંયમમાં અધિકતા આવે છે. તેથી સંયમગ્રહણમાં અવિવેકના ત્યાગરૂપ કાર્ય અધિક છે. ટીકામાં શેષા: નો અર્થ ગબ્બરમવાય: કર્યો. ત્યાં શંકા થાય કે અગંભીરતાદિ દોષો કોની અપેક્ષાએ શેષ છે? તો તેનો આશય એ છે કે સંયમ ગ્રહણ કર્યા પછી અવિવેકનો ત્યાગ આવશ્યક છે, તેથી અવિવેકનો ત્યાગ થઈ જાય તો અવિવેકત્યાગથી શેષ એવા અગંભીરતાદિ દોષોનો પણ ત્યાગ થઈ જાય છે. આથી અવિવેત્યાગની અપેક્ષાએ અગંભીરતા, મદાદિ દોષો શેષ છે. ૧૦પા અવતરણિકા : यद्येवं तर्हि सूत्र उक्तम् "जे य कन्ते पिए" इत्यादौ यत् “से हुचाइ त्ति वुच्चति" त्ति तत्कथं नीयते? इति चेतसि निधायाह - અવતરણિતાર્થ : જો આમ છે=પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે બાહ્યત્યાગ અલ્પ છે અને સંયમજીવનમાં અવિવેકનો ત્યાગ મુખ્ય છે, તેથી સ્વજનાદિવાળા જીવો જ દીક્ષાના અધિકારી છે તેમ કહેવું ઉચિત નથી એમ છે, તો દશવૈકાલિકસૂત્રમાં જે ય ને પિણ ઈત્યાદિમાં “દુ રાષ્ટ્ર ત્તિ પુષ્યતિ" એ પ્રમાણે જે કહેવાયું છે, તે કેવી રીતે ઘટે? એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને કહે છેઅવતરણિકાનો ભાવાર્થ : દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે “જે સુંદર, પ્રિય એવા પ્રાપ્ત થયેલ પણ ભોગોને પીઠ કરે છે અને સ્વાધીન ભોગોને ત્યજે છે, તે જ “ત્યાગી’ એ પ્રમાણે કહેવાય છે,” તેથી તે સ્ત્ર પ્રમાણે પણ એ અર્થ પ્રાપ્ત થાય કે સ્વજનાદિથી યુક્ત વ્યક્તિ જ દીક્ષા લેવા માટે અધિકારી છે. આ પ્રકારની શંકાને ચિત્તમાં સ્થાપન કરીને તેનું ગ્રંથકાર સમાધાન કરે છે – ગાથા : सुत्तं पुण ववहारे साहीणे वा (?णत्ता) तवाइभावेणं । हू अविसद्दत्थम्मी अन्नोऽवि तओ हवइ चाई ॥१०६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy