________________
૧૫૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૩
ગાથાર્થ :
ચેત્ય, કુલ, ગણ, સંઘ અને આચાર્યના પ્રવચન અને શ્રુત; એ સર્વમાં પણ જે કર્તવ્ય છે તે, તપસંયમમાં ઉધમ કરતા સાધુ વડે કરાયેલું થાય છે.
ટીકા :
चैत्यकुलगणसङ्केषु = चैत्यानि = अर्हत्प्रतिमाः, कुलं-चान्द्रादि, परस्परसापेक्षानेककुलसमुदायो गणः, बालिका (?श्राविका ) पर्यन्तः सङ्घः, तथा आचार्याणां प्रसिद्धतत्त्वानां प्रवचनश्रुतयोश्च = प्रवचनम् अर्थः श्रुतं तु सूत्रमेव, एतेषु सर्वेष्वपि तेन = साधुना कृतं यत्कर्त्तव्यं, केन? इत्याह- तपःसंयमयोरु द्यच्छता = तपसि संयमे चोद्यमं कुर्वतेति गाथार्थः ॥ १०३ ॥ નોંધ :
ટીકામાં વનિપર્યન્તઃ છે તેને સ્થાને શ્રાવિવાપર્યન્તઃ હોવું જોઈએ. ટીકા :
ચૈત્ય, કુલ, ગણ, સંઘવિષયક અને તે રીતે પ્રસિદ્ધ તત્ત્વવાળો આચાર્યના પ્રવચન અને શ્રતવિષયક; આ સર્વેમાં પણ જે કર્તવ્ય છે કે, તેના વડે=સાધુ વડે, ક્યા સાધુ વડે? એથી કહે છે- તપમાં અને સંયમમાં ઉદ્યમને કરતા એવા સાધુ વડે, કરાયેલું થાય છે. ચૈત્યો=અહની પ્રતિમાઓ, ચાન્દ્ર આદિ કુલ છે, પરસ્પર અપેક્ષાવાળા અનેક કુલનો સમુદાય એ ગણ છે, શ્રાવિકાના પર્યતવાળો સંઘ છે, પ્રવચન=અર્થ,વળી શ્રુત સૂત્ર જ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથાના અંતે રહેલ “ઈતરથા'નો સંબંધ પ્રસ્તુત ગાથા સાથે છે. માટે અપવાદના કારણમાં લાભ દેખાય તો સાધુ જિનમંદિરવિષયક ઉચિત કૃત્યો કરે, અને તેનું કારણ ન હોય તો સાધુ હંમેશાં તપ-સંયમમાં ઉદ્યમ કરે છે.
અહીં “તપ” થી સ્વાધ્યાયાદિ ૧૨ પ્રકારના તપનું ગ્રહણ કરવાનું છે અને “સંયમ” થી સમિતિ-ગુપ્તિ ગ્રહણ કરવાની છે, જેના દ્વારા સાધુને સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
આ પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરનાર સાધુને ચૈત્યાદિ સર્વ વસ્તુઓમાં જે કર્તવ્ય છે તે કરાયેલું થાય છે, અર્થાત્ તપ-સંયમમાં ઉદ્યત સાધુ ચૈત્યાદિ સર્વ કૃત્યોનું ફળ પ્રાપ્ત કરે છે. વિશેષાર્થ :
સાધુ હંમેશાં સંવર અને નિર્જરા અર્થે ઉચિત કૃત્યો કરે છે. તેમાં પાપ કૃત્યોનો વિરામ કરવાથી સંવર પ્રાપ્ત થાય છે અને આત્મભાવમાં ગમનનો યત્ન કરવાથી પૂર્વે બાંધેલાં કર્મોનો નાશ થવારૂપ નિર્જરા પ્રાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org