________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૨-૧૦૩
૧૫૩
જેથી ત્યાગી સાધુની આવા પ્રકારની પ્રવૃત્તિ જોઇને સજ્જન લોકોને સહજ રીતે જિજ્ઞાસા થાય કે આ જિનાલય કોનું છે ? અને આ મહાત્મા કેમ આ જિનાલયને સાફ કરે છે ? અને તે સજ્જન લોકો આવીને તે જિનમંદિરવિષયક પૃચ્છા કરે તો યોગ્ય જીવોને જિનશાસન પ્રત્યે સદ્ભાવ થાય કે આ લોકોના ધર્મમાં કેવો વિવેક છે ! અને સદ્ભાવ થવાને કારણે તે જીવોને જિનશાસનની પ્રાપ્તિરૂપ લાભ થાય.
કે
આ પ્રકારે અન્ય જીવોને ધર્મની પ્રાપ્તિરૂપ થોડા ગુણનો સંભવ દેખાતો હોય, ત્યારે સાધુ શાસ્ત્રમાં કહેલી વિધિથી તે અર્ધપતિત જિનમંદિરની કરોળિયાનાં જાળાં, ધૂળ વગેરે દૂર કરવા દ્વારા સાફ-સૂફીનું કાર્ય કરે, તે સિવાય નહિ.
વિશેષાર્થ :
“સારા ચરિત્રવાળા લોકોથી આકુળ એવું મોટું સન્નિવેશ” એમ કહેવાનું તાત્પર્ય એ છે કે, જે નગરમાં જૈનો ન હોય તો પણ સ્વાભાવિક રીતે પોતપોતાની ધર્મપ્રવૃત્તિ કરનારા સારા લોકો હોય, કે જેઓને સાધુની જિનમંદિરની સાફ-સફાઈની પ્રવૃત્તિ જોઇને જિનાલય વિષે સહજ જિજ્ઞાસા થાય, કે આ ખંડેર એવું અર્ધપતિત જિનાલય કોનું છે ? અને ત્યાં સાફ-સૂફી કરતા મહાત્માને પૂછીને ભગવાનના સ્વરૂપને જાણે તો તેવા જીવને ધર્મપ્રાપ્તિ થવાની સંભાવના રહે. તેવા નગરમાં સાધુએ અપવાદથી લૂતાદિના અપનયનનું કાર્ય કરવાનું છે. અર્થાત્ સાધુ સામાન્યથી જેમ પોતાનાં વસ્ત્રો કોઇને આપે નહિ; છતાં બ્રાહ્મણના લાભને જોઇને પ્રભુ મહાવીરે પોતાનું અર્ધવસ્ત્ર આપેલ, તેમ અપવાદથી અન્ય જીવોના લાભને જોઇને સાધુ જિનાલયાદિમાંથી કરોળિયા આદિ દૂર કરે છે, તે સિવાય નહિ.
પરંતુ જો થોડા ગુણની પણ સંભાવના ન હોય તો આગળની ગાથામાં કહેવાશે તેમ સાધુ તપ-સંયમમાં ઉદ્યમ કરે છે,એમ પ્રસ્તુત ગાથાના અંતે રહેલ ‘ફતારથા' નું ગાથા-૧૦૩ સાથે જોડાણ છે. II૧૦૨
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે શ્રાવકાદિનો અભાવ હોય અને કોઈકને થોડા ગુણની સંભાવના હોય તો, સાધુ જિનમંદિરની સ્વચ્છતાનું કાર્ય પણ અપવાદથી કરે, પરંતુ જો થોડા ગુણની સંભાવના ન હોય તો સાધુએ શું કરવું જોઈએ ? જેથી ચૈત્યાદિની ભક્તિ પણ થાય ? તે બતાવતાં કહે છે
ગાથા :
चेइअकुलगणसंघे आयरिआणं च पवयणसुए अ । सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमंतेण ॥१०३॥
અન્વયાર્થ :
બ્રેડ્ઝનાળસંઘે આવીઞળ = પવવળસુણ ઞ સવ્વસુ વિ=ચૈત્ય, કુલ, ગણ, સંઘવિષયક અને આચાર્યના પ્રવચન અને શ્રુતવિષયક; સર્વમાં પણ તવસંગમ દ્મમંતેળ તેળ=તપ-સંયમને વિષે ઉદ્યમ કરતા એવા તેના વડે=સાધુ વડે, વં=(જે કર્તવ્ય છે તે) કરાયેલું થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org