________________
૧૫૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૨ આદિને સાફ કરે તેવા શ્રાવક વગેરેનો, અભાવ હોતે છતે નયUID=યતના વડે (સાધુ કરોળિયા આદિને દૂર કરીને જિનમંદિર સ્વચ્છ કરે.) રૂ=ઈતરથા=થોડા ગુણનો સંભવ ન હોય તો, સાધુ તપ-સંયમમાં યત્ન કરે, જે આગળની ગાથામાં કહેવાશે.) ગાથાર્થ :
માર્ગનો નાશ ન થાઓ, તે કારણથી પૂર્વમાં કરાયેલા જિનમંદિર આદિમાં થોડો.ગુણસંભવ હોતે જીતે અને કરોળિયા આદિને સાફ કરે તેવા શ્રાવક આદિનો અભાવ હોતે છતે, શાસ્ત્રમાં કહેવાયેલી યતના વડે સાધુ કરોળિયા વગેરેને દૂર કરીને જિનમંદિર સ્વચ્છ કરે; પરંતુ જો થોડો પણ ગુણસંભવ ન હોય તો, સાધુ તપ-સંચમમાં ચત્ન કરે, જે વાત આગળની ગાથામાં કહેવાશે. ટીકા :
अन्याभावे-श्रावकाद्यभावे, यतनया आगमोक्तया क्रियया, मार्गनाशः तीर्थनाशो मा भूदित्यर्थः, तेन कारणेन पूर्वकृतायतनादिषु महति सन्निवेशे सच्चरितलोकाकुले अर्धपतितायतनादिषु, ईषद्गुणसम्भवे च कस्यचित्प्रतिपत्त्यादिस्तोकगुणसम्भवे च सति एतदुक्तं, इतरथा अन्यथा ॥१०२॥
પ્રતિપારિ” માં માત્ર પદથી કોઇ જીવને સાધુની લૂતાદિ અપનયનની ક્રિયા જોઇને જૈનધર્મ પ્રત્યે સભાવ થાય, તો કોઈ જીવ જૈનધર્મની વિશેષ જિજ્ઞાસા થવાથી જેનશાસ્ત્રો ભણે, અને કોઈ જીવ તો સંયમ પણ ગ્રહણ કરે, એ સર્વ ગુણોનો સંગ્રહ કરવાનો છે.
• ટીકાર્ય
માર્ગનો નાશ=તીર્થનો નાશ, ન થાઓ, તે કારણથી પૂર્વે કરાયેલ આયતનાદિમાં અર્થાત્ સત્ ચરિત છે જેમનું એવા લોકોથી આકુલ=વ્યાપ્ત એવા મોટા સન્નિવેશમાં અર્ધ પડેલ એવા આયતનાદિમાં, અન્યનો અભાવ હોતે છતે=શ્રાવકાદિનો અભાવ હોતે છતે, અને ઈષદ્ ગુણનો સંભવ હોતે છતે =કોઈકની પ્રતિપત્તિ આદિ થોડા ગુણનો સંભવ હોતે છતે, યતના વડે આગમમાં કહેવાયેલી ક્રિયા વડે, આ=ક્વચિત્ સાધુને ભૂતાદિનું અપનયન, કહેવાયેલું છે. અન્યથા ઈષદ્ ગુણનો પણ સંભવ ન હોય તો, સાધુ તપ-સંયમમાં ઉદ્યમ કરે, એમ આગળની ગાથા સાથે સંબંધ છે. એ પ્રમાણે માથાનો અર્થ છે. ભાવાર્થ :
સામાન્ય રીતે સાધુ જિનમંદિરમાંથી કરોળિયાનાં જાળાં વગેરે દૂર કરવા દ્વારા જિનમંદિરની સાફસફાઈ કરે નહિ, કરાવે નહિ અને અનુમોદે પણ નહિ; તો પણ જ્યારે સારા આચારોવાળા પુરુષોથી યુક્ત એવા મોટા નગરમાં કોઈ શ્રાવક આદિની વસતિ નહીં હોવાથી ત્યાં રહેલ જિનમંદિરની સાર-સંભાળ થતી ન હોય, અને તેથી પૂર્વે કરાયેલું તે જિનમંદિર અર્ધપતિત થઈ ગયું હોય ત્યારે, તે અર્ધપતિત જિનમંદિરને સાફ-સૂફી કરવા દ્વારા વ્યવસ્થિત કરતા જોઇને, ત્યાં રહેલા કોઈ સારા લોકોને જિનશાસનની પ્રાપ્તિ વગેરે થવાની સંભાવના દેખાય, તો શાસ્ત્રમાં કહેલી યતનાપૂર્વક તે અર્ધપતિત જિનાલયને સાધુ સ્વયં સાફ કરે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org