SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૧-૧૦૨ ૧૫૧ સાધુઓ ગૃહસ્થોને જિનપૂજા આદિ કૃત્યનો ઉપદેશ આપે છે, તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા કૂવાના દષ્ટાંતથી ગૃહસ્થ માટે યોગ્ય જ છે, અને “ગૃહસ્થો જિનમંદિરનિર્માણાદિ કાર્ય કરે” તેવા અભિલાષવાળા સાધુઓ હોતા નથી, પરંતુ મધ્યસ્થબુદ્ધિવાળા તથા નિરારંભી માનસવાળા હોય છે, અને પોતાની ઉચિત ભૂમિકાને અનુરૂપ સર્વથા નિરવદ્ય પ્રવૃત્તિઓ કરવાની પ્રકૃતિવાળા હોય છે, આથી સાધુઓ ગૃહસ્થોનો ઉપકાર થાય તે રીતે શાસ્ત્રના અર્થોનું કથન કરે છે. તેથી ગૃહસ્થો જે દ્રવ્યસ્તવ કરે છે તેમાં થતા આરંભમાં સાધુઓને અનુમતિ દોષ લાગતો નથી. વળી, જિનમંદિરનિર્માણાદિની પ્રવૃત્તિ આરંભરૂપ હોવા છતાં ગૃહસ્થની ભૂમિકાને અનુરૂપ હોવાથી ગૃહસ્થો માટે તો નિર્જરાનું કારણ છે. તેથી ગચ્છમાં રહેનારા એવા સાપેક્ષ મુનિઓ શ્રાવકોના ઉપકારને સામે રાખીને જિનમંદિરનિર્માણાદિનો ઉપદેશ આપે છે, પરંતુ પોતે “આ લોકો જિનમંદિરનિર્માણાદિની પ્રવૃત્તિ કરે” તેવી ઇચ્છાવાળા હોતા નથી. ફક્ત ગૃહસ્થો પોતાની ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન કરીને આત્મહિત સાધે, તેવા પરિણામવાળા હોવાથી જિનમંદિરનિર્માણ આદિ વિષયક ગૃહસ્થોના આરંભ-પરિગ્રહમાં સાધુઓને અનુમતિરૂપ દોષ થતો નથી. ૧૦૧ અવતરણિકા : तथा चाह અવતરણિકાર્ય : અને તે રીતે કહે છેઅવતરણિકાનો ભાવાર્થ : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ બે પ્રશ્નો કરેલાં. તેમાંથી સાધુને જિનમંદિરનિર્માણાદિની પ્રવૃત્તિ આરંભપરિગ્રહરૂપ હોય તો શ્રાવકોને જિનમંદિરનિર્માણાદિના ઉપદેશમાં આરંભ કેમ અનુમત છે? એ પ્રકારના પ્રથમ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારે પૂર્વગાથામાં આપ્યો. હવે જિનમંદિરનિર્માણાદિની ક્રિયા સાવદ્ય હોય તો સાધુ ક્યારેક દેરાસરમાં કરોળિયાનાં જાળાં વગેરેને દૂર કરવાની ક્રિયા કેમ કરે છે? અર્થાત્ તે ક્રિયા પણ સાવદ્ય હોવાથી સાધુએ કરવી જોઈએ નહીં; છતાં તે ક્રિયા તો શાસસંમત છે, આથી જેમ કરોળિયાનાં જાળાં વગેરેને દૂર કરવાની ક્રિયા શાસકંમત હોવાથી આરંભરૂપ નથી, તેમ જિનમંદિરનિર્માણાદિની ક્રિયા પણ આરંભરૂપ નથી, એ પ્રકારના પૂર્વપક્ષીના બીજા પ્રશ્નને સામે રાખીને તેના સમાધાન રૂપે ગ્રંથકાર તથા રા' થી સમુચ્ચય કરતાં કહે છેગાથા : अण्णाभावे जयणाएं मग्गणासो हविज्ज मा तेणं । पुवकयायणाइसु ईसिं गुणसंभवे इहरा ॥ १०२॥ અન્વયાર્થ : BHUTણો =માર્ગનાશ માં વિજ્ઞ=ન થાઓ, તેvieતે કારણથી પુષ્યdયાયUફિયુ=પૂર્વમાં કરાયેલા આયતનાદિમાં ફf=ઇષદ્ ગુ માવેeગુણનો સંભવ હોતે છતે(અને) મUOTમાવે=અન્યનો=કરોળિયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy