________________
૧૫૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૧
ટીકાર્ય
યવં મારમઃ જો આમ છે=દેવાદિના વ્યપદેશથી સાધુ ધન રાખે કે જિનમંદિરનું નિર્માણ વગેરે કાર્ય કરાવે તે આરંભ-પરિગ્રહરૂપ છે, તો આ=આરંભ, ક્યા કારણથી અનુમત છે?
ત્યાદીત ક્યાં? એથી કહે છે- ઉપદેશાદિમાં=શ્રાવકોના ઉપદેશમાં અને માટે શબ્દથી ક્યારેક આત્મા વડે પણ આયતનમાં ભૂતાદિના અપનયનમાં અર્થાત્ સાધુ પોતે પણ જિનમંદિરમાંથી કરોળિયા વગેરે દૂર કરે છે, તેમાં ક્યા કારણથી આરંભ અનુમત છે? એમ અન્વય છે. ‘તિ' પૂર્વપક્ષીના પ્રશ્નની સમાપ્તિ અર્થે છે.
શ્નોત્તરમાદ– અહીં=પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે
શ્નપજ્ઞાન ... વો વિ કૂપના જ્ઞાત વડે= પ્રવચનમાં પ્રસિદ્ધ એવા કૂવાના ઉદાહરણ વડે, જિનમંદિરનિર્માણાદિ કાર્ય ગૃહવાળાને યોગ્ય જ છે=શ્રાવકને યોગ્ય જ છે.
રૂતિ મધ્યસ્થ શાસ્ત્રાર્થનાથને નાનુમતિ એથી મધ્યસ્થ એવા સાધુને જિનમંદિરનિર્માણાદિ વિષયક શાસ્ત્રાર્થના કથનમાં અનુમતિ દોષ નથી.
થતુ નાનુમતિઃ વળી સાપેક્ષ યતિને = ગચ્છમાં વસનારા પ્રવ્રુજિતને, સત્ત્વના અર્ધ ગુણને= જીવના યોગ્ય ગુણને, આશ્રયીને પરના અર્થે = પર એવા ગૃહસ્થોના ઉપકાર માટે, ઉપદેશાદિની પ્રવૃત્તિ હોવાથી અનુમતિ નથી; કેમ કે નિરીહનું યતનાપૂર્વક વિહિતઅનુષ્ઠાનપણું છે. અર્થાત્ શ્રાવકો જિનમંદિર નિર્માણાદિ કાર્ય કરે તેવી ઈચ્છા વગરના સાધુની શાસ્ત્રોક્ત મર્યાદાપૂર્વકની જિનમંદિરનિર્માણાદિનો ઉપદેશ આપવારૂપ પ્રવૃત્તિ ભગવાનના વચનથી વિધાન કરાયેલ અનુષ્ઠાન સ્વરૂપ છે.
રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
શાસ્ત્રમાં સાધુને શ્રાવકના આચારરૂપે જિનમંદિરનિર્માણ આદિનો ઉપદેશ આપવાનું કથન છે, અને જિનમંદિરનિર્માણાદિની ક્રિયા જો આરંભરૂપ હોય, તો તેવી આરંભવાળી ક્રિયાનો સાધુથી ઉપદેશ પણ કેવી રીતે અપાય? અને જો ઉપદેશ અપાતો હોય તો સાધુ આરંભની અનુમોદના કરે છે, તેમ માનવું પડે. અને જો તે ઉપદેશની ક્રિયા આરંભના અનુમોદનરૂપ ન હોય તો, જિનમંદિરનિર્માણાદિ માટે સાધુ પરિગ્રહ રાખે કે રખાવે, તે પણ નિરારંભરૂપ માનવો પડે. એ પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે.
વળી, ક્યારેક અપવાદથી સાધુઓને દેરાસરમાં યતનાપૂર્વક કરોળિયાનાં જાળાં વગેરે સાફ કરવાનું શાસ્ત્રમાં કહેલ છે, તે ક્રિયા પણ આરંભરૂપ હોવા છતાં જેમ તે આરંભની ક્રિયાને શાસ્ત્રકારો સાવદ્ય સ્વીકારતા નથી, તેમ સાધુ જિનમંદિરનિર્માણાદિ માટે ધન રાખે અને જિનમંદિરનું નિર્માણ વગેરે કાર્યો કરાવે, તે ક્રિયા પણ આરંભ-પરિગ્રહરૂપ સ્વીકારવી જોઇએ નહીં, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકાર ઉત્તર આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org