SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રવજ્યાવિધાનવસ્તક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૦-૯૮ ભાવાર્થ : સાક્ષાત્ અનુભવના બળથી બાહ્યત્યાગમાત્રથી પ્રવ્રજયા અફળ છે, તે બતાવતાં ગ્રંથકાર કહે છે કે કેટલાક જીવો અંતરંગ રીતે અવિવેકના ત્યાગ વગર બાહ્ય સંપત્તિ આદિનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે; તેથી અંતરંગ રીતે અવિવેક હોવાને કારણે તેઓ સંયમ ગ્રહણ કર્યા પછી ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરતા નથી અને પોતાના મનથી પ્રવૃત્તિ કરે છે, જે આરંભાદિરૂપ છે. આ રીતે તેઓનું જીવિત આ લોકની અપેક્ષાએ કષ્ટ વેઠવારૂપ નિરર્થક ફળવાળું છે અને પરલોકની અપેક્ષાએ પણ અસંયમના પાપને કારણે દુર્ગતિના ફળવાળું છે. || ૯૭ || અવતરણિકા : તથા ચં અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક જીવો બાહ્યત્યાગ કરીને અવિવેકને કારણે તેવા પ્રકારના આરંભાદિ કરવારૂપ અસાર પ્રવૃત્તિથી પોતાનું જીવિત અફળ કરે છે. તે બતાવવા માટે તથા ત્ર' થી અન્ય કથનનો સમુચ્ચય કરે છે ગાથા : चइऊण घरवासं आरंभपरिग्गहेसु वदि॒ति । जं सन्नाभेएणं एअं अविवेगसामत्थं ॥ ९८॥ અન્વયાર્થ : નં=જે કારણથી પર વારંeગૃહવાસને વફreત્યજીને સન્નામેui=સંજ્ઞાભેદથી પ્રારંમપરિહેતુ= આરંભ-પરિગ્રહમાં વÉતિ=વર્તે છે, g=આ=સંજ્ઞાભેદથી સાધુનું આરંભ-પરિગ્રહમાં વર્તન, વિસામā=અવિવેકનું સામર્થ્ય છે. ગાથાર્થ : જે કારણથી ગૃહવાસને ત્યજીને નામભેદથી આરંભ-પરિગ્રહમાં વર્તે છે, એ અવિવેકનું સામર્થ્ય છે. ટીકા : त्यक्त्वाऽपि गृहवासं प्रव्रज्याङ्गीकरणेनारम्भपरिग्रहयोः उक्तलक्षणयोः वर्तन्ते यत् = यस्मात् संज्ञा-भेदेन = देवाद्यर्थोऽयमित्येवं शब्दभेदेन, एतद् इत्थंभूतम् अविवेकसामर्थ्यम् = अज्ञानशक्तिरिति થાર્થ: ૧૮ ટીકાર્ય : જે કારણથી પ્રવ્રજયાના અંગીકરણ દ્વારા ગૃહવાસને ત્યજીને પણ સંજ્ઞાના ભેદથી=“આ દેવાદિનો અર્થ છે” એ પ્રકારના શબ્દના ભેદથી, કહેવાયેલ લક્ષણવાળા આરંભ અને પરિગ્રહમાં વર્તે છે, આવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy