SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૪-૫ અહીં અજ્ઞાનનો ત્યાગી એ છે કે જે જીવને સંસાર નિર્ગુણરૂપે ભાસતો હોય, અસાર લાગતો હોય અને મનુષ્યભવ પામીને આત્માની ગુણસંપત્તિ પ્રગટ કરવા જેવી લાગતી હોય અને બાહ્યત્યાગ કરીને ભગવાનના વચનાનુસારે શુદ્ધ સંયમજીવન જીવવા દ્વારા આત્મસાધના કરવાના અભિલાષવાળો હોય અને સમ્યક શ્રુતજ્ઞાન પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરતો હોય, એ જીવ અજ્ઞાનનો ત્યાગી છે. આથી રાજવી પણ સંયમ ગ્રહણ કરીને અજ્ઞાનભાવનો ત્યાગ ન કરે તો તે ત્યાગી નથી, અને અજ્ઞાનભાવનો ત્યાગ કરનાર . દ્રમક પણ ત્યાગી છે. વળી, અવિવેકના પરિત્યાગથી ત્યાગી નિશ્ચયનયને અભિપ્રેત છે, એ કથનનું તાત્પર્ય એ છે કે નિશ્ચયનય પરિણામને જોનાર છે અને જીવનો મોક્ષ પરિણામથી થાય છે, તેથી મોક્ષને અનુકૂળ પરિણામ પેદા કરવા માટે કોણ અધિકારી છે? અને કોણ અનધિકારી છે? તેની વિચારણા કરતી વખતે પણ એ જોવું આવશ્યક છે કે જે સંયમને અનુકૂળ પરિણામ કરી શકે તેમ હોય તે અધિકારી છે, અને જે સંયમને અનુકૂળ પરિણામ ન કરી શકે તે અધિકારી નથી; અને અજ્ઞાનભાવનો પરિત્યાગ એ સંયમને અનુકૂળ પરિણામ છે, તેથી સ્વજનરહિત, સંપત્તિરહિત પણ જીવ જો અજ્ઞાનભાવનો પરિત્યાગ કરી શકે તો તે ત્યાગી છે, અને દીક્ષા લેવા માટે યોગ્ય છે; અને સ્વજન, સંપત્તિ વગેરેથી યુક્ત પણ જીવ જો અજ્ઞાનભાવનો ત્યાગ ન કરે અને બાહ્યત્યાગ કરે તો પણ વાસ્તવમાં તે ત્યાગી નથી અને દીક્ષા લેવા માટે યોગ્ય નથી. અજ્ઞાનનો પરિત્યાગ એટલે કેવલ શાસ્ત્ર ભણીને પંડિત થવું એ નહીં, પરંતુ સંસારના સ્વરૂપનું સમ્યજ્ઞાન કરીને, તે જ્ઞાનને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરવી, એ નિશ્ચયનયથી અજ્ઞાનનો પરિત્યાગ છે. માટે જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી ભગવાનની આજ્ઞાનુસાર શ્રુતજ્ઞાનને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેઓ નિશ્ચયનયથી ત્યાગી છે; જ્યારે વ્યવહારનયથી તો બાહ્યત્યાગ કરીને સંયમજીવનની ક્રિયા કરનારા જીવો ત્યાગી છે. II૯૪ો. અવતરણિકા : किमित्येतदेवमत आहઅવતરણિતાર્થ : અહીં કોઈ શંકા કરે કે આગજીવ સ્વજનાદિના ત્યાગથી ત્યાગી નથી પરંતુ અજ્ઞાનના પરિત્યાગથી ત્યાગી છે એ, આ પ્રમાણે ક્યા કારણથી છે? એથી કહે છે» ‘મિતિ' સ્માત્ અર્થમાં છે. ગાથા : संसारहेउभूओ पवत्तगो एस पावपक्खंमि । एअंमि अपरिचत्ते किं कीरइ बज्झचाएणं? ॥ ९५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy