________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૪
૧૩૯
અન્વયાર્થ :
યં પિ=આ પણ=પૂર્વપક્ષી દ્વારા ગાથા-૯૧ થી ૯૩ માં જે કહેવાયું એ પણ, ગુત્તર ન યુક્તિક્ષમ નથી. યુદ્ધવિહયેર =વળી મુગ્ધોના વિસ્મયને કરનારું વિગં=જાણવું; નં=જે કારણથી વિવેક પરિવીયા=અવિવેકના પરિત્યાગથી વા ત્યાગી નિચ્છનયસ નિશ્ચયનયને (અભિપ્રેત) છે. ગાથાર્થ :
ગાથા-૯૧ થી ૯૩ માં બતાવેલ પૂર્વપક્ષનું કથન પણ યુક્તિયુક્ત નથી. વળી મંદમતિવાળા જીવોના ચિત્તને હરનારું જાણવું જ કારણથી અવિવેકના પરિત્યાગથી ત્યાગી નિશ્ચયનયને અભિપ્રેત છે. ટીકા : ___एतदपि न युक्तिक्षमं विज्ञेयं न युक्तिसमर्थं ज्ञातव्यं यदुक्तं पूर्वपक्षवादिना, मुग्धविस्मयकरं तु-मन्दमतिचेतोहारि त्वेतत्, कथमित्याह-अविवेकपरित्यागाद्=भावतोऽज्ञानपरित्यागेन त्यागी यद्-यस्मात् निश्चयनयस्याभिप्रेत રૂતિ થાર્થ:૨૪ * “ ” માં ' થી એ કહેવું છે કે જે વાદીઓ એમ કહે છે કે સ્વજનાદિથી રહિત જીવ દીક્ષાનો અધિકારી છે એ તો યુક્તિયુક્ત નથી, પરંતુ જે વાદીઓ એમ કહે છે કે સ્વજનાદિથી યુક્ત જીવ દીક્ષાનો અધિકારી છે એ પણ યુક્તિયુક્ત નથી. ટીકાર્ય :
પૂર્વપક્ષના વાદી વડે જે કહેવાયું એ પણ, યુક્તિથી ક્ષમ ન જાણવું યુક્તિથી સમર્થ ન જાણવું. વળી આ =પૂર્વપક્ષનું કથન, મુગ્ધોના વિસ્મયને કરનારું છે=મંદમતિવાળાઓના ચિત્તને હરનારું છે; કઈ રીતે? એથી કરીને કહે છે-જે કારણથી અવિવેકના પરિત્યાગથીeભાવથી અજ્ઞાનના પરિત્યાગ વડે, ત્યાગી નિશ્ચયનયને અભિપ્રેત છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા-૯૧ થી ૯૩માં પૂર્વપક્ષે સ્થાપન કર્યું કે સ્વજનાદિથી યુક્ત જીવો દીક્ષાના અધિકારી છે. તેને ગ્રંથકાર કહે છે કે એ કથન યુક્તિયુક્ત તો નથી; પરંતુ મંદબુદ્ધિવાળા જીવોને વિસ્મય કરનારું છે, તે આ રીતે
જેઓ કંઈક વિચારક છે પરંતુ સૂક્ષ્મબુદ્ધિવાળા નથી, તેઓને એમ લાગે કે સંયમ એ ભોગસામગ્રીના ત્યાગવાળું જીવન છે, તેથી જેમણે સ્વજન, ધનાદિ છોડ્યાં છે તેઓને ત્યાગી કહી શકાય.
વળી, જેઓની પાસે કંઈ નથી અને માંગીને ખાનારા છે, તેવા જીવો ઉદારચિત્તવાળા હોતા નથી. માટે પણ સ્વજનાદિથી રહિત જીવો દીક્ષાને યોગ્ય નથી. આ સર્વ વાત સ્કૂલબુદ્ધિથી રમ્ય લાગે તેવી છે, પરંતુ દીક્ષા શબ્દનો પરમાર્થ જાણનારને અને દીક્ષા ગ્રહણ કરવા માટેના અધિકારી જીવોનો સમ્ય વિચાર કરનારને, આ સર્વ વાત યુક્તિરહિત જણાય; કેમ કે બાહ્યત્યાગ કરવામાત્રથી જીવ ત્યાગી નથી બની જતો, પરંતુ અજ્ઞાનના પરિત્યાગથી જીવ ત્યાગી બને છે. આથી વૈભવ અને સ્વજનાદિથી સંપન્ન જીવ બાહ્યત્યાગ કરતો હોય, તોપણ જો તેણે અજ્ઞાનનો ત્યાગ ન કર્યો હોય તો તે ત્યાગી નથી, અને સર્વથા વૈભવ અને પરિજનાદિથી રહિત પણ જીવે જો અજ્ઞાનનો ત્યાગ કર્યો હોય, તો તે ત્યાગી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org