SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રવજ્યોવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૦ ગાથાર્થ : પૂર્વપક્ષી કહે છે કે જલ,કાષ્ઠાદિગત જીવો તે રીતે મરણ પામવાના ધર્મવાળા જ સર્જાયા છે, એથી કરીને રવજનના ભરણથી થતી તેમની હિંસામાં દોષ નથી જ થતો. તેને ગ્રંથકાર કહે છે કે આ પ્રકારે સૃષ્ટિવાદપક્ષનો અંગીકાર કરાતે છતે રવજનના ત્યાગમાં ખરેખર દોષ કેવી રીતે હોય? અથતુ ન જ હોય. જે કારણથી આ સ્વજન તેવા પ્રકારે જ સર્જાયો છે કે જેના કારણે પાલક વડે ત્યજાય. ટીકા : एवंविधा एव तथामरणधर्माणः अथ ते जलकाष्ठादिगताः प्राणिनः सृष्टा इति न तत्र-स्वजनभरणार्थं तज्जिघांसने भवति दोषस्तु, अत्रोत्तरमाह-इति एवं सृष्टिवादपक्षेऽङ्गीक्रियमाणे तत्त्यागे स्वजनत्यागे ननु कथं दोषः? नैव दोष इति, यतोऽसौ स्वजनस्तथाविध एव सृष्टः येन त्यज्यत इति गाथार्थः ॥८७॥ ટીકાર્ય : - હવે પૂર્વપક્ષી કહે છે- તેઓ=જલ, કાષ્ઠાદિમાં રહેલાં પ્રાણીઓ, આવા પ્રકારના જ તે રીતે મરવાના ધર્મવાળા જ, સર્જાયા છે, એથી ત્યાં=સ્વજનના ભારણના અર્થે તેઓના જિઘાંસનમાં=જલ,કાષ્ઠાદિગત જીવોને હણવામાં, દોષ નથી જ થતો. અહીં આવા પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે- આ રીતે સૃષ્ટિવાદનો પક્ષ અંગીકરાને છતે તેના ત્યાગમાં=સ્વજનના ત્યાગમાં, ખરેખર કેવી રીતે દોષ છે? દોષ નથી જ, એ પ્રમાણે ગ્રંથકારનો અભિપ્રાય છે. જે કારણથી આ સ્વજન તે પ્રકારના જ સર્જાયો છે, જેથી પાલક વડે તે ત્યજાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સૃષ્ટિવાદપક્ષ માને છે કે જે વસ્તુ જે રીતે સર્જાઇ હોય તે વસ્તુ તે રીતે જ થાય અને જૈનદર્શન પણ જે નિયતિને માને છે તે સૃષ્ટિવાદપક્ષરૂપ છે, પરંતુ જૈનદર્શન નિયતિને એકાંતથી માનતું નથી. આથી જ્યારે જીવના રક્ષણ માટે સમ્યગ્યત્ન કરાયો હોય તો પણ કોઈ જીવની હિંસા થઈ જાય, ત્યારે કહી શકાય કે આ જીવની ભવિતવ્યતા એવી હતી કે જેથી સમ્યગ્યત્ન કરવા છતાં પણ તે મર્યો; જ્યારે પૂર્વપક્ષી તો સ્વપક્ષના સ્થાપન માટે અસ્થાને સૃષ્ટિવાદપક્ષનો આશ્રય કરે છે. તેથી ગ્રંથકાર તેનું નિરાકરણ કરે છે - પૂર્વપક્ષી કહે છે કે જલ, કાષ્ઠાદિમાં રહેલા જીવો તો મરવાનાં સ્વભાવવાળા જ સર્જાયા છે, આથી સ્વજનના રક્ષણ માટે કરાતા યત્નથી તે જીવોની હિંસા થાય છે, તેમાં પાલકને કોઈ દોષ નથી. તેને ગ્રંથકાર કહે છે કે જો આ રીતે તું સૃષ્ટિવાદનો સ્વીકાર કરે છે, તો સ્વજન પણ એ રીતે સર્જાયા છે કે જેથી પ્રવ્રયા લેનાર પાલક તેનો ત્યાગ કરે, તેથી સ્વજનના ત્યાગમાં પાલકનો શું દોષ છે? અર્થાત્ તારી યુક્તિ પ્રમાણે કોઈ દોષ નથી. વસ્તુતઃ સ્વજનનું પાલન ઘણા આરંભથી યુક્ત હોવાને કારણે પાલક સ્વજનનો ત્યાગ કરે છે તે દોષરૂપ નથી; પરંતુ પૂર્વપક્ષીની યુક્તિ પ્રમાણે સૃષ્ટિવાદ સર્વત્ર સ્વીકારવામાં આવે તો જીવને કોઇપણ પ્રવૃત્તિ કરવામાં દોષ નથી, એમ સિદ્ધ થાય; કેમ કે કોઈ જીવ અન્ય કોઈ જીવનો ઘાત કરે તો એમ કહી શકાય કે જેનો ઘાત થયો તે જીવ તે રીતે જ સર્જાયેલો હતો કે જેથી આ વ્યક્તિ દ્વારા તે વિનાશ પામે, માટે ઘાતક જીવનો કોઈ દોષ નથી; અને તેમસ્વીકારીએ તો ધર્મ-અધર્મની વ્યવસ્થાનો લોપ થાય. II૮ણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy