SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૫-૮૬ ટીકાર્થ : અને કરેલ કર્મનું ફળ થતું નથી. ભાવાર્થ : ગ્રંથકારના ઉત્તરમાં પૂર્વપક્ષી કહે છે કે પાલક દીક્ષા લઈ લે તો સ્વજને બાંધેલ કર્મ ફળ નહીં આપે; કેમ કે સ્વજને તેવું જ કર્મ બાંધેલું છે કે દીક્ષા લેવાની ઇચ્છાવાળો પાલક તે સ્વજનનું પાલન કરે; અને તે પાલક જીવ પોતાની જવાબદારી છોડીને પ્રવ્રયા ગ્રહણ કરે તો સ્વજને કરેલ કર્મ ફળ આપી શકે નહીં, માટે સ્વજનના ત્યાગમાં દીક્ષા લેનારને મોટો દોષ છે. ટીકા : तन्नूनम् अवश्यम् अन्यः पालक इत्येतदुचितमेव तत्-कर्म कृतं तेन स्वजनेनेति गाथार्थः ॥८५॥ ટીકાર્ય તે કારણથી તે સ્વજનનો પાલક અવશ્ય અન્ય છે, એથી આને=અન્ય પાલક થાય એને, ઉચિત જ તે =કર્મ, તેના વડેઃસ્વજન વડે, કરાયું છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કર્મ પોતાનું ફળ અવશ્ય આપે છે, અને પાલક દીક્ષા લઈ લે તો તે પાલક દ્વારા તે સ્વજનનું પાલન થતું નથી એ વાત પૂર્વના કથનથી સિદ્ધ થઇ, તે કારણથી સ્વજન વડે તેવું કર્મ બંધાયું છે કે જેથી તેનો પાલક અવશ્ય બીજો થાય, તેમ માનવું ઉચિત છે. I૮પા અવતરણિકા : જિગ્ન - અવતરણિકાર્ય : સ્વજનના પાલનથી થતી હિંસાદિ કરતાં સ્વજનના ત્યાગમાં મોટો દોષ છે, તેમાં વિશેષહેતુ ગાથા૮માં પૂર્વપક્ષે બતાવ્યો અને ગ્રંથકારે તેનું પૂર્વગાથામાં નિરાકરણ કર્યું. હવે સ્વજનના ત્યાગ કરતાં સ્વજનના પાલનમાં ગુરુતર દોષ બતાવવા માટે ગ્રંથકાર ‘ગ્નિ' થી સમુચ્ચય કરતાં કહે છે - ગાથા : बहुपीडाए अ कहं थेवसुहं पंडिआणमिटुं ति ? । जलकट्ठाइगयाण य बहूण घाओ तदच्चाए ॥८६॥ અન્વયાર્થ : વહુપીડા =અને બહુની પીડામાં થવસુધં થોડાનું સુખ પંડિમાપ દં=પંડિતોને કેવી રીતે દં? =ઈષ્ટ હાય ? તન્ના =અને તેના=સ્વજનના, અત્યાગમાં નrgફયા=જલ, કાષ્ઠાદિગત વદૂT =બહુઓનો=ઘણા જીવોનો, વાવો ઘાત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy