________________
૧૨૬
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૮૪-૮૫ જવાબ આપે છે કે પરમાર્થદષ્ટિથી વિચારીએ તો સ્વજન પણ પર જ છે અને પંચેન્દ્રિય છે, કેમ કે કુટુંબ સાથેનો સંયોગ અનિત્ય છે. આથી આજના સ્વજન કાલે પરજન બની શકે છે, તે અપેક્ષાએ સ્વજન પણ પરજન જ છે.
વિશેષાર્થ :
સ્વજનના પાલનમાં જેમ એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ ત્રસ જીવોની હિંસા થાય છે, તેમ સ્વજનના પાલનમાં અનેક પંચેન્દ્રિય જીવોને પણ પીડા થાય છે, અર્થાત્ એકેન્દ્રિય આદિ જીવોનો પ્રાણનાશ, તેમ જ તેઓને અનેક પ્રકારનાં દુઃખ ઉત્પાદનરૂપ પીડા પણ થાય છે, અને પંચેન્દ્રિય જીવ પાસે કાર્ય કરાવવાથી તેને પણ પીડા થાય છે. જ્યારે સ્વજનના ત્યાગમાં પોતાના તરફથી સ્વજનોને સાક્ષાત્ કોઇ પીડા કરવામાં આવતી નથી, પરંતુ સ્વજનો પાલક ઉપર સ્નેહસંબંધ રાખીને બેઠેલા હોય છે, તેથી પાલક પ્રવ્રજ્યા ગ્રહણ કરે તો તેઓને પીડા થાય છે. પરંતુ સ્વજનના પાલનથી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોને તો સાક્ષાત્ પીડા થાય છે, અને કેટલાક જીવોનો તો પ્રાણનાશ પણ થાય છે. વળી પરમાર્થની દૃષ્ટિએ વિચારીએ તો કોઇ સ્વજન કે પરજન નથી; કેમ કે અનાદિકાળમાં, દરેક જીવોએ, બધા જીવો સાથે, ઘણી વખત સંબંધો બાંધ્યા છે; અને અત્યારે જે સ્વજન છે, તે સ્વજન અન્યભવમાં પરજનરૂપે બની જાય છે. માટે સ્વજનની પીડાના પરિહાર માટે અન્ય અનેક જીવોને પીડાનું અને પ્રાણવધાદિનું કારણ બને તેવી સ્વજનના પાલનની ક્રિયામાં સ્વજનના ત્યાગરૂપ ક્રિયા કરતાં ગુરુતર દોષ છે. એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
૧૮૪]
અવતરણિકા :
पक्षान्तरमाह
અવતરણિકાર્ય :
ગાથા-૮૩ માં ગ્રંથકારે બે વિકલ્પો પાડેલા કે સ્વજનનો ત્યાગ ગુરુતર છે કે પ્રાણવાદિ ? ત્યાં પૂર્વપક્ષીએ કહ્યું કે સ્વજનનો ત્યાગ એ ગુરુતર દોષ છે. તેથી પૂર્વપક્ષીને ફરી પ્રશ્ન કરીને ગ્રંથકારે ગાથા-૮૪ માં સ્થાપન કર્યું કે સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ સિદ્ધ થઇ શકે નહીં. તેથી હવે સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ બતાવવા માટે પૂર્વપક્ષનું ઉદ્દ્ભાવન કરીને ગ્રંથકાર અન્ય પક્ષને કહે છે –
ગાથા :
सिअ तेण कयं कम्मं एसो नो पालगो त्ति किं ण भवे ? | ता नूणमण्णपालगजोग्गं चिअ तं कयं तेण ॥ ८५ ॥
અન્વયાર્થ :
સિગ્ન=કદાચ (પૂર્વપક્ષી માને કે) સો=આ=દીક્ષા લેનાર, નો=અમારો પાલો=પાલક થાય, ત્ત= એ પ્રમાણે તેળ=તેના વડે=સ્વજન વડે, માં=કર્મ યં=કરાયું છે=બંધાયું છે, (એથી પાલકે દીક્ષા લેવી ઉચિત નથી, છતાં તે દીક્ષા લે તો ગુરુતર દોષ થાય; તેને ગ્રંથકાર કહે છે-) વ્ઝિ ન મવે?=શું નહીં થાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org