________________
૧૨૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૩-૮૪
ચરિ ગુરુતર: જો તેનો-સ્વજનનો, ત્યાગ ગુરુતર છે, એમ તું કહે છે. રૂત્રએથી અહીં = રવજનનો ત્યાગ ગુરુતર છે એ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર કહે છે
ત્ર ... મથાઈ: અહીં-તારા કથનમાં, વિશેષહેતુ શું છે? જે કારણથી આ જ=સ્વજનનો ત્યાગ જ, ગુરુતર છે, એમ તું કહે છે? એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા-૮૧-૮૨ માં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે જો તું એમ કહે કે સ્વજનના ત્યાગમાં સ્વજનને પીડા વગેરે થતી હોવાથી સ્વજન વગરનાએ દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, તો સ્વજનના પાલનમાં પ્રાણવધાદિ દોષો નથી? એ તારે વિચારવું જોઈએ.
આ રીતે સ્વજનના પાલનમાં પ્રાણવધાદિ દોષોની પૂર્વપક્ષીને આપત્તિ બતાવીને ગ્રંથકાર બીજું કહે છે કે સ્વજનના ત્યાગમાં અને પ્રાણવધાદિમાં, એમ બંનેમાં પાપ સ્વીકારીએ તો, કાં સ્વજનનો ત્યાગ મોટો દોષ થાય, કાં તો પ્રાણવધાદિ મોટો દોષ થાય, એ પ્રમાણે બે વિકલ્પો છે.
તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે કે સ્વજનનો ત્યાગ એ મોટો દોષ છે, માટે સ્વજન વગરનાએ દીક્ષા લેવી ઉચિત છે, તો ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે કે પ્રાણવધાદિ મોટો દોષ નથી અને સ્વજનનો ત્યાગ એ મોટો દોષ છે, એમાં વિશેષહેતુ શું છે? કે જેથી તું સ્વજનના ત્યાગને મોટો દોષ અને પ્રાણવધાદિને નાનો દોષ કહે છે. ll૮૩ અવતરણિકા :
પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહ્યું કે પ્રાણવધાદિ કરતાં સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ છે, ત્યાં ગ્રંથકારે તેને પૂછેલું કે તેમાં વિશેષ હેતુ શું છે? તેના જવાબરૂપે પ્રસ્તુત ગાથામાં પૂર્વપક્ષીએ આપેલ વિશેષહેતુ બતાવીને તેનું ગ્રંથકાર નિરાકરણ કરે છે -
ગાથા :
अह तस्सेव उ पीडा किं णो अण्णेसि पालणे तस्स ? ।
अह ते पराइ सोऽवि हु सतत्तचिंताइ एमेव ॥८४॥ અન્વયાર્થ :
=હવે આ પ્રમાણે તું માને છે.) તસેવ ૩ વા=વળી તેની જ=સ્વજનની જ, પીડા (એ વિશેષહેતુ છે.) તરૂ પાત્રને તેના=સ્વજનના, પાલનમાં મિસિ=શું અન્યોને ?= (પીડા) નથી ? =હવે(પૂર્વપક્ષી કહે છે...) તે પરાડુંeતેઓ સ્વજનના પાલનમાં જેઓની હિંસાદિ થાય છે તેઓ, પરાદિ છેઃપારકા વગેરે છે. (ગ્રંથકાર ઉત્તર આપે છે.) તત્તરતાડુિં=સ્વતત્ત્વની, ચિંતામાં= વિચારણામાં, સોવિ=આ પણ=સ્વજન પણ, અવ=એમ જ છે=પારકા વગેરે જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org