SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૬-૦૦ બતાવે છે. તે હલાદિ આ રીતે માનતા નથી = જાણતા નથી. કઈ રીતે જાણતા નથી? એથી કહે છે“ધાન્યના પ્રદાન દ્વારા અમે ધર્મમાં નિરત એવા આમના = ગૃહસ્થોના, ઉપકારને કરીએ છીએ,” એ પ્રમાણે માનતા નથી. અને જે કારણથી આમ છે, તે કારણથી તેઓનું = હળાદિનું, પ્રાધાન્ય કેવી રીતે થાય? અર્થાતુ પ્રાધાન્ય ન જ થાય; કેમ કે હળાદિમાં તે પ્રકારના = ગૃહસ્થો કરી શકે છે તે પ્રકારના, મનનનો અભાવ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે જવાબ આપ્યો કે સંયતોને અન્ન વગેરે આપતા હોવાથી સંયતો કરતાં ગૃહસ્થો વધારે પ્રશંસનીય છે, તેમ માનીએ તો, ગૃહસ્થોને જિવાડનાર હળ, ખેડૂત, પૃથ્વી, પાણી છે, માટે ગૃહસ્થો કરતાં વધારે પ્રશંસનીય તે હલાદિ થશે. ત્યાં ગ્રંથકાર વાદીને કહે છે કે તું કદાચ અહીં એમ કહે કે હળ, ખેડૂત વગેરે એમ જાણતા નથી કે “ધર્મનિરત એવા ગૃહસ્થોનો અમે ઉપકાર કરીએ છીએ, તેથી ગૃહસ્થો કરતાં હળ, ખેડૂત આદિ કેવી રીતે પ્રધાન બને? અર્થાત્ ન જ બને. II૭૬ll અવતરણિકા : अत्रोत्तरमाह - અવતરણિતાર્થ : અહીં પૂર્વગાથામાં ગ્રંથકારે ઉભાવન કરેલી પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે ગાથા : ते चेव तेहिं अहिआ किरियाए मंनिएण किं इत्थ? । णाणाइविरहिआ अह इअ तेसिं होइ पाहण्णं ॥७७ ॥ અન્વયાર્થ : શિરિયા=ક્રિયા વડે તે વેવ=તેઓ જ=હળાદિ જ, તેë મહિeતેઓથીeગૃહસ્થોથી, અધિક છે. સ્થ=અહીં=સાધુઓ કરતાં ગૃહસ્થોને ગ્લાધ્યતર કહીએ તો ગૃહસ્થો કરતાં હળાદિને ગ્લાધ્યતર કહેવાની આવેલી આપત્તિમાં, મંUિT ર્વિ=મુનિત વડે શું?=મનન કરે છે એ પ્રકારના દૃષ્ટાંત વડે શું? =હવે (હળાદિ) ITIવિરદિ=જ્ઞાનાદિથી વિરહિત છે, (એમ તું માને તો) =એ રીતે તે તેઓનું= જ્ઞાનાદિનું, પહor ટોફુ=પ્રધાનપણું થાય છે. ગાથાર્થ : ક્રિયા વડે હળાદિ જ ગૃહસ્થોથી અધિક છે, તેથી સાધુઓ કરતાં દાન આપનાર ગૃહસ્થોને ગ્લાધ્યતર કહીએ તો ગૃહસ્થો કરતાં હળાદિને ગ્લાધ્યતર કહેવાની આવેલી આપત્તિમાં પૂર્વપક્ષીએ કહેલ કે “હળાદિ મનન કરતાં નથી માટે તેઓને પ્રાધાન્ય નથી' એ પ્રકારના દષ્ટાંત વડે શું? અથતિ એવું દષ્ટાંત નિરર્થક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy