SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૩-૦૪ જોડવામાં આવે તો દીક્ષા તેના લેનારના હિતનું કારણ બને. પરંતુ દીક્ષા માત્ર મુક્તભોગીને અપાય, અથવા દીક્ષા બાલને આપવામાં વિશેષ લાભ છે, તેવો કોઈપણ પ્રકારનો એકાંત ગ્રહણ કરવામાં આવે તો તે દીક્ષા દોષરૂપ પણ બની શકે છે. / ૭૩ ગાથા : अण्णे गिहासमं चिय बिंति पहाणं ति मंदबुद्धीया । जं उवजीवंति तयं नियमा सव्वेऽवि आसमिणो ॥७४॥ અન્વચાર્યું ; મંદબુદ્ધીયા =મંદબુદ્ધિવાળા અન્યો ઉપહાસ રિય=ગૃહાશ્રમ જ પહાઈ=પ્રધાન છે, તિ=એ પ્રમાણે, વિતિ કહે છે; વં=જે કારણથી સળેવ મામ=સર્વ પણ આશ્રમીઓ=સાધુઓ, નિયમ= નિયમથી તયં ૩વનીવંતિeતેના ઉપર જીવે છે=ગૃહસ્થ ઉપર જીવે છે. ગાથાર્થ : મંદબુદ્ધિવાળા અન્ય વાદીઓ ગૃહાશ્રમ જ પ્રધાન છે, એ પ્રમાણે કહે છે, જે કારણથી સર્વ પણ. લિંગીઓ નિયમથી ગૃહસ્થની ઉપર જીવે છે. ટીકા : ___ अन्ये वादिनो गृहाश्रममेव-गृहस्थत्वमेव, ब्रुवते प्रधानमिति-अभिदधति श्लाघ्यतरमिति, मन्दबुद्धयः = अल्पमतय इति, उपपत्तिं चाभिदधति, यद्-यस्मात् उपजीवन्ति तकं = गृहस्थं अन्नलाभादिना नियमात् =नियमेन सर्वेऽप्याश्रमिणो लिङ्गिन इति गाथार्थः ॥७४॥ ટીકાર્ય : મંદબુદ્ધિવાળા=અલ્પમતિવાળા, અન્ય વાદીઓ ગૃહાશ્રમ જ=ગૃહસ્થપણું જ, પ્રધાન છે એ પ્રમાણે બોલે છેeગ્લાધ્યતર છે એ પ્રમાણે કહે છે, અને ઉપપત્તિને કહે છેઃયુક્તિ આપે છે જે કારણથી સર્વ પણ આશ્રમવાળાઓ=લિંગીઓ, અન્નનો લાભ વગેરે દ્વારા નિયમથી–નિયમ વડે, તેના ઉપર જીવે છે=ગૃહસ્થ ઉપર જીવે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી મંદબુદ્ધિવાળા એવા અન્ય વાદીઓ કહે છે કે સંયમજીવન કરતાં ગૃહસ્થજીવન વધારે પ્રશંસાપાત્ર છે; કેમ કે ગૃહસ્થો પાસેથી જ સંયમીઓને અન્ન વગેરે પ્રાપ્ત થાય છે. તેથી સર્વ પણ સાધુઓ ગૃહસ્થો ઉપર જીવે છે, માટે સંયમજીવન કરતાં ગૃહાશ્રમ વધારે શ્રેષ્ઠ છે. I૭૪ અવતરણિકા : अत्रोत्तरमाह Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy