________________
પ્રવજ્યાવિધાનવજુક | ‘કેભ્યઃ હાર | ગાથા ૦૦-૦૧
૧૦૦
ટીકા :
मोक्षश्च तत्फलमेव-धर्मफलमेव ज्ञेयः परमार्थतः, यतश्चैवमतः तदर्थमपि मोक्षार्थमपि धर्म एव कर्त्तव्यः जिनभणितः चारित्रधर्म: अप्रमत्तेनेति गाथार्थः ॥ ७० ॥ કે “તથ€ fપ” માં ‘મણિ' થી એ કહેવું છે કે મોક્ષ ન મળે ત્યાં સુધી સતિની પરંપરા અર્થે તો ધર્મ કર્તવ્ય છે જ, પરંતુ તેના અર્થે પણ = મોક્ષના અર્થે પણ, જિનભણિત ધર્મ જ કર્તવ્ય છે. ' ટીકાર્ય
અને પરમાર્થથી મોક્ષ તેના ફળરૂપ જ = ધર્મના ફળરૂપ જ, જાણવો; અને જે કારણથી આમ છે એ કારણથી તેના અર્થે પણ = મોક્ષના અર્થે પણ, અપ્રમત્તે જિન વડે કહેવાયેલો ધર્મ જ = ચારિત્રધર્મ જ, કરવો જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
“મોક્ષ પણ પરમાર્થથી ધર્મનું જ ફળ છે,” એમ કહેવા દ્વારા ગ્રંથકારને એ જણાવવું છે કે, જયાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અપ્રમાદભાવથી લેવાયેલા ધર્મનું ફળ અભ્યદય હોવા છતાં તે અભ્યદયરૂપ ફળ આનુષંગિક છે, પરંતુ મુખ્ય ફળ તો મોક્ષ જ છે. આથી સંયમ ગ્રહણ કર્યા પછી આ ભવમાં પૂર્ણકક્ષાનો ધર્મ પ્રગટ ન થાય તો, પરભવમાં ઉત્તમ જન્મ અને અર્થ-કામાદિ ભોગસામગ્રી પ્રાપ્ત કરાવીને તે ધર્મ દરેક ભવમાં વિશેષ-વિશેષતા સેવીને મોક્ષરૂપ ફલમાં પર્યવસાન પામે છે. માટે મોક્ષના અર્થે પણ અપ્રમાદભાવથી ધર્મ જ કરવો જોઇએ. એ ૭0ો.
અવતરણિકા :
अन्यदप्युच्चार्य तिरस्कुर्वन्नाहઅવતરકિર્થ :
ગાથા-પ૫ માં પૂર્વપક્ષીએ કહેલ કે ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારેય પુરુષાર્થો નિજ-નિજ કાળમાં સેવવા જોઈએ. તે કથન દ્વારા અન્યનું પણ=ગાથા-પ૬ માં પૂર્વપલે કહેલ કે અભુક્તભોગીને કૌતુક, કામસેવનની ઇચ્છા, સ્ત્રી પાસે ભોગની પ્રાર્થના આદિ દોષોની સંભાવના છે, અને અતીતવયવાળાને તે દોષો થતા નથી, એ કથનનું પણ, ઉચ્ચારણ કરીને, તિરસ્કાર કરતાં-નિરાકરણ કરતાં, ગ્રંથકાર કહે છે* “ જિમાં “પિ' થી એ કહેવું છે કે ગાથા-૫૫માં કરેલ કથનનો તો ઉચ્ચાર કરીને ગાથા-૬૭ થી 90માં પરિહાર કર્યો જ, પરંતુ ગાથા-૫૬માં કરેલ અન્ય કથનનો પણ ઉચ્ચાર કરીને પ્રસ્તુત ગાથામાં પરિહાર કરતાં કહે છે.
ગાથા :
तहऽभुत्तभोगदोसा इच्चाइ जमुत्तमुत्तिमित्तमिदं । इयरेसिं उ दुट्ठयरा सइमाईया जओ दोसा ॥७१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org