________________
૧૦૬
પ્રવજ્યાવિધાનવસ્તક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૯-૦૦
ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું કે સંસાર અશુભ છે અને મહાપાપરૂપ છે, માટે સદા ધર્મ કરવો જોઇએ. તે વાતને દઢ કરવા માટે કહે છે કે જે કારણથી સ્થિતિથી વીજળીના ચમકારા જેવો ચંચળ મનુષ્યભવ છે, માટે અતીતવયમાં ધર્મ કરીશું એ પ્રમાણે વિચારવા જતાં કદાચ યુવાનીમાં જીવન પૂરું થઈ જાય, તો ધર્મની આરાધના વગર મનુષ્યભવ વ્યર્થ જાય.
વળી, જીવન ભોગવિલાસમાં પસાર થતું હોય તો મનુષ્યભવ ખરેખર સ્વરૂપથી પણ અસાર છે, તે રીતે પ્રિયજનનો સંગમ પણ ચંચળ અને અસાર છે. માટે મનુષ્યભવને પામીને અર્થ-કામમાં યત્ન કરવાનો ઉપદેશ આપવો અનુચિત છે, પરંતુ સદા ધર્મની આરાધનામાં યત્ન કરવાનો ઉપદેશ આપવો ઉચિત છે.
અવતરણિકા :
લિશ -
અવતરણિકાર્ય :
ગાથા-પ૫ માં પૂર્વપક્ષીએ કહેલ કે ધર્માદિ ચાર પુરુષાર્થોને નિજનિજકાળમાં સેવવા જોઇએ, માટે અતીતવયમાં દીક્ષા ગ્રહણ કરવી ઉચિત છે. તેનું નિરાકરણ કરતાં ગાથા-૬૭ થી ૬૯ માં ગ્રંથકારે કહ્યું કે અર્થ-કામ એ સંસારનું કારણ છે, અને સંસાર એ અશુભ અને મહાપાપરૂપ છે, જીવિત ચપળ અને અસાર છે, માટે અર્થ અને કામપુરુષાર્થ સેવવા જેવા નથી, પરંતુ સદા ધર્મ આરાધવો જોઈએ, એમ સિદ્ધ થયું.
અને એમ સિદ્ધ થવાથી એ ફલિત થયું કે સદા ધર્મ અને મોક્ષપુરુષાર્થ સેવવો જોઇએ, અને મોક્ષપુરુષાર્થ પણ ધર્મપુરુષાર્થનું ફળ છે, આથી મનુષ્યભવ પામીને કેવલ ધર્મપુરુષાર્થમાં યત્ન કરવો જોઈએ, તે દર્શાવવા ગ્રંથકાર શિશ્ચ' થી સમુચ્ચય કરીને કહે છે –
ગાથા :
मोक्खोऽवि तप्फलं चिअनेओ परमत्थओ तयत्थं पि। धम्मो च्चिअ कायव्वो जिणभणिओ अप्पमत्तेणं ॥७०॥
અન્વયાર્થ :
પરમQ=પરમાર્થથી મોવરોવિ=મોક્ષ પણ ત« =તેના=ધર્મના, ફળરૂપ જ નેગો= જાણવો, તલ્થ પિકતદર્થે પણ=મોક્ષ માટે પણ, અપ્રમત્તેv=અપ્રમત્તે નિગમો જિનભણિત= ભગવાન વડે કહેવાયેલો, થપ્પો બ્રિ=ધર્મ જ વ્યોઃકરવો જોઇએ.
ગાથાર્થ :
પરમાર્થથી મોક્ષ પણ ધર્મનું ફળ જ જાણવું. મોક્ષ માટે પણ અપ્રમત્ત એવા સાધુએ ભગવાન વડે કહેવાયેલ ધર્મ જ કરવો જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org