________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્ય દ્વાર | ગાથા ૨૦
૧૦૩
અન્વયાર્થ :
થસ્થામમોમા= ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂથ્વી=ઈત્યાદિ ગં=જે ઉત્ત=કહેવાયું, ૩ તુ=એ પણ તુચ્છે તુચ્છ છે, નં=જે કારણથી અસ્થામા=અર્થ અને કામ પયા=પ્રકૃતિથી સારવારVi= સંસારનું કારણ છે. * “ તુ” માં “તુ' મણિ અર્થમાં છે અને તે વિ' થી એ કહેવું છે કે અજ્ઞાતવિષયસંગવાળાને દીક્ષા આપવી અનુચિત છે એ પ્રકારનું પૂર્વપક્ષીએ ગાથા-૫૪માં કરેલ કથન તો અસાર છે, પરંતુ ઉચિતકાળે ધમદિ ચાર પુરુષાર્થનું સેવન કરવું જોઇએ, એ પણ ગાથા-પ૫ માં કરેલ કથન અસાર છે. ગાથાર્થ :
ધર્મ, અર્થ, કામ, મોક્ષ' ઇત્યાદિ જે ગાથા-પપમાં કહેવાયું, એ પણ તુચ્છ છે, જે કારણથી અર્થ અને કામ સ્વભાવથી સંસારનું કારણ છે.
ટીકા :
__धर्मार्थकाममोक्षा यदुक्तमित्यादि पूर्वपक्षवादिना, तुच्छमेतदपि असारमित्यर्थः, कुतः ? इत्याह-संसारकारणं यद्-यस्मात्प्रकृत्या स्वभावेन अर्थकामौ, ताभ्यां बन्धादिति गाथार्थः ॥६७॥ ટીકા :
ધર્મ, અર્થ, કામ, મોક્ષ” ઇત્યાદિ જે પૂર્વપક્ષવાદી વડે કહેવાયું, એ પણ તુચ્છ છે = અસાર છે. કયા કારણથી? એથી કહે છે
જે કારણથી અર્થ અને કામ પ્રકૃતિથી = સ્વભાવથી, સંસારનું કારણ છે; કેમ કે તે બેથી = અર્થ અને કામથી, બંધ = કર્મનો બંધ, થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વપક્ષીએ ગાથા-પ૫ માં સ્થાપન કરેલ કે ચારેય પુરુષાર્થ ઉચિતકાળે સેવવા જોઇએ, જેથી સુખે કરીને સંયમનું પાલન થાય, એ કથન અસાર છે; કેમ કે અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ સ્વભાવથી કર્મબંધનું કારણ છે. અર્થાત્ અર્થસેવનનો અને કામસેવનનો અધ્યવસાય કર્મબંધનું કારણ છે, તેથી “ઉચિતકાળે અર્થ-કામ સેવવા જોઇએ” તેમ કહેવું અનુચિત છે.
વસ્તુતઃ મનુષ્યભવ પામીને અનાદિ સંસારના કારણભૂત એવા સંસ્કારોના નાશ માટે ધર્મમાં યત્ન કરવો જોઇએ, જેથી અર્થ-કામના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થાય. કદાચ કોઈ જીવને અર્થ-કામના સંસ્કાર અતિ હેરાન કરતા હોય તો અર્થ-કામને ગૌણ કરીને અને ધર્મને પ્રધાન કરીને શ્રાવકજીવન જીવવાની વિધિ છે, જેથી ક્રમે કરીને સંપૂર્ણ અર્થ-કામના સંસ્કારો નાશ કરવાનું સર્વ પ્રગટ થાય ત્યારે સંયમમાં પ્રયત્ન થઈ શકે; પરંતુ જેઓ આઘભૂમિકામાં અર્થ-કામને છોડીને ધર્મમાં યત્ન કરી શકે તેવા છે તેઓને યુવાનકાળમાં અર્થ-કામનું સેવન કરવાનું કહેવું અત્યંત અનુચિત છે. ૬થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org