________________
૧૦૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૬-૬૭ તે ભવનો અભ્યાસ હોતો નથી, વળી અન્ય ભવનો અભ્યાસ થોડો વિપ્રકૃષ્ટ = મંદ હોય છે. એથી તેઓ = અજ્ઞાતવિષયસંગવાળા જીવો, સુંદરતર છે = શોભનાર છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જેમ જેમ કામનું આસેવન કરવામાં આવે, તેમ તેમ કામના સેવનકાળમાં અનુભવેલા આનંદના સંસ્કારો આત્મા ઉપર દઢ થાય છે. તેથી મોટાભાગના જીવોને ભોગોના અનુભવ પછી પુનઃ પુનઃ કામસેવનની મનોવૃત્તિ અધિક અધિક વૃદ્ધિ પામે છે.
વળી, જેમણે વિષયસુખનો અનુભવ કર્યો નથી, તેવા જીવોને તે ભવના કામના સંસ્કારો નહીં હોવાથી તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ થવાની શક્યતા ઓછી રહે છે; કેમ કે શરીરનો સંબંધ છૂટવાથી પૂર્વજન્મોના સંસ્કાર અતિ મંદ થઈ જાય છે, તેથી પૂર્વભવના સંસ્કારો બીજા ભવમાં વ્યક્ત મૃતિરૂપે રહેતા નથી. તેથી જેઓએ વિષયોનું સુખ અનુભવ્યું નથી, તેઓ દીક્ષા માટે વિશેષ રીતે યોગ્ય છે. વિશેષાર્થ :
આ કથન પણ અપેક્ષાવિશેષથી છે; કેમ કે કેટલાક જીવોને ભોગનો અનુભવ નહીં હોવાથી સંયમ સુલભ બન્યું છે, તે દષ્ટિથી આ કથન છે; જ્યારે કેટલાક જીવો એવા પણ હોય કે યૌવનમાં ભોગનો અનુભવ કર્યો હોવાથી તેમનું ચિત્ત વિષયોથી વિમુખ બની ગયું હોય, અને તેવા જીવોને આશ્રયીને ભુક્તભોગીને દીક્ષા આપવી ઉચિત ગણાય. આથી જેમ કોઈક જીવની અપેક્ષાએ ભુક્તભોગીને દીક્ષા આપવી ઉચિત છે, તેમ કોઈક જીવની અપેક્ષાએ અભુક્તભોગીને પણ દીક્ષા આપવી ઉચિત છે; માટે એકાંતે કોઈપણ વ્યાપ્તિ નથી, તે દર્શાવવા માટે પ્રસ્તુત ગાથા છે. llll અવતરણિકા :
परोपन्यस्तमुपपत्त्यन्तरमुच्चार्य परिहरन्नाहઅવતરણિતાર્થ :
ગાથા-૫૫ માં પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે ચાર પ્રકારના પુરુષાર્થને પોતપોતાના કાળે સેવવા જોઇએ, જેથી કામપુરુષાર્થના કારણભૂત કર્મનો ક્ષય થયેલો હોય તો સંયમ સુખે પળાય. તે રૂપ પરમતથી ઉપન્યસ્ત == રજૂ કરાયેલ, અતીતવયવાળાની દીક્ષાની યોગ્યતાની ઉપપત્તિઅંતરનું = અન્ય યુક્તિનું, ઉચ્ચારણ કરીને પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે
ગાથા :
धम्मत्थकाममोक्खा जमुत्तमिच्चाइ तुच्छमेअं तु । संसारकारणं जं पयईए अत्थकामाओ ॥६७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org