SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૫ ગાથાર્થ : વિજ્ઞાતવિષયસંગવાળા' ઇત્યાદિ જે ગાથા-૫૪માં કહેવાયું તે પણ ખરેખર અમારા પક્ષમાં પણ તુલ્ય છે જે કારણથી અજ્ઞાતવિષયસંગવાળા પણ કેટલાક વિજ્ઞાતવિષયસંગના ગુણવાળા હોય છે. ટીકા : विज्ञातविषयसङ्गा यदुक्तमित्यादि पूर्वपक्षवादिना, तदपि ननु तुल्यं मत्पक्षेऽपि, कथंमित्याह-अज्ञातविषयसङ्गा अपि तद्गुणाः = विज्ञातविषयसङ्गगुणा: केचन प्राणिनो यद्-यस्माद् भवन्तीति गाथार्थः ॥ ६५ ॥ ટીકાર્ય “વિજ્ઞાતવિષયસંગવાળા” ઈત્યાદિ જે પૂર્વપક્ષવાદી વડે કહેવાયું, તે પણ ખરેખર મારા પક્ષમાં પણ તુલ્ય છે. કઈ રીતે તુલ્ય છે? એથી કહે છે- જે કારણથી અજ્ઞાતવિષયસંગવાળા પણ કેટલાક પ્રાણીઓ= જીવો, તેના ગુણવાળા = વિજ્ઞાતવિષયસંગના ગુણવાળા, હોય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૫૪ માં પૂર્વપક્ષીએ કહેલ કે વિજ્ઞાતવિષયસંગવાળા એવા અતીતવયવાળા જીવો કૌતુકની નિવૃત્તિવાળા અને અશકનીય હોય છે, તેથી તેઓ સુખે કરીને સંયમ પાળી શકે છે; તે સર્વ પણ બાલ અને યુવાનને દીક્ષાયોગ્ય કહેનાર જૈનદર્શનના પક્ષમાં પણ સમાન જ છે. તે આ રીતે બાલ્યકાળમાં કે લગ્ન પહેલાં યુવાનીમાં જેમણે દીક્ષા લીધી છે, તેવા સાધુઓ, વ્યવહારથી વિષયસંગ નહીં જાણતા હોવા છતાં શાસ્ત્રાભ્યાસમાં અને સંસારના અવલોકનમાં પટ્પ્રજ્ઞાવાળા હોવાને કારણે વિષયના સંગો કેવા છે, તે સારી રીતે જાણે છે; એટલું જ નહીં, પરંતુ વિષયસંગના સ્વરૂપને જે રીતે અનુભવી લોક જાણે છે, તે રીતે વગર અનુભવે પણ તેઓ જાણતા હોય છે; છતાં તેની પારમાર્થિક નિઃસારતા સારી રીતે જાણનારા હોવાથી તેવા ઉત્તમ પુરુષોને સંસારના ભોગ-સુખો પ્રત્યે લેશ પણ આકર્ષણ થતું નથી. જેમ કે કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રસૂરિ મ.સા.ને એક વખત રાજસભામાં કોઈક વિદ્વાને કટાક્ષ કર્યો કે જેણે કામનું સુખ અનુભવ્યું નથી, તેને કામના સુખની શું ખબર પડે? તેના સંદર્ભમાં જ પૂજ્યશ્રીએ “કામ” ના સ્વરૂપને જણાવનાર અદ્દભુત ગ્રંથની રચના કરી, જેથી વિદ્વાનોને પણ કહેવું પડ્યું કે આ સાધુ કામશાસ્ત્રમાં પણ અતિનિપુણ છે. / ૬૫ અવતરણિકા : स्वपक्षोपचयमाहઅવતરણિકાર્ય : સ્વપક્ષના ઉપચયને કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy