________________
૬
અન્વયાર્થ :
તદ્દા = તે કારણથી = સર્વ કર્મોમાં પ્રધાન મોહનીયકર્મ હોવાથી સંભાવનીય દોષો થાય છે તે કારણથી, અળિમટ્ટિવાયરાવારા = અનિવૃત્તિબાદરગુણસ્થાનકથી પહેલાં વેજ્ઞ ન વિવિશ્ર્વગવ્વા = કોઇને દીક્ષા ન આપવી જોઇએ; તે ય = અને તેઓ અનિવૃત્તિબાદરગુણસ્થાનકવાળા જીવો, પાયં વિશ્ર્વાવિત્રતા ન = પ્રાયઃ દીક્ષાથી વિકલ હોતા નથી; નં = જે કારણથી ત્રં વિત્તમં = આ વિષમ છે = અન્યોન્યાશ્રયદોષવાળું પૂર્વપક્ષીનું કથન વિષમ છે.
=
* ‘તિ’ પાદપૂર્તિ અર્થે છે.
ગાથાર્થ :
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૬૪
પૂર્વગાથામાં કહ્યું કે સર્વ કર્મોમાં પ્રધાન એવા મોહનીયકર્મથી સંભાવનીય દોષો થાય છે. તે કારણથી પહેલા ગુણઠાણાથી માંડીને આઠમા ગુણઠાણા સુધી કોઇને દીક્ષા ન આપવી જોઇએ, અને અનિવૃત્તિબાદર નામના નવમાગુણસ્થાનકવાળા જીવો પ્રાયઃ દીક્ષારહિત હોતા નથી; જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી, સંભાવનીય દોષો હોય ત્યાં સુધી દીક્ષા અપાય નહીં એવું માનીએ તો અનિવૃત્તિબાદરગુણસ્થાનક સુધી કોઇને દીક્ષા અપાય નહીં, અને દીક્ષા લીધા વિના પ્રાયઃ જીવોને અનિવૃત્તિબાદરગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી, એ રૂપ અન્યોન્યાશ્રયદોષસ્વરૂપ પૂર્વપક્ષીનું કથન વિષમ છે.
ટીકા ઃ
यस्मादेवं तस्मान्न दीक्षितव्या = न प्रव्राजनीयाः केचिद् अनिवृत्तिबादरेभ्य आरात्, क्षपकश्रेणिप्रक्रमे यावदनिवृत्तिबादरा न संजातास्तावन्न दीक्षितव्या इति स्वप्रक्रियानुसारेण, तन्त्रान्तरपरिभाषया त्वानन्दशक्त्यनुबोधेनावाप्ताणिमादिभावेभ्य आरादिति, ते च अनिवृत्तिबादराः अवाप्ताणिमादिभावा वा न दीक्षाविकलाः = न प्रव्रज्याशून्याः प्रायः तत्रान्यत्र वा जन्मनि द्रव्यदीक्षामप्याश्रित्य, मरु देवीकल्पाश्चर्यभावव्यवच्छेदार्थं प्रायोग्रहणम्, एतच्च तन्त्रान्तरेऽपि स्वपरिभाषया गीयत एव 'अत्यन्तमनवाप्तकल्याणोऽपि कल्याणं प्राप्त' इति वचनात्, यद्यस्मादेवं विषममेतत् ततः = तस्माद् विषमं सङ्कटमेतत्, किमुक्तं भवति ? दीक्षाव्यतिरेकेण विशिष्टगुणा न भवन्ति तद्व्यतिरेकेण च न दीक्षेतीतरेतराश्रयविरोध इति गाथार्थः ॥ ६४ ॥
ટીકાર્ય :
*
યક્ષ્માવે......સ્વક્રિયાનુસારેળ જે કારણથી આમ છે=સર્વ કર્મોમાં પ્રધાનભૂત મોહનીયકર્મ હોવાથી ચરમશરી૨ીઓને પણ સંભાવનીય દોષો છે, તે કારણથી અનિવૃત્તિબાદરગુણસ્થાનકથી પહેલાં કોઈને દીક્ષા આપવી જોઈએ નહિ=પ્રવ્રજ્યા આપવી જોઈએ નહિ. આ કથન સ્પષ્ટ કરે છે- ક્ષપકશ્રેણિના પ્રક્રમમાં જ્યાં સુધી જીવો અનિવૃત્તિબાદરગુણસ્થાનકવાળા ન થાય ત્યાં સુધી દીક્ષા આપવી જોઇએ નહિ. એ પ્રમાણે સ્વપ્રક્રિયાનુસારથી=જૈનદર્શનની પ્રક્રિયા અનુસારે, જાણવું.
Jain Education International
તા...........વિતિ વળી, તંત્રાન્તરની = અન્યદર્શનની, પરિભાષા વડે આનંદશક્તિના અનુબોધથી = અનુભવથી, પ્રાપ્ત કરેલ અણિમાદિ ભાવોથી પહેલાં કોઇને દીક્ષા આપવી જોઇએ નહીં. ‘કૃતિ’ અન્યદર્શનની પરિભાષાથી કરેલ કથનની સમાપ્તિ માટે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org