SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૩-૬૪ ( ૯૫ પણ સૌથી છેલ્લે ૩ વેદોની ગણના કરેલ છે. માટે સ્વદર્શનની પ્રક્રિયાને આશ્રયીને સામાન્યથી ૨૮ ભેદોવાળી અને વેદના અંતવાળી મોહનીયકર્મની પ્રકૃતિ સર્વ કર્મોમાં પ્રધાન છે; અને અન્યદર્શનની પ્રક્રિયાને આશ્રયીને ભવાભિનંદિની એવી અવિદ્યા સર્વ કર્મોમાં પ્રધાન છે. તેથી મોહનીયકર્મની ૨૮ માંથી કોઈપણ પ્રકૃતિ બલવાન હોય તેવા જીવોને, અથવા અશુચિ આદિમાં શુચિત્વની બુદ્ધિ આદિ રૂપ અવિદ્યા હોય તેવા સંસારના રસિયા જીવોને, દીક્ષા આપી શકાય નહીં તેમ માનવું ઉચિત છે; પરંતુ અતીતવયવાળાને જ દીક્ષા આપી શકાય તેમ માનવું અનુચિત છે; કેમ કે સંભાવનીય દોષો માત્ર વેદના ઉદયથી જ થતા નથી, પરંતુ ક્રોધાદિથી પણ ઘણા જીવો સંયમનો નાશ કરીને દુર્ગતિમાં જાય છે, તે રૂપ બલવાન મોહનીયકર્મના ઉદયથી સંભાવનીય દોષો થાય છે. વળી, પૂર્વપક્ષી કહે છે કે ભુક્તભોગીઓને કામાદિ વિકારો સંભવિત નથી, માટે તેઓને દીક્ષા આપવી ઉચિત છે. તેથી ગ્રંથકાર કહે છે કે સંયમગ્રહણ કરેલ ચરમશરીરીઓને પણ અનાદિકાળના સંસ્કારને કારણે કામાદિ વિકારો થવાનો સંભવ હોય, તો અતીતવયવાળા ભુક્તભોગીઓને તો સંભવ હોય જ. તેથી માત્ર દોષોના સંભવને આશ્રયીને અભુક્તભોગી જીવોને દીક્ષા માટે અયોગ્ય સ્વીકારીએ, તો ચરમશરીરીઓને પણ દીક્ષા આપી શકાય નહીં, તો અતીતવયવાળાને કેવી રીતે આપી શકાય? અર્થાતુ ન જ આપી શકાય. વિશેષાર્થ : સંભાવનીય દોષોને આશ્રયીને અભક્તભોગી જીવોને દીક્ષા માટે અયોગ્ય કહેવા ઉચિત નથી, કેમ કે ભુક્તભોગી એવા પણ ઋષિશંગના પિતા આદિને સંભાવનીય દોષો છે અને ચરમશરીરીને પણ સંભાવનીય દોષો છે. આથી ભક્તભોગી હોય કે અભુક્તભોગી હોય; ચરમશરીરી હોય કે અચરમશરીરી હોય; પરંતુ મોહનીયકર્મની સર્વ પ્રકૃતિઓ મંદ વર્તતી હોવાને કારણે જેઓને વર્તમાનમાં કામાદિ વિકારો સતાવતા ન હોય, તેવા જીવો દીક્ષા માટે યોગ્ય છે. આમ, દીક્ષાયોગ્ય જીવ વયના બળથી નક્કી થતો નથી, પરંતુ સર્વ કર્મોમાં પ્રધાનભૂત મોહનીયકર્મ જેનું મંદ થયું હોય, તે જ જીવ ગ્રહણ કરેલ દીક્ષાને સમ્યગુ પાળી શકે છે. તેથી ભક્તભોગી કે અભુક્તભોગી જીવો જો મંદકષાયવાળા હોય તો જ દીક્ષાને યોગ્ય છે. એ પ્રકારે ગાથા-૬૨-૬૩ નો આશય છે. II૬all અવતરણિકા : यतश्चैवम् - અવતરણિકાર્ય : અને જે કારણથી આમ છે, અર્થાત્ સર્વ કર્મોમાં મોહનીયકર્મ પ્રધાન છે અને દોષોની સંભાવના ચરમદેહવાળા જીવોને પણ રહેતી હોવાથી અતીતવયવાળા જીવોને પણ રહે છે, તે કારણથી શું પ્રાપ્ત થાય? એ પ્રસ્તુતગાથામાં બતાવે છે ગાથા : तम्हा न दिक्खिअव्वा केइ अणिअट्टिबायरादारा। ते न य दिक्खाविअला पायं जं विसममेअंति ॥६४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy