________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૦
અન્વયાર્થ :
મUM$= કહેવાય છે. વર્મgોવરમાવામાં વરોળ = કર્મના ક્ષયોપશમભાવથી પ્રભવવાળા=ઉત્પન્ન થવાવાળા, ચરણ સાથે વૃદુભાવો કિં વિટ્ટ?= ક્ષુલ્લકભાવકબાલભાવ, શું વિરોધ કરે છે? નેf=જે કારણથી (ક્ષુલ્લકો) નો=અયોગ્ય છે, ઉત્ત=એ પ્રમાણે સાદો અસહ્વાહ છે. ગાથાર્થ:
ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે તમારા કથનમાં જવાબ કહેવાય છે- કર્મના ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થનારા ચાસ્ત્રિ સાથે બાલભાવ શું વિરોધી છે? જે કારણથી બાળકો અયોગ્ય છે, એ પ્રમાણે અસહ્વાહ છે અથતિ ચાસ્ત્રિ સાથે બાલભાવ વિરોધી નથી. ટીકા :
भण्यतेऽत्र प्रतिवचनं, क्षुल्लकभावो बालभावः, कर्मक्षयोपशमभावप्रभवेन = कर्मक्षयोपशमभावात् प्रभवः = उत्पादो यस्य तेन, इत्थम्भूतेन चरणेन सहार्थे तृतीयेति सह किं विरु ध्यते ? येनायोग्याः क्षुल्लका इत्यसद्ग्राहः, न विरु ध्यत इति गाथार्थः ॥५७॥ ટીકાર્ય :
અહીં પ્રતિવચન કહેવાય છે = ગાથા-પર થી પ૬ સુધીની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકાર જવાબ આપે છેકર્મના ક્ષયોપશમભાવથી પ્રભવ છે = ઉત્પાદ છે જેનો તે, આવા પ્રકારના ચરણ સાથે ક્ષુલ્લકભાવ = બાલભાવ, શુંવિરુદ્ધ થાય છે? જેકારણથી ક્ષુલ્લકો અયોગ્ય છે, એ પ્રકારનો અસહછે? અર્થાત વિદ્ધ થતો નથી. વરનમાં તૃતીયાવિભક્તિ સન્ના અર્થમાં છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ચારિત્ર એ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થનાર જીવનો પરિણામ છે, તેથી કોઈ જીવને બાલ્યકાળમાં ભવના નૈર્ગસ્થના દર્શનને કારણે સંસારના ભોગો પ્રત્યે વિરક્ત ભાવ થઈ શકે છે. તેથી તેવા જીવોનો ઉંમરથી વર્તતો બાલભાવ ચારિત્રના પરિણામની ઉત્પત્તિ સાથે વિરોધી થતો નથી. તેથી બાલ જીવોને દીક્ષા અપાય નહીં, એ પ્રકારનો અસહ્વાહ છે.
આમ છતાં, કોઈ જીવવિશેષને આશ્રયીને બાલ્યકાળમાં તેવો વૈરાગ્ય થાય તેમ ન હોય, પરંતુ ભોગો ભોગવ્યા પછી તેને સંસારની નિઃસારતા જણાય તેમ હોય, તેવા જીવને આશ્રયીને તેનો બાલભાવ દીક્ષાને યોગ્ય નથી, તેમ કહેવાય; એટલામાત્રથી ઉંમરથી બાલપણાવાળા સર્વ જીવો દીક્ષાને અયોગ્ય જ છે, તેમ કહેવું ઉચિત નથી. તે પ૭
અવતરણિકા :
एतदेव स्पष्टयन्नाह -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org