SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ પ્રવજ્યાવિધાન વસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા પક-પ૦ द्वलाद् ग्रहणादिपरिग्रहः, एतेऽपि भवन्ति विजढाः = परित्यक्ता अतिक्रान्तवयोभिः प्रव्रज्यां प्रतिपद्यमानैरिति, योग्याऽधिकृतानाम् = अतिक्रान्तवयसामेव तत् = तस्मात् दीक्षा = प्रव्रज्या, इतरे त्वयोग्या एवोक्तदोषोपપરિતિ પથાર્થ: પદ્દા u fa" માં “મ' થી એ કહેવું છે કે અતીતવયવાળાઓને ઉચિતકાળે ચાર પુરુષાર્થોનું સેવન તો થાય છે, પરંતુ આ પણ = કૌતુકાદિ સંભાવનીય દોષો પણ, પરિત્યકત થાય છે, ટીકાર્ય : તથા કૌતુક, કામગૃહ, પ્રાર્થનાદિ અભુક્તભોગવાળાના દોષો છે=નથી ભોગવાયા ભોગો જેઓ વડે તે અભુક્તભોગવાળાઓ, તેઓના દોષો છે. તેમાં કૌતુક સુરતના વિષયવાળું ઑસુક્ય; કામગૃહ તેના અર્થાત્ કામના અનાસેવનના ઉદ્રેકથી થતો વિભ્રમ; પ્રાર્થના=યોષિતની અભ્યર્થના = સ્ત્રી પાસે કામની પ્રાર્થના, ગરિ શબ્દથી સ્ત્રીનું બળથી ગ્રહણાદિનો પરિગ્રહ છે. આ પણ = ઉપરમાં બતાવેલ કૌતુકાદિ દોષો પણ, પ્રવ્રયાને સ્વીકારતા એવા અતિક્રાંતવયવાળાઓ વડે પરિત્યજાયેલા થાય છે. “ત્તિ' કથનની સમાપ્તિ અર્થે છે. તે કારણથી અધિકૃતોની = અતિક્રાંતવય-વાળાઓની જ, દીક્ષા = પ્રવ્રજ્યા, યોગ્ય છે. વળી ઈતર = અતિક્રાંતવયવાળાઓથી અન્ય એવા બાલ જીવો, અયોગ્ય જ છે; કેમકે ઉપરમાં કહેવાયેલ દોષોની ઉપપત્તિ છે = પ્રાપ્તિ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમણે ભોગો ભોગવ્યા નથી તેઓને દીક્ષા આપવામાં આવે તો, ભોગના વિષયમાં કૌતુક થાય છે, અને કૌતુક થવાના કારણે તેઓને કામસેવનની મનોવૃત્તિ થાય છે. તેથી તેઓ દ્વારા ક્યારેક સ્ત્રી પાસે કામની પ્રાર્થનાનો પણ સંભવ રહે અને અતિશય કામનો ઉદ્રક થાય તો બળાત્કારે સ્ત્રીને પણ ગ્રહણ કરે. આથી અભુક્તભોગીઓને દીક્ષા આપવી ઉચિત નથી; અને ભુક્તભોગીઓ દીક્ષા ગ્રહણ કરે તો કૌતુકાદિ દોષોનો પણ ત્યાગ થાય છે, તેથી પણ અતિક્રાન્તવયવાળા જીવો જ દીક્ષા માટે યોગ્ય છે. વળી ઉપરમાં કહેલ દોષોની પ્રાપ્તિ હોવાથી ઇતર એવા બાળ જીવો પ્રવ્રયા માટે અયોગ્ય જ છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. એ પ૬ | અવતરણિકા : एषः पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિતાર્થ : આ = ગાથા-પર થી પમાં બતાવ્યો એ પૂર્વપક્ષ છે, અહીં = પૂર્વપક્ષના કથનમાં, ઉત્તરને કહે છે ગાથા : भण्णइ खुड्डगभावो कम्मखओवसमभावपभवेणं । चरणेण किं विरुज्झइ ? जेणमजोग्ग त्तिऽसग्गाहो ॥५७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy