________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૩-૫૪
કયા હેતુથી અતીતવયવાળા પ્રવ્રયાને સુખે પાળી શકે છે? એ પ્રકારની શંકામાં કહે છે
અતીતવયવાળા કૌતુકથી નિવૃત્તભાવવાળા હોય છે, જેથી કરીને તેઓ પ્રવ્રજ્યા સુખે પાળી શકે છે. અતીતવયવાળા કૌતુકથી નિવૃત્તિના ભાવવાળા કેમ છે? તેમાં કારણ બતાવે છે- “નિમિત્તકારણરૂપ હેતુઓમાં સર્વેનું = સર્વ હતુઓનું, પ્રાયઃ કરીને વિશાતવિષયસંગવાળા જીવોને દર્શન હોય છે એ પ્રકારનું વચન હોવાથી તેઓ કૌતુકથી નિવૃત્તિના ભાવવાળા હોય છે. આ જ વાતનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે- અતીતવય-વાળાઓમાં વિષયોના આલંબનવાળું કૌતુકથી નિવૃત્તભાવપણું હોવાને કારણે તેઓ પ્રવ્રયા સુખે કરીને પાળી શકે
છે.
ગુણાંતરને=અતીતવયવાળાઓને પ્રવ્રજદાનમાં થતા બીજ ગુણને, કહે છે- અને અશંકનીય છે અર્થાત્ અતિક્રાંતવયવાળા જીવો સર્વ પ્રયોજનોમાં જ શંકા યોગ્ય હોતા નથી. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
કેટલાક નૈવેદ્યવૃદ્ધાદિ અન્યદર્શનવાળા કહે છે કે આઠ વર્ષની ઉંમરવાળા જીવો પણ બાલભાવવાળા જ છે. તેથી જેમ આઠ વર્ષની પૂર્વમાં બાલ હોવાને કારણે જીવ દીક્ષા માટે અયોગ્ય છે, તેમ આઠ વર્ષ પછી પણ બાલ હોવાથી જીવ ચારિત્ર ગ્રહણ કરવા માટે યોગ્ય નથી. આથી તેઓના અભિપ્રાય પ્રમાણે પક્વ ઉંમરવાળા જીવોને દીક્ષા આપી શકાય, પરંતુ બાલને નહીં.
વળી, નૈવેદ્યવૃદ્ધાદિમાંથી અન્ય કેટલાક નૈવેદ્યવૃદ્ધો કહે છે કે જે લોકોએ સંસારમાં લગ્ન કરીને ભોગો ભોગવ્યા છે તેઓની પ્રવ્રયા નિષ્પાપ છે; કેમ કે યુવાન વયમાં પણ વિષયોની ઇચ્છા થવાની સંભાવના રહે છે. તેથી જેમણે વિષયોનો સંગ અનુભવ્યો નથી તેઓને સંયમ ગ્રહણ કર્યા પછી પણ વારંવાર વિષયોનું સ્મરણ થવાથી તેનું ચિત્ત સંયમમાં રહી શકતું નથી; અને યતિએ તો સંભવિત દોષોનો પણ પરિહાર કરવો જોઇએ. માટે ભોગો ભોગવીને યુવાન વય જેમણે પસાર કરી હોય તેવા જીવોને દીક્ષા આપી શકાય, અન્યને નહીં.
વળી, તે નૈવેદ્યવૃદ્ધો અતીતવયવાળા જીવોને દીક્ષાના અધિકારી સ્વીકારવા અર્થે વિશેષ યુક્તિ બતાવે છે કે અતીતવયવાળાઓએ વિષયોના સુખનો અનુભવ કર્યો હોય છે. તેથી વિષયોના વિષયમાં તેઓને કૌતુકની નિવૃત્તિ થયેલી હોય છે અને અન્ય લોકોને પણ તેઓના વિષયમાં શંકા થતી નથી. તેથી ભુક્તભોગીઓને પ્રવજયા આપવામાં આવે તો ખરેખર તેઓ સુખે કરીને સંયમ પાળી શકે.
પ્રસ્તુત ટીકામાં “નિમિત્તવIRUતષ સર્વેષાં પ્રાયો સર્જન” એ પ્રકારના વચન દ્વારા એ જણાવવું છે કે યુવાન વયમાં થતા ઉન્માદને અનુરૂપ આનંદના નિમિત્તકારણરૂપ જેટલા બાહ્ય હેતુઓ છે તે સર્વ હેતુઓ પ્રાયઃ કરીને ભુક્તભોગી એવા અતીતવયવાળા જીવોએ પોતાની શક્તિ પ્રમાણે અનુભવી લીધા હોય છે. આથી બાહ્ય વિષયોના વિષયમાં તેઓને કૌતુકની નિવૃત્તિ હોય છે. // પ૩/૫૪ /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org