SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૯ toto ભાવાર્થ : જિનક્રિયાની ચિકિત્સાથી આ લોકમાં કોઈ જીવો અસાધ્ય નથી અર્થાત્ જિનચિકિત્સા સર્વ જીવોનો કર્મરૂપી રોગ દૂર કરવા સમર્થ છે; પરંતુ જે જીવો જિનચિકિત્સા કરવાની લાયકાતવાળા ન હોય, તે જીવો કર્મવ્યાધિની અપેક્ષાએ અસાધ્ય છે, એ પ્રકારનો અહીં તાત્પર્યાર્થ છે. આનો અર્થ એ થયો કે જિનચિકિત્સામાં કોઈ ખામી નથી કિન્તુ જીવોમાં ખામી છે; કેમ કે દૂધ પુષ્ટિકારક હોવા છતાં નબળા આંતરડાવાળાની દૂધથી પુષ્ટિ ન થાય તો તેમાં દૂધની ખામી ન ગણાય, પરંતુ આંતરડાની ખામી ગણાય. વિશેષાર્થ : ભગવાને બતાવી છે તે જ પ્રમાણે ક્રિયા સેવવામાં આવે, તો અવશ્ય જીવનો કર્મરૂપી વ્યાધિ નાશ પામે. પરંતુ અયોગ્ય જીવો ભગવાને બતાવેલી ક્રિયા તે રીતે સેવતા જ નથી, માટે તેઓનો કર્મવ્યાધિ નાશ પામતો નથી. આથી અયોગ્ય જીવોને કર્મરૂપી વ્યાધિને આશ્રયીને અસાધ્ય કહ્યા છે. આનાથી એ સિદ્ધ થાય કે વૈદ્યક્રિયાના દષ્ટાંતમાં અને જિનક્રિયાના દૃષ્ટાંતમાં કંઈક ભેદ છે. તે આ રીતે અસાધ્ય વ્યાધિવાળો રોગી વૈધે કહ્યું હોય તે જ પ્રમાણે પથ્યનું સેવન કરે તો પણ તેનો વ્યાધિ મટતો નથી; કેમ કે અસાધ્ય વ્યાધિ નિરુપક્રમ કર્મને કારણે થાય છે, માટે સુવૈદ્યના સભ્ય યત્નથી પણ રોગીનો રોગ મટતો નથી. જ્યારે ભગવાને બતાવેલી સમ્યફ ક્રિયાને કોઇપણ જીવ સમ્યફ પ્રકારે સેવે, તો અવશ્ય તેનાં ભાવવ્યાધિરૂપ કર્મો નાશ પામે, તેમાં વિકલ્પ નથી. આમ છતાં, જે જીવો દીક્ષા લેવા માટે અયોગ્ય છે, તેઓ સંયમ ગ્રહણ કરીને પણ ભગવાનની આજ્ઞાનુસાર ક્રિયાઓનું સેવન સમ્યગૂ કરતા નથી. આથી તેઓનો ભાવવ્યાધિ તો નાશ પામતો નથી, પરંતુ તેઓ સંયમની ક્રિયાનાં કષ્ટમાત્રને પામે છે. તેથી એ ફલિત થાય કે અસાધ્ય વ્યાધિવાળા જીવો વૈદ્ય બતાવેલ પથ્યનું સમ્યગુ સેવન કરે તોપણ તેઓનો રોગ મટતો નથી; જયારે અયોગ્ય જીવો તો ભગવાને બતાવેલી ક્રિયાનું સમ્યગૂ સેવન જ કરતા નથી, માટે તેઓને ભાવવ્યાધિ મટતો નથી. આથી વૈદ્યનું દૃષ્ટાંત એક અંશમાં જ ગ્રહણ કરવાનું છે અથવા તો જેમ દષ્ટાંતમાં રોગીનો રોગ અસાધ્ય છે, તેમ અયોગ્ય જીવોનો ભાવરોગ અસાધ્ય છે, એટલા અંશમાં જ દાંત છે; પરંતુ વૈદ્યક્રિયાનું દૃષ્ટાંત સર્વાશમાં ગ્રહણ કરવાનું નથી. ૪૯ અવતરણિકા : ગાથા-૩ર થી મ્યઃ દ્વાર શરૂ થયું, તેમાં પ્રથમ પ્રવ્રયાયોગ્ય જીવોના ગુણો બતાવ્યા. ત્યારપછી ૧૬ ગુણોથી રહિત એવા અયોગ્ય જીવોને દીક્ષા આપવાથી તેનું અહિત થાય છે, તે બતાવીને બહુગુણસંપન્ન જીવોને જ દીક્ષા આપવી જોઇએ, તેનું સ્થાપન કર્યું. હવે દીક્ષા ગ્રહણ કરવા માટે વયને આશ્રયીને કેવા જીવો યોગ્ય છે, તે બતાવે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy