________________
પ્રવૃજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૮ અન્યથાર્થ :
તદ વેવ = તે પ્રમાણે જ ગો ૩ વિન્ગ = વળી જે ધર્મવૈદ્ય પ = અહીં = પ્રવ્રજ્યાના અધિકારમાં, મા = અસાધ્યોની પāન્ન = પ્રવ્રયારૂપ માહિરિ = ભાવક્રિયાને પjન = યોજે છે, તસ વિ= તેને પણ = તે ધર્મવૈદ્યને પણ, રૂમ = આ જ = અસાધ્ય વ્યાધિની ચિકિત્સા કરનાર વૈદ્ય પોતાને અને રોગીઓને ક્લેશમાં પાડે છે એ જ, ૩૦ = ઉપમા છે. ગાથાર્થ :
તે જ પ્રમાણે વળી જે ધર્મવધ પ્રવજ્યાના અધિકારમાં અસાધ્ય કર્મવ્યાધિવાળાઓની પ્રવજ્યાદાનરૂપ * ભાવક્રિયા કરે છે, તે ધમધને પણ અસાધ્ય વ્યાધિની ચિકિત્સા કરનાર વૈધ પોતાને અને રોગીઓને
ક્લેશમાં નાંખે છે, એ જ ઉપમા છે. ટીકા :
तथैव धर्मवैद्यः आचार्यः अत्र अधिकारे असाध्यानां कर्मव्याधिमाश्रित्य यस्तु प्रव्रज्यां भावक्रियां प्रयुङ्क्ते कर्मरोगनाशनाय, तस्यापि धर्मवैद्यस्य उपमा इयमेव, आत्मानं तांश्च क्लेशे पातयतीति गाथार्थः | ૪૮ છે. ટીકાર્થ :
તે પ્રમાણે જ આ અધિકારમાં = યોગ્ય જીવને પ્રવજ્યા આપવાના વિષયમાં, કર્મરૂપી વ્યાધિને આશ્રયીને અસાધ્યોની = ભારે કર્મી જીવોની, વળી જે ધર્મવૈદ્ય = આચાર્ય, કર્મરૂપી રોગનો નાશ કરવા માટે પ્રવ્રજયારૂપ ભાવક્રિયાને યોજે છે, તે ધર્મવૈદ્યને પણ આ જ ઉપમા છે. તે ઉપમા સ્પષ્ટ કરે છે- આત્માને અને તેઓને = કર્મવ્યાધિવાળા જીવોને, ક્લેશમાં પાડે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જે વૈદ્ય અસાધ્ય વ્યાધિની ચિકિત્સા કરે છે તે વૈદ્ય પોતે ચિકિત્સાની ક્રિયા કરવાના શ્રમરૂપ ક્લેશને પામે છે અને રોગીને પણ ચિકિત્સાની ક્રિયા કરાવવાના ક્લેશમાં નાંખે છે, પરંતુ રોગીનો રોગ મટાડી શકતા નથી; તે જ પ્રમાણે જે ધર્મગુરુ અસાધ્ય એવા કર્મરૂપી વ્યાધિવાળા જીવોને પ્રવ્રયા આપવારૂપ ભાવચિકિત્સા કરે છે, તે ગુરુ તે ક્રિયા કરવા દ્વારા પોતાના આત્માને લેશમાં નાખે છે અને ભાવરોગીને પણ સંયમની ક્રિયા કરાવવારૂપ ક્લશમાં નાંખે છે, પરંતુ અસાધ્ય એવા કર્મરૂપી વ્યાધિવાળા તે અયોગ્ય શિષ્યનો ભાવરોગ મટાડી શકતા નથી.
આ દૃષ્ટાંતથી ગુરુએ પોતાના આત્માનો ત્યાગ કર્યો છે અને પર એવા શિષ્યનો પણ ત્યાગ કર્યો છે, એ પ્રકારનું ગાથા-૪૫-૪૬ સાથે યોજન છે. I૪૭/૪૮ અવતરણિકા :
चोदक आह-जिनक्रियाया असाध्या नाम न सन्ति; सत्यमित्याह
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org