________________
૦૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૦-૪૮ ફળરૂપે તેઓ સદ્ગતિ મેળવે તોપણ, ત્યાં વિષયોમાં ગાઢ આસક્તિ પેદા કરીને દુર્ગતિમાં જવારૂપ વિનાશ જ પામે છે. માટે અયોગ્ય જીવોને અપાયેલી પ્રવ્રજયા તેઓના વિનાશનું કારણ બને છે. ૪૬
અવતારણિકા :
क्रियाज्ञातमाह
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે અન્ય શિષ્યને શિક્ષા આપવાથી ક્રિયાના જ્ઞાતથી શિષ્યનો ત્યાગ થાય છે. તેથી હવે વૈદ્યક્રિયાના જ્ઞાતને-દષ્ટાંતને, કહે છે
ગાથા :
जह लोअम्मि वि विज्जो असज्झवाहीण कुणइ जो किरियं ।
सो अप्पाणं तह वाहिए अ पाडेइ केसम्मि ॥४७॥ અન્વયાર્થ :
ન = જે પ્રમાણે નોમ્બિ વિકલોકમાં પણ નો વિનો=જે વૈદ્ય પ્રવાહી વિવિં=અસાધ્ય વ્યાધિવાળાઓની ક્રિયા વુલુફ કરે છે, તો=તે ગપ્પા તદ વાણિ =આત્માને અને તેવી રીતે વ્યાધિતોને મિ પાડેફેકક્લેશમાં પાડે છે,
ગાથાર્થ :
જે પ્રમાણે, લોકમાં પણ જે વૈધ અસાધ્ય વ્યાધિવાળા રોગીઓની ક્રિયા કરે છે, તે વૈધ પોતાને અને તે રીતે રોગીઓને ક્લેશમાં નાંખે છે, ટીકા :
यथा लोकेऽपि वैद्य असाध्यव्याधीनाम् आतुराणां करोति यः क्रियां, स आत्मानं तथा व्याधितांश्च पातयति क्लेशे, व्याध्यपगमाभावादिति गाथार्थः ॥४७॥ . ટીકાર્ય :
જે રીતે લોકમાં પણ અસાધ્ય વ્યાધિવાળા આતુરોની=રોગીઓની, જે વૈદ્ય ક્રિયાને કરે છે, તે વૈદ્ય આત્માને અને તેવી રીતે વ્યાધિતોને=રોગીઓને, ક્લેશમાં પાડે છે; કેમકે વ્યાધિના અાગમનો અભાવ છે=અસાધ્ય હોવાથી રોગ દૂર થવાનો નથી. એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
तह चेव धम्मविज्जो एत्थ असज्झाण जो उपव्वज्जं । भावकिरिअं पउंजइ तस्स वि उवमा इमा चेव ॥४८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org