SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ P ૫૬ કર્મવિષયક પ્રસ્તુત કૃતિ ચાર વિભાગમાં વિભક્ત છે. એનાં નામ નીચે મુજબ છે :(૧) પ્રકૃતિ-વિચ્છેદ, (૨) સૂક્ષ્માર્થ-સંગ્રાહક, (૩) પ્રકૃતિ-સ્વરૂપ અને (૪) બંધ-સ્વામિત્વ. આ ચારને “ચાર સંસ્કૃત કર્મગ્રંથ” તરીકે ઓળખાવાય છે અને ઓનો ગ્રંથાગ્ર પ૬૯ શ્લોકનો દર્શાવાય છે. લોકવિભાગ (ઉં. વિક્રમની પંદરમી સદી)– આના કર્તા દિ. સિંહસૂરિ છે. એમણે ૧૫૨૬ શ્લોકની આ કૃતિ નિમ્નલિખિત ૧૧ અધિકારમાં–પ્રકરણોમાં વિભક્ત કરી છે : (૧) જંબુદ્વીપ, (૨) લવણ સમુદ્ર, (૩) માનુષ-ક્ષેત્ર, (૪) દીપ-સમુદ્ર, (૫) કાલ, (૬) તિર્યગ્ર |P ૫૭ લોક, (૭) ભવનવાસિલોક, (૮) ગતિ, ૯૯) મધ્ય-લોક, (૧૦) વ્યંતર-લોક અને (૧૧) સ્વર્ગ તથા મોક્ષ. રૂપાંતર– દિ. સર્વનન્ટિએ શકસંવત્ ૩૮૦માં– કાંચીના સિંહવર્મા રાજાના રાજ્યકાળના બાવીસમા વર્ષમાં લગભગ ૧૫૩૬ શ્લોક જેવડી જે લોગવિહગ (સં. લોકવિભાગ) નામની કૃતિ રચી હતી અને જે હજુ સુધી તો અપ્રાપ્ય છે તેના સંસ્કૃત રૂપાંતર તરીકે પ્રસ્તુત કૃતિને ઓળખાવાય છે. અવતરણો– આ લોકવિભાગમાં આદિપુરાણ (પર્વ ૩)માંથી, નેમિચન્દ્ર વિ.સં. ૧૯૩૫માં રચેલા તિલોયસારમાંથી તેમ જ તિવૃષભકૃત તિલોયપષ્ણત્તિમાંથી કેટલીક ગાથાઓ ઉદ્ઘત કરાઈ છે. હાથપોથી– આ લોકવિભાગની વિક્રમની સોળમી સદીમાં લખાયેલી એક હાથપોથી મળે છે. લોકપ્રકાશ (વિ. સં. ૧૭૦૮)- આ પહેમલઘુપ્રક્રિયા વગેરેના પ્રણેતા ઉપાધ્યાય વિનયવિજયગણિ છે. એમણે આ બૃહત્કાય ગ્રન્થને નિમ્નલિખિત ચાર વિભાગમાં વિભક્ત કર્યો છે : (૧) દ્રવ્ય-લોક, (૨) ક્ષેત્ર-લોક, (૩) કાલ-લોક અને (૪) ભાવ-લોક. P. ૫૮ ૧. કર્મ-સિદ્ધાન્તમાં સંક્રમનો સમાવેશ થાય છે. એને અંગે આ સિદ્ધાન્તના નિષ્ણાત શ્રીવિજયપ્રેમસૂરિજીએ સંક્રમપ્રકરણ યોજ્યું છે. એનો પ્રથમ ભાગ શ્રી. રણછોડદાસ શેષકરણ શાહે મુંબઈથી ઈ.સ. ૧૯૩૧માં અને બીજો ભાગ શ્રી. શાંતિદાસ ખેતશીએ ઈ.સ. ૧૯૩૩માં પ્રકાશિત કર્યો છે. આ આચાર્યે આ પૂર્વે ‘ગણિ” અવસ્થામાં કર્મસિદ્ધિ નામનું પુસ્તક સંસ્કૃતમાં રચ્યું છે અને એ શ્રી હઠીચંદ દીપચંદ (હાલ મુનિશ્રી હંસસાગર) તરફથી ઇ.સ. ૧૯૨૯માં પ્રસિદ્ધ કરાયું છે. એમાં કાળ, સ્વભાવ, નિયતિ વગેરે વિષે એકાંતે આગ્રહ રાખનારના વિચારોનું ખંડન કરાયું છે. આ સંબંધમાં જુઓ મારું પુસ્તક નામે કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (પૃ. ૧૦૨ ૧૦૩). ૨. જે. સા. ઈ. (પૃ. ૧-૨૨)માં “તો વિમા ગૌર તિતોય ખત્તિ” નામનો લેખ પ્રકાશિત થયેલો છે. પૃ. ૧માં આદ્ય પદ્ય તેમ જ પૃ. ૧-૨માં પ્રશસ્તિનાં ચાર પદ્યો અપાયાં છે. ૩. આ “દે. લા. જે. પુ.” તરફથી પ્રકાશિત છે. આની વિ.સં. ૧૭૧૬માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્રા. સં. માં. છે. [સંપૂર્ણ અનુવાદ પં. વજસેન વિ. સંપાદિત “ભદ્રકરપ્રકાશન” દ્વારા બીજીવાર પ્રસિદ્ધ થયો છે.] ૪. વિનયસૌરભ (પૃ. ૨૪-૨૯)માં આ મહાકાય ગ્રન્થ વિશે કેટલીક બાબતો મેં રજૂ કરી છે. ૫. આના પરિચય વગેરે માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૦-૮૨).= ૪૬ ૬-૭. આ બંને વિભાગ (મૂળ) ગુજરાતી ભાષાંતર તેમજ શ્રી. હીરાલાલ અમૃતલાલ શાહના ગુજરાતી ઉપોદ્દાત સહિત લોકપ્રકાશ (વિભાગ ૩-૪)”ના નામથી “જૈ. ધ. પ્ર. સ.” તરફથી ઇ.સ. ૧૯૩૪માં પ્રકાશિત કરાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy