SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૩૭-૪૦] ૨૧ આહ્નિકો- સવિવરણ તત્ત્વાર્થવ્લોકવાર્તિક આહ્નિકોમાં વિભક્ત છે. પ્રથમ અધ્યાયને અંગે પાંચ = ૩૯ આહ્નિકો છે જ્યારે ત્રીજાથી દસમા પરત્વે બબ્બે આહ્નિક છે.બીજા અધ્યાય માટે આહ્નિકનો ઉલ્લેખ મુદ્રિત પુસ્તકમાં નથી તે એવી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું એ એક જ આસ્તિકરૂપ હશે તેથી એથી નોંધ નહિ હશે ? | ટિપ્પણી– આ તત્ત્વાર્થબ્લોકવાર્તિકની અજ્ઞાતકૃત ટિપ્પણી છે. 'તત્ત્વાર્થચિન્તામણિ– આ પં. માણિકચંદજી કૌદેય ન્યાયાચાર્ય ત. ગ્લો. વા. અને એના સ્વપજ્ઞા વિવરણને અંગે હિન્દીમાં રચેલી ભાષાટીકા છે. ‘તત્ત્વાર્થવૃત્તિ કિવા તાત્પર્ય (લ. વિ. સં. ૧૫૭૫)–આના કર્તા દિ. શ્રુતસાગરસૂરિ છે. એમની આ ત. સૂ. ઉપરની પાણ્ડિત્યપૂર્ણ વૃત્તિ ૯૦૦૦ શ્લોક જેવડી છે, એના મંગલાચરણરૂપ પદ્યમાં તેમ જ લગભગ અંત (પૃ. ૩૨૫)માં પણ “તત્ત્વાર્થવૃત્તિ” એવું નામ વૃત્તિકારે આપ્યું છે. ઘણાખરા અધ્યાયના P ૪૦ અંતમાં જે પુષ્પિકા છે તેમાં અધ્યાયને બદલે પાદ’ શબ્દ અને ‘તત્ત્વાર્થવૃત્તિ'ની પૂર્વે તાત્પર્ય-સંજ્ઞા” એવો ઉલ્લેખ છે. દા. ત. જુઓ પૃ. ૧૧૦ ઉપરની નીચે મુજબની પુષ્પિકા : “इति सूरिश्री श्रुतसागरविरचितायां तात्पर्यसंज्ञायां तत्त्वार्थवृत्तौ द्वितीयः पादः समाप्तः" આ તત્ત્વાર્થવૃત્તિમાં કાંતત્ર વ્યાકરણનાં સૂત્રો વિશેષતઃ જોવાય છે. કોઈ વાર પાણિનિ અને શાકટાયનનાં વ્યાકરણમાંથી પણ સૂત્રો અપાયાં છે. આ તત્ત્વાર્થવૃત્તિમાં સર્વાર્થસિદ્ધિને લગભગ પૂરેપૂરી સમાવી દેવામાં આવી છે. એ ઉપરથી એમ કહી શકાય કે આ વૃત્તિ એના વિવરણની ગરજ સારે તેમ છે, જો કે એમાં કેટલીક નવીન બાબતો ઉમેરાઈ છે અને તેમાંની કોઈ કોઈ તો સર્વાર્થસિદ્ધિ વગેરે દિગમ્બરીય કૃતિઓ સાથે બંધબેસતી ન આવે એવી પણ છે. શ્રુતસાગરસૂરિ વૃત્તિમાં પોતાને મનગમતી વાત કેટલીક વાર ઉમેરે છે. દા. ત. અ. ૯, સૂ. ૪૭ની વૃત્તિ (પૃ. ૩૧૬)માં વ્યલિંગી મુનિ કંબલ વગેરે લે છે એમ કહ્યું છે. ૧. આ કુંથુસાગર ગ્રં.માં પ્રકાશિત છે. ૨. મૂળ સહિત આ વૃત્તિ પૂરતો ભાગ પૃ. ૧-૩૨૬માં અપાયો છે. ત્યાર બાદ ત. સૂ. નાં સૂત્રો ક્રમશઃ તત્ત્વાર્થવૃત્તિના હિન્દી સારાંશ સાથે અપાયાં છે. અંતમાં ત. સુ. ગત સૂત્રોની, ત. સુ. ગત શબ્દોની તત્ત્વાર્થવૃત્તિગત અવતરણોની, તત્ત્વાર્થવૃત્તિગત ગ્રન્થો અને ગ્રન્થકારોનાં નામોની અને તત્ત્વાર્થવૃત્તિગત વિશેષ શબ્દોની અકારાદિ ક્રમે સૂચી છે. પ્રારંભમાં હિન્દીમાં પ્રસ્તાવના છે. એમાં જૈન દૃષ્ટિએ ત. સૂ. વગેરેમાં કરાતા લોકના- ભૂગોળ, ઘુલોક અને નરકનાં વર્ણનને અઢી હજાર વર્ષ ઉપર આ જાતના અન્ય દર્શનીઓ પણ માનતાં હતાં એ સિદ્ધ કરવા માટે બૌદ્ધ કૃતિ નામે અભિધર્મકોશમાંથી તેમ જ વૈદિક કૃતિઓ પૈકી વ્યાસકૃત ભાષ્ય, ભાગવત તથા વિષ્ણુપુરાણમાંથી પ્રસ્તુત વિષય રજૂ કરાયો છે. વિશેષમાં સપ્તભંગીને અંગે શ્રી રાહુલ સાંકૃત્યાયને દર્શનદિગ્દર્શનમાં દર્શાવેલા વિચારનું અને સ્યાદ્વાદ પરત્વેના ડૉ. સર રાધાકૃષ્ણન્ વગેરેના લખાણમાં કરાયેલાં વિધાનોનું ખંડન કરાયું છે. ૩. જુઓ ઉપર્યુક્ત હિન્દી પ્રસ્તાવના (પૃ. ૯૫-૯૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy