SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૧૭-૨૦] ? ૨૦ (૧) c =/inde (૨) A = 1cd. (૩) c = Ah(d-h), (૪) = -4d - ch) (૫) a =/sh + cર, (૬) d = (he + ) અને (૭) b = 8, 8, 2 જમ્બુદ્વીપસમાસમાં આ જ સાત નિયમો છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સમયેખિત્તસમાસમાં આપ્યાં છે અને એનું સ્પષ્ટીકરણ 'જબુદીવકરણગુણિમાં જોવાય છે. પ્રદેશની પરિહાણિ- અ. ૩, સૂ. ૯ના ભાષ્ય (પૃ. ૨૫૧)માં “મેરુ પર્વત ઉપરનાં વનો ક્યાં ક્યાં આવ્યાં છે એ વાતનો નિર્દેશ કરી ઉમાસ્વાતિએ કહ્યું છે કે નંદન વનથી ઉપરના અને સૌમનસથી નીચેના ભાગમાં અગિયાર હજાર અગિયાર હજાર યોજન ઊંચે જતાં વિખંભની (એક હજાર યોજન જેટલી) પરિહણિ થાય છે. આ સંબંધમાં સિદ્ધિસેનગણિએ પૃ. ૨૫રમાં કહ્યું છે કે આ (ઉમાસ્વાતિએ) કહેલી પરિણાણિ ગણિતની પ્રક્રિયા સાથે જરાયે સંગત થતી નથી. વળી આર્માનુસારી ગણિતજ્ઞો પરિહાણ જુદી રીતે વર્ણવે છે. આમ જે અહીં મતભેદ દર્શવાયો છે તેની ચર્ચા માટે આ સ્થાન નહિ હોવાથી એ વાત હું અહીં જતી કરું છું. ભાષ્યના અનુવાદ– ત. સૂ. ના સૂત્રોના ગુજરાતી વગેરેમાં અનુવાદ થયા છે અને એ પ્રસિદ્ધ પણ કરાયા છે, જ્યારે મારો અંગ્રેજી અનુવાદ અપ્રકાશિત છે. સમગ્ર ભાષ્યનો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. ત. સૂ. ના પ્રથમ અધ્યાય પૂરતા ભાષ્યનો ગુજરાતીમાં અનુવાદ તેમ જ એને અંગે ગુજરાતીમાં ટિપ્પણરૂપે “રહસ્ય-પરિમલ” પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે જે તૈયાર કર્યા હતાં તે “હરિભદ્રસૂરિ જૈન ગ્રંથમાલા'માં ગ્રંથાંક ૧ તરીકે છપાવાયાં છે? આની ભૂમિકા (પૃ. ૪)માં પં. પ્રભુદાસે સમસ્ત ભાષ્યનું ૧. આ કૃતિ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ગ્રંથાક ૧૧૦ તરીકે પ્રસિદ્ધ થનાર છે. ૨. એમણે ટીકા (ભા. ૧, પૃ?)માં ઉમાસ્વાતિની એક ભૂલ બતાવી તે સંતવ્ય ગણવાનો નિર્દેશ કર્યો છે. ૩. ત. સૂ.ના સૂત્રોનું મ કરલું પાઈય રૂપાંતર પણ અપ્રકાશિત છે. ૪. આ પ્રકાશનનું નામ “શ્રીતત્ત્વાર્થધિગમસૂત્ર સ્વોપજ્ઞ-ભાષ્ય : ગુર્જર ભાષાપર્યાય : તથા–રહસ્યપરિમલવિવેચના : યુક્ત ભાગ ૧ લો” એમ રખાયું છે અને એ “કેશરબાઇ જ્ઞાનભંડાર, પાટણ'થી ઇ.સ. ૧૯૩૭માં પ્રસિદ્ધિમાં મૂકાયું છે. આ વાતને આજે ત્રણ દસકા કરતાં અધિક સમય પસાર થઈ ગયો છે પણ બીજા ભાગ પ્રકાશિત થયા જણાતા નથી-કદાચ એ તૈયાર જ નહિ કરાયા હશે. તિ. સૂ. ઉપર પ્રભુદાસ પારેખની સારબોધિની ગુજ. ટીકા સાથે બે ભાગમાં શ્રેયસ્કર મંડળ મહેસાણાથી વિ. સં. ૨૦૧૩માં પ્રસિદ્ધ છે.] આ પ્રકાશનના પ્રારંભમાં મોટા અક્ષરે ગુજરાતી લિપિમાં સંપૂર્ણ ત. સૂ. અપાયું છે. ત્યાર બાદ બાળબોધમાં સંબંધકારિકાપૂર્વક પ્રથમ અધ્યાય પૂરતું આ ભાષ્ય છે. એના પછી “ગુર્જર ભાષા-પર્યાય'ના નામ સંબંધકારિકાનો અનુવાદ છે. ત્યાર પછી ત. સૂ.ના અધ્યાય ૧નું એકેક સૂત્ર આપી એનો અને એને અંગેના ભાગનો ગુજરાતીમાં અનુવાદ ટિપ્પણના અંકપૂર્વક અપાયો છે. એના પછી “રહસ્ય-પરિમલ'ના નામે ટિપ્પણો અપાયાં છે. એમાં કેટલીક વાર શ્રદ્ધાનો અતિરેક નજરે પડે છે. એ વાત તેમ જ કેટલાક મુદ્રણદોષો અને વિરામચિહ્નોની રજૂઆત બાબત બાજુ ઉપર રાખીએ તો પ્રયાસ એકંદર પ્રશંસાપાત્ર ગણાય. સ્વિોપજ્ઞભાષ્ય અન ત, સૂ. ૫. અક્ષયચન્દ્રસાગરના ભાવાનુવાદ સાથે શારદાબેન ચી. એ. સેંટર અમદાવાદથી પ્રસિદ્ધ છે. આ. સુશીલસૂરિજી અને મુનિ દીપરત્નસાગરજીના વિવેચનો પ્રગટ થયેલા છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy