SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ મરણ થતું નથી. એક વેળા બાંધેલું આયુષ્ય તૂટે—ઓછું થઈ શકે એ વાત કેવી રીતે ઘટે તેનો વિચાર આ ભાષ્યમાં ત્રણ ઉદાહરણો દ્વારા કરાયો છે : (૧) ભીના વસ્ત્રનું સુકાવું. (૨) સૂકા ઘાસનું દહન અને (૩) ગણિતની પ્રક્રિયા. આ પૈકી પહેલાં બે ઉદાહરણ તો યોગસૂત્ર (૩, ૨૨)ના ભાષ્યમાં પણ જોવાય છે. ત્રીજું ઉદાહરણ જે ગણિતવિષયક છે તેમાં ગુણકાર (ગુણાકાર) અને ભાગવાર (ભાગાકાર)નો ઉપયોગ સંખ્યાનાચાર્ય અર્થાત્ ગણિતજ્ઞ કરણના લાઘવાર્થે કરે છે એ વાત કહી છે. ગણિતજ્ઞતા– વાચક ઉમાસ્વાતિ ગણિતજ્ઞ છે એ વાતની ઝાંખી ઉપર્યુક્ત ગણિતવિષયક ઉદાહરણથી P ૧૮ થાય છે. વિશેષ પ્રતીતિતો એમણે અ. ૩, સૂ. ૧૧ના ભાગ્ય (પૃ. ૨૫૮)માં જે વર્તુલનાં પરિધિ, ક્ષેત્રફળ ઇત્યાદિને અંગે આપેલાં નીચે મુજબનાં સાત 'કરણસૂત્રો (formulas) વિચારતાં જણાય છે. : (૧) વૃત્તનો એટલે કે વર્તુળનો પરિક્ષેપ એ વિખંભની કૃતિને અર્થાત્ એના વર્ગને દસે ગુણતાં જે રકમ આવે તેના (વર્ગ)મૂળની બરાબર છે. (૨) ગણિત અર્થાત્ ક્ષેત્રફળ એ વૃત્તના પરિક્ષેપને એક ચતુર્થીશ વિખંભ વડે ગુણવાથી નિષ્પન્ન થાય છે. (૩) વિખંભમાંથી ઇચ્છિત "અવગાહ બાદ કરતાં જે રહે તેને એ ઇચ્છિત અવગાહ વડે ગુણી ચાર ગણા કરી એનો વર્ગમૂળ કાઢતાં જે આવે તે જ્યા યાને જીવાનું માપ છે. P ૧૯ (૪) વિધ્વંભ અને જ્યા એ બંનેના વર્ગ વચ્ચેના તફાવતનો વર્ગમૂળ વિખંભમાંથી બાદ કરતાં જે રહે તેનાથી અડધો તે “ઇષ છે. (૫) ધનુષ્કાષ્ઠ એ ઇષના વર્ગને છ ગણો કરી અને એમાં જ્યાનો વર્ગ ઉમેરી જે સંખ્યા આવે તેના વર્ગમૂળની બરાબર છે. (૬) વિખંભ એ યાના વર્ગને ચારે ભાગી તેમાં ઈર્ષાનો વર્ગ ઉમેરતાં જે સંખ્યા આવે તેને ઇષ વડે ભાગવાથી નિષ્પન્ન થાય છે. (૭બાહુ અર્થાત્ બે સમાનાંતર જયાની વચ્ચેનો પરિઘ તે અનુરૂપ ધનુષ્કાષ્ઠોના તફાવતથી અડધો છે. આ કરણ-સૂત્રો અંગ્રેજી પરિભાષામાં નીચે મુજબ દર્શાવી શકાય : ૧. આ કારણસૂત્રો મેં ત. સૂ.ની સિદ્ધસેનીય ટીકાવાળી મારી આવૃત્તિના બીજા ભાગના અંગ્રેજી ઉપદ્યાત (પૃ. ૪૧)માં આપ્યાં છે. ૨. આને અંગ્રેજીમાં સર્કલ' (Circle) કહે છે. ૩. પરિક્ષેપ' કહો કે પરિધિ કહો તે એક જ છે. એનો અર્થ ‘પરિઘ' યાને વર્તુલનો ઘેરાવો થાય છે. એને અંગ્રેજીમાં “સર્કમ્ફરન્સ' (cirumference) કહે છે. ૪. આનો અર્થ ‘વ્યાસ' છે. એ વર્તુળના મધ્ય બિંદુમાંથી પસાર થઈ એના પરિઘને બંને બાજુએ અડકતી સીધી લીટી છે. એને અંગ્રેજીમાં ‘ડાયમીટર (diameter) કહે છે. ૫. આને અંગ્રેજીમાં “એરિયા (area) કહે છે. દ. આને અંગ્રેજીમાં ? કહે છે. 3. આને અંગ્રેજીમાં ‘કોર્ડ (chord) કહે છે. ૮. આને અંગ્રેજીમાં એરો (arrow) કહે છે. ૯. આને અંગ્રેજીમાં “આર્ક' (arc) કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy