SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ P ૧૧ વાચક ઉમાસ્વાતિ છે. એઓ “કભીષણ ગોત્રના સ્વાતિના પુત્ર થાય છે. એમની માતા વાત્સી' ગોત્રની હતી. એમનો જન્મ જોયિકામાં થયો હતો. એમણે પશિવશ્રીના શિષ્ય અને અગિયાર અંગના ધારક ઘોષનદિ ક્ષમણ પાસે દીક્ષા લીધી હતી અને મહાવાચક મુંડાદ ક્ષમણના શિષ્ય મૂલની પાસે એમણે અભ્યાસ કર્યો હતો. આમ ઘોષનદિ એ એમના દીક્ષાગુરુ થાય છે અને મૂલ એ વિદ્યાગુરુ થાય છે. એમની શાખાનું નામ ‘ઉચ્ચ-નાગર’ છે. સંપ્રદાય- ત. સૂ.માં તેમ જ એના સ્વપજ્ઞ ભાષ્યમાં એવી કેટલીક બાબતો છે કે જે પ્રચલિત શ્વેતામ્બરીય તેમ જ દિગમ્બરીય માન્યતાથી ભિન્ન છે. આથી પં. નાથુરામ પ્રેમી જેવા તો ઉમાસ્વાતિને યાપનીય માનવા પ્રેરાયા છે. અહીં એ ઉમેરીશ કે ત. સૂ.ની રચના શ્વેતામ્બરોને દિગમ્બરો કરતાં પુષ્કળ પ્રમાણમાં અનૂકુળ છે એટલે એને શ્વેતામ્બર અને દિગમ્બર કૃતિ પૈકી ગમે તે એક જ કહેવાની હોય તો શ્વેતામ્બરીય ગણવી પડે. તેમ છતાં એ આનંદનો વિષય છે કે દિગમ્બરો પણ આ કૃતિ તરફ ખૂબ આદરભાવ સેવે છે-અરે કેટલાક દિગમ્બરો તો એનો પાઠ કરનારને એક ઉપવાસનું ફળ મળે છે એમ માને છે. ['તત્વાર્થસૂત્ર ઔર ઉસક્ક પરમ્પા' ડૉ. સાગરમલ. પ્રગટ થયું છે.] સમય- વિદ્યાવારિધિ ઉમાસ્વાતિના સમય વિશે પણ એમના સંપ્રદાયની જેમ મતભેદ છે. કોઈ કોઈ એમને વીરસંવત્ ૩૫૦ની આસપાસમાં થયેલા માને છે તો કેટલાક એમને વિક્રમની ત્રીજી-ચોથી સદીમાં થયેલા માને છે. બાકી મોટો ભાગ તો એમને વિક્રમની પ્રથમ સદીમાં થઈ ગયાનું કહે છે. “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ ઉમાસ્વાતિને ઉત્તમ સંગ્રહકાર કહ્યા છે. કેટલાક શ્વેતામ્બર ગ્રંથકારોની માન્યતા મુજબ આ ઉમાસ્વાતિ પાંચસો પ્રકરણોના પ્રણેતા છે. એ ગમે તે હો. આજે તો એમની કૃતિ તરીકે ગણાવાતા એવા બહુમાં બહુ આઠ ગ્રંથો જ મળે છે. એ પૈકી નિમ્નલિખિત ગ્રંથો એમની જ કૃતિઓ છે એવું મારું સચોટપણે માનવું છે :-- ૧. એક દિગંબર શિલાલેખમાં ઉમાસ્વાતિને “શ્રુતકેવલદેશીય' કહ્યા છે. ૫. કેટલાક દીગંબરો એમને ‘ઉમાસ્વામી' કહે છે. છખંડાગમને અંગેની ધવલા નામની ટીકા (ભાગ ૪, પૃ. ૩૧૬)માં તત્ત્વાર્થસૂત્રને વચ્ચત્યસુત્ત અને એના પ્રણેતાને ગિદ્ધપિચ્છારિયા (વૃદ્ધપિચ્છાચાર્ય) કહ્યા છે. ૩. ધર્મસાગરીય પટ્ટાવલી પ્રમાણે પણવણાના કર્તા શ્યામાચાર્ય કે જેઓ વીરસંવત્ ૩૭૬માં સ્વર્ગ સંચર્યા તેમના ગુરુ સ્વાતિ તે જ ઉમાસ્વાતિ છે પણ આ વાત ભ્રાન્તિમૂલક જણાય છે. ૪. એનું નામ ઉમા હશે. પં. નાથુરામ પ્રેમીનો “વાવ ઉમાસ્વાતિ સમાગ તત્ત્વાર્થસૂત્ર ઔર ૩ના સંપ્રદાય'નામનો જે લેખ ભારતીય વિદ્યા” (ખંડ ૩, પૃ. ૧૨૫-૧૫૧)માં છપાયો છે તેમાં પૃ. ૧૩૮-૯માં એમણે એમ કહ્યું છે કે શિવશ્રી તે ભગવતી આરાધનાના કર્તા શિવાર્ય હશે અને મૂલ તે ભૂલનજિ હશે. 9. દિગંબરોના મતે ઉમાસ્વાતિ એ આચાર્ય કુંદકુંદના શિષ્ય થાય છે. ૮. જુઓ ત. સૂ. (ભાગ ૨)ની મારી સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૨૫-૨૭). આ વિષય આગમોદ્ધારકે શ્રીતત્ત્વાર્થતમૂર્તાિનિય યાને શ્રીતત્વાર્થસૂત્ર છે કે શ્વેતાંબર હૈ યા લિવર ? એ નામના હિંદી નિબંધમાં ચર્ચો છે. આ નિબંધ “28. કે. વે. સં." તરફથી વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ થયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy