SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [27] શિલાલેખો કરતાં ધાતુ ઉપરના લેખો વધારે સમય સુધી સચવાઇ રહે છે. ઐતિહાસિક દૃષ્ટિએ તામ્રપત્રોનું મૂલ્ય શિલાલેખો અને પ્રતિમા ઉપરના લેખો કરતાં વિશેષ ગણાય છે કેમકે એ ધાર્મિક બાબતો ઉપરાંત સામાજીક અને રાજકીય હકીકતો ઉપર પણ પ્રકાશ પાડે છે પરંતુ કોણ જાણે કેમ એ પુષ્કળ પ્રમાણમાં હજી સુધી તો મળી આવ્યાં નથી. જૈન તામ્રપત્રોનો મોટો ભાગ દક્ષિણ ભારત સાથે એટલે કે દિગંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે જ્યારે શ્વેતાંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવનારાં તામ્રપત્રો તો હજી સુધી બહુ જ થોડાં મળ્યાં છે. ૨૭ ધાતુની પ્રતિમા ઉપરના લેખો મોટે ભાગે એની પાછળના ભાગમાં કોતરાયેલા જોવાય છે અને એની સંખ્યા સેંકડોની છે. આ લેખો સંક્ષિપ્ત હોઈ એમાં થોડી જ વિગતો અપાયેલી હોય છે અને એથી કરીને તો એમાં શિલાલેખોની જેમ વૈવિધ્ય જણાતું નથી. પ્રતિમાના લેખોમાં સાધારણ રીતે જે તીર્થંકરની પ્રતિમા હોય તેમનું નામ, પ્રતિષ્ઠા કરાવનારનું નામ, પ્રતિમા કરાવનારનું નામ અને સાથે સાથે એનાં જ્ઞાતિ, ગોત્ર અને પુત્રાદિનાં નામ, નગરનું (અને ગામ હોય તો તેનું) નામ અને પ્રતિષ્ઠાનું વર્ષ એ વિગતો હોય છે. આ લેખો સાર્વજનિક ઇતિહાસ માટે વિશેષતઃ ઉપયોગી ન ગણાય એ સ્વાભાવિક છે પરંતુ એ પ્રાચીન સમયના જૈન મુનિવરો અને કુટુંબોની નામાવલી અને એમના સમય ઉપર પ્રકાશ પાડે છે એટલે જૈન ઈતિહાસ માટે તો મહત્ત્વના છે જ. આથી એનું પ્રકાશન આવશ્યક અને આવકારદાયક છે પરંતુ એ ગમે તેવી રીતે પ્રકાશિત થાય-પૂરી કાળજી અને આવડત વિના પ્રકાશિત થાય તો એથી જૈન ઈતિહાસને હાનિ પહોંચે-એ વિના કારણ વિકૃત બને. કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત-૨. તા. ૧૮-૫-’૬૯ પુરવણી–અંતમાં જે પુરવણી મેં આપી છે તે તો પ્રસ્તુત પુસ્તકનું કલેવર ઘણું વધી ગયું હોવાથી નામમાત્રની આપી છે. બાકી ખરી પુરવણી આપવી હોય તો સૌથી પ્રથમ તો જે મહત્ત્વના સંસ્કૃત ગ્રન્થો-મુદ્રિત તેમ જ અમુદ્રિત વિષે સંક્ષિપ્ત પરિચય પણ આ ત્રણ વિભાગમાંથી એકેમાં અપાયો નહિ હોય તે આપવો જોઈએ, જો કે તેમ કરવા માટે સમૃદ્ધ પુસ્તકાલયની તેમ જ તંદુરસ્ત તબિયતની અપેક્ષા રહે છે. આ કાર્ય ઉપરાંતનું કાર્ય તે આ ત્રણ વિભાગમાં જે જે ગ્રન્થો વિષેની માહિતીમાં મહત્ત્વની જે બીનાઓ ઉમેરવી રહી ગઈ હોય તેને સ્થાન આપવાનું છે. આ ન્યૂનતાઓ દૂર કરવા માટે તેમ જ મારા લખાણમાં જે ક્ષતિઓ જણાતી હોય તે સૂચવવા સહૃદય સાક્ષરો જો વહેલામોડા પણ કટિબદ્ધ થશે તો જૈન સાહિત્યની એ ઉત્તમ સેવા કાર્યના યશના તેઓ ભાગી બનશે અને જૈન સંસ્કૃત સાહિત્યના ગૌરવમાં-જયજયકારમાં વિશિષ્ટ વૃદ્ધિ થશે. Jain Education International હીરાલાલ ૨. કાપડિયા ૧. આગમોદ્ધારક આનંદસાગરસૂરિજીએ ૪૫ આગમોને સુરતમાં આગમમંદિરમાં તામ્રપત્રારૂઢ કરાવ્યાં છે. એમણે એ પૂર્વે એ આગમોને તેમ જ તત્ત્વાર્થસૂત્ર વગેરેને સિદ્ધાચલ ક્ષેત્રમાં શિલારૂઢ કરાવ્યાં હતાં. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy