SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [19] કહેવાની મતલબ એ છે કે મોક્ષ સાથેના જોડાણમાં સર્વ પ્રકારના શુદ્ધ ધાર્મિક વ્યાપાર ‘યોગ’ છે તો પણ અહીં વિશેષતઃ સ્થાન ઇત્યાદિ સંબંધી ધર્મવ્યાપારને જ ‘યોગ' જાણવો. ઉપોદ્ઘાત આ. હરિભદ્રસૂરિએ મુક્તિ સાથે જોડનાર ધાર્મિક વ્યાપાર તે ‘યોગ’ એમ જે વ્યાખ્યા કરી છે તેને એમના પછીના જૈન ગ્રંથકારો અનુસર્યા છે. ૧૯ આત્માની સ્વાભાવિક સર્વ શક્તિઓનો પૂર્ણ વિકાસ જે ક્રિયા દ્વારા થાય તે જ્યારે ‘યોગ’ કહેવાય છે તો આત્માની ઉન્નતિ સાથે સંબંધ ધરાવનાર ‘અધ્યાત્મ’ એ એક રીતે યોગનો પર્યાય ગણાય. યોગને અંગેનું સાહિત્ય– ભારતીય સાહિત્યની કોઈ પણ શાખાનું ધ્યેય મોક્ષની પ્રાપ્તિ હોવાથી અને પ્રાચીન સમયથી લોકોની યોગ તરફ અભિરુચિ હોવાથી ભારત' વર્ષમાં જેટલી આધ્યાત્મિક વ્યક્તિઓ-જેટલા યોગીઓ થયા છે એનાથી બહુ જ અલ્પ સંખ્યામાં અન્યત્ર યોગીઓ થયા છે એટલે યોગનું ક્ષેત્ર જેટુલં ઊડું અને વ્યાપક સ્વરૂપે પરાપૂર્વ કાળથી અહીં ખેડાયું છે તેટલું અને તેવું અન્યત્ર ખેડાયું નથી. આત્માનું અસ્તિત્વ સ્વીકારનાર એકાત્મવાદી કે અનેકાત્મવાદી હોઈ શકે છે અને એ રીતે યોગના નિરૂપણ માટે બે માર્ગ પડે છે. બ્રહ્મવિદ્યા ઈત્યાદિ કેટલાંક ઉપનિષદો, યોગવાસિષ્ઠ, હઠયોગપ્રદીપિકા વગેરે એકાત્મવાદને લક્ષીને રચાયા છે જ્યારે મહાભારતનું યોગ-પ્રકરણ, પતંજલિનું યોગદર્શન તેમ જ જૈનોનું અને બૌદ્ધોનું યોગવિષયક સાહિત્ય અનેકાત્મવાદને અનુલક્ષીને રચાયું છે. તત્ત્વજ્ઞાન જ્યાં સુધી ક્રિયાત્મક બને નહિ ત્યાં સુધી એ કોરી તત્ત્વવિચારણા શા કામની ? સમ્યક્ચારિત્ર વિના એ શોભે નહિ. આ ચારિત્ર એ યોગનું અને એક રીતે યોગાંગોનું સંક્ષિપ્ત નામ છે. આથી પૂર્વમીમાંસા સિવાયનાં વિવિધ દર્શનોનાં સૂત્રોમાં સાધનરૂપે યોગની ઉપયોગિતા દર્શાવાઇ છે. જેમકે ૧. દા.ત. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ જોગવીસિયા (ગા. ૧)ના વિવરણમાં નીચે મુજબ અવતરણ આપ્યું છે. “प्रणिधानादिभावेन परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारः सानुबन्धत्वाद् योग. " આનો અર્થ એ છે કે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્ન-જય, સિદ્ધિ અને વિનિયોગ એ પાંચ ભાવોથી પરિશુદ્ધ એવો સર્વ જાતનો પણ ધર્મવ્યાપાર અનુબંધને લઈને ‘‘યોગ” છે. પાતંજલ યોગદર્શન (૧-૨)ની વ્યાખ્યામાં યશોવિજયગણિએ યોગનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે. "समितिगुप्तिसाधारणधर्मव्यापारत्वमेव योगत्वम्” આનો અર્થ એ છે કે જે ધર્મવ્યાપારને એટલે કે સ્વભાવને યાને ચેતનાને અભિમુખ સમિતિ અને ગુપ્તિરૂપ ક્રિયા છે તે ‘યોગ’ છે. ૨. જે કોઈ આધ્યાત્મિક વિકાસ સાધે તે યોગી બને. આ વિકાસ સાધવામાં કોઈ દેશ, કાળ, જાતિ કે ધર્મ આડે આવે તેમ નથી. ૩. આનાં વૈરાગ્ય, મુમુક્ષુ-વ્યવહાર, ઉત્પત્તિ, સ્થિતિ, ઉપશમ અને નિર્વાણ એ છ પ્રકરણો યોગવિષયક પુષ્કળ સામગ્રી પૂરી પાડે છે. યોગદર્શનમાં જે બાબતો સંક્ષેપમાં છે તેનો અહીં ખૂબ જ વિસ્તાર છે અને એ દૃષ્ટિએ યોગવાસિષ્ઠ યોગનો ગ્રંથરાજ ગણાય. ૪. જુઓ શાન્તિપર્વ અને અનુશાસનપર્વ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy