SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [18] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ ૩ છે. એ બાર જયોનું નિરૂપણ પૂરું પાડે છે એટલું જ નહિ પણ ભારતીય દર્શનોના અભ્યાસ માટેનું ઘણા મહત્ત્વનું સાધન છે. ન્યાયાચાર્ય નયોને લક્ષીને મનનીય કૃતિઓ રચી છે. જુઓ પૃ. ૬પ-૬૭. અનેકાન્તજયપતાકા એ અનેકાન્તવાદનાં સ્પષ્ટીકરણોમાં અને બૌદ્ધોના આક્ષેપોના પ્રતિકારમાં અગ્ર સ્થાન ભોગવે છે. એ વિષયનો અંતિમ પરંતુ મનનીય ગ્રન્થ તે ન્યાયાચાર્યકૃત અનેકાન્તવ્યવસ્થા છે. એ નવ્ય ન્યાયની ઝલકથી શોભતો ગ્રન્થ ભારતીય દર્શનો ઉપર પણ પુષ્કળ પ્રકાશ પાડે છે. યોગવિમર્શ “યોગ' શબ્દની નિષ્પત્તિ અને એના અર્થ- સંસ્કૃત ભાષામાં બે યુન્ ધાતુ છે એ પૈકી એક ચોથા ગણના છે અને બીજો સાતમા ગણનો છે. યુન્ ધાતુને “ધર્ પ્રત્યય લગાડતાં યોગ' શબ્દ બને છે. પહેલાનો અર્થ “સમાધિ' અર્થાત્ “મનની સ્થિરતા અને બીજાનો જોડવું' એમ થાય છે. યોગના ઉપર્યુક્ત બે અર્થ ઉપરાંત એના અન્ય અનેક અર્થો પ્રસંગ અને પ્રકરણ અનુસાર કરાય છે પરંતુ અહીં તો ઉપર્યુક્ત બે જ અર્થ પ્રસ્તુત છે. પંતજલિએ યોગદર્શન (પા. ૧)ના નિમ્નલિખિત બીજા સૂત્રમાં યોગનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે. “થોશ્ચત્તવૃત્તિનિરો:” આમ આ મહર્ષિએ ચિત્તની વૃત્તિના વિરોધને “યોગ’ કહ્યો છે. આથી ચિત્તની ભવોત્પાદક અને ભવાભિમુખ વૃત્તિઓ ઉપર કાબુ મેળવવો તે “યોગ' છે એમ ફલિત થાય છે. આથી મુક્તિ મેળવવામાં સહાયક ક્રિયા-ધાર્મિક પ્રવૃત્તિ તે ‘યોગ” છે એમ કહી શકાય. જે પ્રવૃત્તિ સંસારી આત્માને મોક્ષ સાથે જોડી આપે તે યોગ છે. એ આનો મથિતાર્થ થયો. આ હકીકત હરિભદ્રસૂરિએ યોગબિન્દુના નિમ્નલિખિત પદ્યમાં કહી યોગદર્શનગત યોગનાં લક્ષણો સાથે એકવાક્યતા સાધી છે. "अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः । મોક્ષે | યોગનાન્ યોગ પણ શ્રેષ્ઠ અથોત્તરમ્ !” આનો અર્થ એ છે કે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિઓનો ક્ષય એ મોક્ષ સાથે જોડનાર છે એટલે એ બધાં યોગ છે પરંતુ ઉત્તરોત્તર એકેકથી ચડે છે. આ હકીકત એમણે જોગવીસિયાના આદ્ય પદ્યમાં નીચે મુજબ દર્શાવી છે. "मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ ठाणाइगणो विसेसेणं ॥१॥" ૧. યોગને લગતી વૈદિક વગેરે કૃતિઓની વિસ્તૃત સૂચી થિઓડોરે આઉફેક્ટ (Aufrecht) કૃત કેટેલોગસ કેટેલોગોરમ (Catalogus Catalogorum)ના Vol. 1, pp. 477-481માં આપી છે. આ ‘લાઈન્સિગથી ઈ.સ. ૧૮૯૧માં છપાયેલ છે. ૨. સરખાવો હૈમ ધાતુપાઠ : “યુનિવૂ સમાધી અને “યુઝંપી યો.' ૩. જુઓ “લોકમાન્ય તિલકકૃત ગીતારહસ્ય (પૃ. ૫૫-૬૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy