SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત [17] ૧૭ બાબતોમાંથી એક તે કર્મનો સિદ્ધાન્ત છે. એના નિરૂપણાર્થે જૈન ગ્રંથકારોએ પુષ્કળ અને પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. એ સાહિત્યનું સર્જન ચરમ તીર્થંકર મહાવીરસ્વામીના સમયથી તો હાથ ધરાયું છે જ અને આજે પણ એ એક રીતે ચાલુ છે. આને લઈને આપણને આ વિષયને અંગે નાના મોટા સ્વતંત્ર ગ્રંથો મળે છે પરંતુ પાઇય ભાષામાં જેવા મહત્ત્વના અને મનનીય ગ્રંથો યોજાયા છે તેના પ્રમાણમાં 'સંસ્કૃતમાં એવું સ્વતંત્ર કાર્ય બહુ જ ઓછા પ્રમાણમાં થયેલું જોવાય છે. બાકી વિવરણાત્મક સાહિત્ય તો સંસ્કૃતમાં પુષ્કળ પ્રમાણમાં રચાયું છે અને એ ઉપલબ્ધ પણ છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ. ૮)માં કર્મના સિદ્ધાન્તને અંગે કેટલાંક સૂત્રો છે. આ દિશામાં પ્રયાસ કરવા માટેની ભૂમિકા પૂરી પાડે છે તેમ છતાં સંસ્કૃત સૂત્રરૂપે કોઈ પ્રાચીન કૃતિ રચાયેલી જણાતી નથી. આગમોદ્ધારકે એક નાનકડી કૃતિ યોજી છે પણ તે પણ અપ્રસિદ્ધ છે. ઉપલબ્ધ પદ્યાત્મક સંસ્કૃત લખાણ તરીકે કર્મના સિદ્ધાન્તનું નિરૂપણ પૂરું પાડનારી ચાર સંસ્કૃત કર્મગ્રંથો તરીકે ઓળખાવાતી કૃતિનો નિર્દેશ થઈ શકે તેમ છે. અહીં હું એ વાત ઉમેરીશ કે ત. સૂ.ની ભાષ્યાનુસારિણી સિદ્ધસેનીય ટીકામાંનાં આર્યામાં કર્મવિષયક અવતરણો જોતાં જણાય છે કે મોડામાં મોડી સાતમા-આઠમા સૈકામાં કર્મ સંબંધી કોઈ કૃતિ સંસ્કૃતમાં રચાઈ હશે. જો તેમ જ હોય તો પણ એ અત્યારે તો અપ્રાપ્ય છે. લોકપ્રકાશ ચારે અનુયોગોની ન્યૂનાધિક માહિતી પૂરો પાડનારો એક રીતે અનન્ય ગણાતો જૈન વિશ્વકોશ છે. જ્ઞાનને લક્ષીને સંસ્કૃતમાં રચાયેલી સ્વતંત્ર કૃતિ તરીકે ન્યાયાચાર્ય યશોવિજયગણિની કૃતિઓ જણાય છે. આ પ્રમાણે દર્શનમીમાંસાનું વિહંગાવલોકન પૂર્ણ કરી હવે હું જૈન ન્યાયવિષયક કૃતિઓ વિષે થોડુંક કહીશ. જૈન ન્યાયમાં પ્રમાણ ઉપરાંત નય અને અનેકાન્તવાદનો ઉલ્લેખ જોવાય છે. આ વિષયના શ્રીગણેશ સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતારની રચનાથી મંડાયા છે. અકલંકે તેમજ વાદી દેવસૂરિએ આ વિષયનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. નવ્ય ન્યાયને હર્ષનન્દને અને વિશેષતઃ ન્યાયાચાર્યે પોતપોતાની કૃતિમાં સ્થાન આપ્યું છે. નયોને અંગેની નય પ્રામૃત, નયાવતાર, સપ્તશતારનયચક્ર અને શતારનયચક્રાધ્યયન નામના ગ્રન્થો તેમજ ‘‘વિધિનિયમ'' થી શરૂ થતી ગાથાનું ભાષ્ય અદ્યાપિ મળી આવેલ નથી. આથી આ વિષયનો ઉપલબ્ધ અને મનનીય ગ્રન્થ તે સિંહસૂરવાદિગણિ ક્ષમાશ્રમણની ઉપર્યુક્ત ભાષ્ય ઉપરની મહાકાય ટીકા ૧. ગુજરાતી ભાષામાં પણ કર્મના સિદ્ધાન્તનો ઊંડો અને વ્યાપક બોધ તુલનાત્મક દૃષ્ટિએ કરાવે એવો એકે ગ્રંથ સ્વતંત્ર સ્વરૂપે રચાયેલો જણાતો નથી. આથી હું વર્ષો થયાં એ કાર્ય હાથ ધરવાની ભાવના સેવું છું અને એને મૂર્ત સ્વરૂપ મળે એથી તો મે એની એક યોજના ઘડી એ જૈન જગત્ સમક્ષ કર્મમીમાંસાનું આયોજન' નામના લેખરૂપે રજૂ કરી છે. આ લેખ જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૬૭, અં. ૧)માં છપાયો છે. ૨ (ઇ. ભાગ-૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy