SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પવૃંદ 8: મવશિષ્ટ સાહિત્ય' P ૩/૪ પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો પાંચ ભક્તિ (પૂ. વિક્રમની છઠ્ઠી સદી)-જૈનેન્દ્ર વ્યાકરણ વગેરે રચનારા પૂજ્યપાદે નિમ્નલિખિત બાર કૃતિઓ પૈકી પહેલી પાંચ રચ્યાનું મનાય છે : (૧) સિદ્ધભક્તિ, (૨) શ્રતભક્તિ, (૩) ચારિત્રભક્તિ, (૪) યોગિભક્તિ, (૫) આચાર્યભક્તિ, (૬) પંચગુરુભક્તિ, (૭) તીર્થંકરભક્તિ, (૮) શાન્તિભક્તિ., (૯) સમાવિભક્તિ, (૧૦) નિર્વાણભક્તિ, (૧૧) નન્દીશ્વરભક્તિ અને (૧૨) ચૈત્યભક્તિ'. આની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે – ૧૦ (૯+૧), ૩૦, ૧૦, ૧૮, ૧૧, ૧૧, ૫, ૧૫, ૧૮, ૩૨, ૬૦ અને ૩૫. P. ૩/૫ (૧) સિદ્ધભક્તિ–આમાં સિદ્ધના ગુણો, મુક્તિનું સ્વરૂપ, જૈન દષ્ટિએ આત્માને સ્વયંભૂ બનવાનો અને સિદ્ધ થવાનો માર્ગ, સિદ્ધોનું સુખ, સિદ્ધ આત્મનું પરિમાણ અને સિદ્ધોને વન્દન એમ વિવિધ બાબત તાર્કિક દૃષ્ટિએ રજૂ કરાઇ છે. (૨) શ્રુતભક્તિ-આમાં પાંચ જ્ઞાનોની સ્તુતિ, મતિજ્ઞાનના ભેદ, વિવિધ જાતના બુદ્ધિ, શ્રુતજ્ઞાનના વીસ તેમજ બાર પ્રકારો, દૃષ્ટિવાદના પ્રકારો અને ઉપપ્રકારો, કર્મપ્રકૃતિના ૨૪ અનુયોગો, તેમજ ૧૪ પ્રકણકોને સ્થાન અપાયું છે. (૩) ચારિત્રભક્તિ-આમાં જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું સ્વરૂપ વર્ણવી એ પાળનારા મુનિઓને વંદન કરાયું છે. ચારિત્રપાલનને અંગેની દોષાની આલોચના કરાઈ છે. અને સુતપશ્ચર્યાથી ઉદ્ભવતી સાત ઋદ્ધિનો બાંધે ભારે ઉલ્લેખ કરાયો છે. (૪) યોગિભક્તિ–આમાં મુનિઓનો વનવાસ, ગ્રીષ્મમાં તીવ્ર તાપનું સહન તેમજ વર્ષા ઋતુમાં વૃક્ષ નીચે અને શિયાળામાં ચતુષ્પથ ઉપર બેસવું એમ ત્રણ યોગનું મુનિઓએ ધારણ કરવું એ બાબતો ને ૩૦૬ નિર્દેશાઇ છે. (૫) આચાર્યભક્તિ–આમાં આચાર્યના વિવિધ ગુણો ગણાવી એમને પ્રણામ કરાયા છે. ૧. આ બારે ભક્તિ (પ્રાકૃત કંડિકા અને ક્ષેપક શ્લોક સહિત અથવા એ વિના) અન્વય તેમજ હિન્દી અન્વયાર્થ અને ભાવાર્થ સહિત દેશભત્યાદિસંગ્રહમાં પૃ. ૯૬-૧૪૩માં છપાઈ છે. સંસ્કૃત ભક્તિની સાથે સાથે આઠ પાઇય ભત્તિ (ભક્તિ) પણ છે. આ પુસ્તક “અખિલ વિશ્વ જૈન મિશન” તરફથી સલાલ (સાબરકાંઠા)થી વીરસંવત્ ૨૪૮૧માં પ્રસિદ્ધ કરાયું છે. વિશેષમાં મૂળ કૃતિ પ્રભાચન્દ્રની સંસ્કૃત ટીકા નામે ક્રિયાકલાપ તેમજ એ જિનદાસના મરાઠી અનુવાદ સહિત સોલાપુરથી ઇ. સ. ૧૯૨૧માં છપાવાઈ છે. એ ક્રિયાકલાપ (પૃ. ૬૧)માં સંસ્કૃત ભક્તિ પૂજ્યપાદ અને પ્રાકૃત ભક્તિઓ કુન્દકુન્દ્રાચાર્યે રચ્યાનો ઉલ્લેખ છે. ૨. ગ્લો. ૧ અને ૭ ‘દ્વિપદી' છંદમાં અને ગ્લો. ૨ અને ૬ “ભદ્રિકા' છંદમાં છે. ૩. પ્રથમ પદ્ય પાઇયમાં છે. ૪. આ બીજા પુલ્વના “અવનલબ્ધિ” નામના પાંચમા અધિકારનો ચોથો અધ્યાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy