SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન : પ્રિ. આ. ૨૯૬-૩00] ૧૬૧ 'વૃતિ- આ વિ. સં. ૧૭૯૩માં રચાયેલી વૃત્તિના કર્તા મહિમપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ છે. અનુવાદ– પ્રતિમાશતકનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. સીમધરસ્વામીનું જે દોઢસો ગાથાનું સ્તવન રચાયું છે તે પ્રતિમાશતકની છાયારૂપ છે. ભાવપ્રભસૂરિકૃત વૃત્તિનો પણ અનુવાદ થયેલો છે. આ બંને અનુવાદ (ભાષાંતર)ના કર્તા મુળચંદ નથુભાઈ વકીલ છે. [૫. અજિતશેખરવિ. ગણિનો ગુજ. અનુવાદ દિવ્યદર્શન દ્વારા પ્રસિદ્ધ થયો છે.] પ્રતિમાશતક અને એની બે વૃત્તિઓ ઇત્યાદિ વિષે મેં યશોદોહન (પૃ. ૧૨, ૧૪, ૫૩, ૫૮, ૭૮, ૮૧, ૮, ૧૬૨, ૧૯૬, ૨૨૫, ૨૪૨, ૨૪૫, ૨૪૭, ૨૫૦-૨૫૨, ૨૫૫ અને ૨૬૧)માં માહિતી આપી છે. "પ્રતિમા-સ્થાપન-ન્યાય- આના કર્તા તરીકે ન્યાયાચાર્ય યશોવિજયગણિનો ઉલ્લેખ કરાય છે. P ૨૯૯ આ મુદ્રિત કૃતિની શરૂઆત “પૂનાં”એવા પ્રતીકથી કરાઈ છે. પ્રારંભમાં બહુમતાં, તાં, સૂત્રોમાં ઇત્યાદિના પર્યાય અપાયા છે. એ જોતાં આ કોઇક કૃતિનું વિવરણ છે એ વાત ફલિત થાય છે. પત્ર ૧૮માં નામમાલામાંથી એક અવતરણ અપાયું છે. સમગ્ર વિવરણ તાર્કિક વિચારસરણીતી ઓતપ્રોત છે. જિનપૂજા-મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે આ કૃતિ રચાઈ હોય એમ લાગે છે. એનું આ વિવરણ અપૂર્ણ મળ્યું છે. એની શરૂઆતનો પણ થોડોક ભાગ નાશ પામ્યો હોય એમ લાગે છે કેમકે પ્રારંભમાં મંગલશ્લોક જેવું કશું નથી. તેમ છતાં “સુથાનવોડ શ્રેયાન” અર્થાત્ અમૃતનો અંશ પણ શ્રેયસ્કર છે એ ન્યાયનો અવલંબી આનું પ્રકાશન કરાયું છે તે સમુચિત ગણાય. જૈ. ગ્રં. (પૃ. ૧૦૫)માં આ વિવરણની નોંધ છે. એ ઉપરાંત આની કોઈ હાથપોથી વિષે જિ. ૨. કો. (વિ. ૧)માં ઉલ્લેખ નથી. કમલશેખરગણિએ પ્રતિમા-સ્થાપના-વિચાર નામની કૃતિ રચી છે અને એની વિ. સં. ૧૬૦૮માં P 300 લખાયેલી હાથપોથી મળે છે. આધ્યાત્મિકમતખંડન કિવા આધ્યાત્મિકમ/પરીક્ષા (લ. વિ. સં. ૧૭૪૦)- આ ૧૮ પદ્યની ખંડનાત્મક કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આ કૃતિનું આ નામ એની સ્વપજ્ઞ ટીકાના પ્રારંભમાં જોવાય છે. ૧૮મા (અંતિમ) પદ્યમાં “આધ્યાત્મિકમતનિર્દલન' એવો શબ્દપ્રયોગ છે. એ ઉપરથી એનું આ બીજું નામ હશે એવી સંભાવના કરાય છે. આ કૃતિને ન્યા. ય. ઍની ગુજરાતી પ્રસ્તાવના ૯પત્ર ૧. આ “જૈ. આ. સ”માં પ્રસિદ્ધ થયેલી છે. ૨-૩. આ બંને અનુવાદ એક જ પુસ્તકરૂપે ભીમસી માણેક તરફથી મૂળ સહિત વિ. સં. ૧૯૫૯માં છપાવાયો છે. ૪. આ નામથી આ કૃતિ પરમજ્યોતિઃ પંચવિશતિકા અને પરમાત્માપંચવિંશતિકા સહિત “મુ. ક. જૈ. મો. મા”માં વિરસંવત્ ૨૪૪૬માં છપાયેલી છે. આ નામ શાના આધારે યોજાયું છે તે જાણવું બાકી રહે છે. ૫. આ “વિવતુ... વર% ૧૦”રૂપ અવતરણ અભિ. ચિ. (કાંડ ૩)ના અંતિમ ભાગમાં ગ્લો. ૫૯૬માં નજરે પડે છે. એથી નામમાલા તે હૈમ નામમાલા છે એમ અનુમનાય. ૬. આ કૃતિ અન્ય નવ કૃતિઓ સહિત “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy