SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૨. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ P ૨૬૩ P ૨૬૪ પ્ર. રમાં “સર્વતોભદ્ર' મંડલનું નિરૂપણ છે. પ્ર. ૩માં મંડપ, વેદિકા, કુંભ અને શંખના વર્ણનો છે. આચાર્યના અભિષેક વેળા એમને છત્ર, ચામર, હાથી, અશ્વ, શિબિકા વગેરે રાજાંગનું તેમ જ યોગપટ્ટક, ખડી, પુસ્તક, અક્ષસૂત્ર, પાદુકા ઇત્યાદિના દાનની વાત છે. પ્ર. ૪માં બ્રાહ્મણ વગેરે ચાર વર્ણોની ભૂમિ કેવી હોય તે દર્શાવાયું છે. વળી અહીં નિમિત્તશાસ્ત્રની હકીકત પણ અપાઇ છે. પ્રાપમાં બ્રહ્મા, રુદ્ર, મહેન્દ્ર, સ્કન્દ, પૂતના તેમ જ રાક્ષસોની પૂજાનો અધિકાર છે. પ્ર. ૬ વાસ્તુપૂજન સંબંધી છે. એમાં જિનાલયને અંગે ૬૪ પદિકા અને ઇતર મકાનોને અંગે ૮૧ પદિકાનો ઉલ્લેખ છે. પ્ર. ૧૦માં ‘નન્દાવર્ત' મંડલનું નિરૂપણ છે. અહીં પ્રસંગવશાત્ આગમોની ગાથાઓ અપાઈ છે. પ્ર. ૧૭માં પાંચ પ્રકારના નિર્માલ્યની હકીકત છે તેમ જ દેવ-દ્રવ્યનું નિરૂપણ છે. પ્ર. ૧૮માં ઋષભદેવાદિ ૨૪ તીર્થકરોનાં વર્ણ, લાંછન, જન્મ-રાશિ, જન્મ-નક્ષત્ર તેમ જ એમનાં યક્ષ અને યક્ષિણીઓનાં આયુધ વગેરેનો ઉલ્લેખ છે. વળી અહીં શ્રુતદેવતા, શાન્તિદેવતા અને સોળ વિદ્યાદેવીઓનો પણ આ પ્રમાણે પરિચય અપાયો છે. અવતરણો- આ નિર્વાણકલિકામાં લગભગ ૭૦ ગાથા છે અને એ આગમમાંથી ઉદ્ધત કરાઈ હોય એમ લાગે છે આ સંબંધમાં એના સંપાદકનું એ સૂચન છે કે એ આગમ તે “વિદ્યાપાહુડ'નો અંશ હશે અને “પ્રતિષ્ઠા પાહુડ”માંથી એ ઉદ્ધત કરાયો હશે. એવી રીતે મંત્રનો વિભાગ “વિદ્યાપાહુડ'માંથી લેવાયો હશે. સજુલન– પ્ર. ૧નો વિષય વિવિધ ગ્રંથોમાં જોવાય છે જેમકે કેટલાક આગમો, ભદ્રબાહુસ્વામીએ રચેલું મનાતું પૂજાપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિ અને વિડિમગ્ગાવા (વિધિમાર્ગપ્રપા), આચારદિનકર, આચારપ્રદીપ અને સઢવિહિ. તાંત્રિક વિચારો તેમ જ સાંખ્ય દર્શનને અનુકૂળ એવી કેટલીક બાબતો અહીં આલેખાઇ છે. આ ઉપરાંત રાગ, ચન્દ્ર, આદિત્ય વગેરેની બાબત પણ અહીં અપાઈ છે. એ કોઈ ત્રીજી જ પરંપરાનું સૂચન કરે છે. દીક્ષાવિધિનો અધિકાર આચારદિકરમાં જોવાય છે. પંચાસગમાંનું ‘બિંબ ઇટ્ટાવિહિ' નામનું આઠમું પંચાસગ નિર્વાણકલિકાને આધારે યોજાયું છે એમ એ નિર્વાણકલિકાના સંપાદકનું માનવું છે. ‘સર્વતોભદ્ર' મંડલ, “વસ્તુ મંડળ અને મંડપનાં વર્ણનો સમરાંગણ, રાજવલ્લભ, વિશ્વકર્મપ્રકાશ અને શિલ્પદીપકનું સ્મરણ કરાવે છે. ૧. પુત્ર માટે તેમ જ ગુમાવેલા રાજ્યની પ્રાપ્તિ માટે અભિષેકનો ઉપયોગ દર્શાવાયો છે. ૨. પ્ર. ૧માં પણ આનો ઉલ્લેખ છે. ૩. જુઓ પૃ. ૨૮ આ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy