SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ ઝ [f 8 વત્ન મહાવીર ! યાદી ! મહાવત્ર आधिं व्याधिं विपत्तिं च महाभीतिं विनाशय ॥ १॥" ૬૭માં પદ્યમાં કહ્યું છે કે ગુરુના બોધથી–ઉપદેશથી હરિભદ્રસૂરિના શિષ્ય જૈન ધર્મની અભિવૃદ્ધિ માટે “ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના કરી. ત્યાર પછીના પદ્યમાં એવો ઉલ્લેખ છે કે ત્યાર બાદ સમ્યકત્વના P ૨૪૬ ધારક જનને વિષે તેની પ્રવૃત્તિ થઈ અને સકલચન્દ્રગણિએ પ્રતિષ્ઠાકલ્પમાં તેનું કથન કર્યું. ૬ભા પદ્યમાં કહ્યું છે કે ત્યાર પછી વિમલચન્દ્ર આ કલ્પની પ્રખ્યાતિ કરી. આ ઉપરથી આ “ઘંટાકર્ણ મહાવીર-કલ્પ” વિમલચન્દ્રના સમય જેટલો તો પ્રાચીન હોવાનું ફલિત થાય છે. દ્વિતીય કૃતિના પ્રારંભમાં પાર્વતીના પતિને પ્રણામ કરી ઘંટાકર્ણકલ્પ કહેવાનું સૂચન કરાયું છે. અંતમાં સંસ્કૃતમાં ચાર પદ્યો છે. બાકીનો ભાગ મોટે ભાગે ગુજરાતીમાં છે. ત્રીજી કૃતિની શરૂઆત એક મંત્રથી કરાઈ છે. આગળ ઉપર એમાં બે પદ્યો સંસ્કૃતમાં છે. બાકીનું ઘણું ખરું લખાણ ગુજરાતીમાં છે. આચારદિનકર (ઉદય ૩૩, ભા. ૨, પત્ર ૨૦૮-અ ૨૦૮-આ)માં જે બાવન નામો છે તે બાવન વીરોનાં હોવાનું મનાય છે. એમાં તો ઘંટાકર્ણ મહાવીરનો ઉલ્લેખ નથી. આ દેવ સમ્યકત્વી છે કે મિથ્યાત્વી એ બાબત તેમજ એની ઉપાસના જૈનોથી થાય કે કેમ એ વિષે જૈનોમાં મતભેદ પ્રવર્તે છે. P ૨૪૭ હવન– ઉપાધ્યાય પંડિત' અશોકકુમાર યતિએ રચેલા “લક્ષ્મી અને સુખપ્રાપ્તિનાં સાધનો” નામના પુસ્તકમાં ઘંટાકર્ણના હવનની વિધિ આપી સંસ્કૃતમાં એને અંગે ૧૦૮ આહૂતિઓ અપાઈ છે. યાક્ષિણી-કલ્પ-આની એક હાથપોથીની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૬૬)માં છે. આ ઉપરાંત આ કલ્પ વિષે એમાં કશું લખાણ નથી. મણિકાકલ્પ–જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩00)માં આની એક હાથપોથી હોવાનો ઉલ્લેખ છે. વિશેષ કશી માહિતી અપાઈ નથી. સૂરિમ––આ અજ્ઞાતકક રચનાની એક હાથપોથી અહીંના (સુરતના) ભંડારમાં છે. પ્રદેશવિવરણ–આ ઉપર્યુક્ત કૃતિ ઉપરનું જિનપ્રભુસૂરિનું વિવરણ છે. ૧. આ નામો મેં “બાવન વીર અને આઠ ભૈરવ” નામના લેખમાં આપ્યાં છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૫, અંક ૧-૨)માં છપાયો છે. ૨. અગ્નિપુરાણ (અ. ૫૧)માં મહાદેવના એક ગણનું નામ “ઘંટાકર્ણ છે. અને ત્યાં એનું વિસ્તૃત સ્વરૂપ છે એમ જાણવા મળે છે. ૩. આ સંબંધમાં જુઓ “શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ”. આ કૃતિ બુદ્ધિસાગરસૂરિજીએ રચી છે. એની દ્વિતીય આવૃત્તિ “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ” તરફથી ઇ. સ. ૧૯૬૬માં છપાવાઇ છે. આ પુસ્તકમાં મહુડી (મધુપૂરી)ના મંદિરમાંના “ઘંટાકર્ણ મહાવીરની પ્રતિકૃતિ અપાઈ છે અને એની ઉપાસનાની તરફેણમાં લખાણ છે. ૪. આ પુસ્તક “શ્રી પદ્માવતી જૈન પુસ્તકાલય” તરફથી બાડમેર (રાજસ્થાન)થી ઇ. સ. ૧૯૬૭માં પ્રકાશિત કરાયું છે. પૂંઠા ઉપર ઘંટાકર્ણ મહાવીરની પ્રતિકૃતિ અપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy