SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ P ૨૪૨ મંત્ર' એ બે મંત્રોનો તેમજ મહાનિસાહમાંની વિદ્યાઓનો ઉલ્લેખ છે. અન્ય પ્રકરણોમાં “પંચપરમેષ્ઠિ-મંત્રકલ્પ” અને “ઋષિમંડલ-સ્તવ-યન્ત્ર અને કેટલાક અન્ય મંત્રો વિષે નિર્દેશ છે. ઉપયોગવર્ધમાન-વિદ્યાનો જાપ આચાર્યો સિવાયના સર્વ સાધુઓને માટેનો છે જ્યારે “સૂરિમંત્રનો જાપ આચાર્યોને માટેનો છે. વર્ધમાન-વિદ્યાનો ઉપયોગ દીક્ષા, પ્રતિષ્ઠા ઇત્યાદિ કાર્યોમાં કરાય છે. સમાનનામક બે કૃતિઓ-વર્ધમાન-વિદ્યા-કલ્પ નામની એક કૃતિ યશોદેવસૂરિએ તેમજ બીજી અન્ય કોઈકે રચી છે. ચન્દ્રસેને વર્ધમાનવિદ્યાકલ્પનો ઉદ્ધાર કર્યો છે. એ બૃહસ્ટ્રીંકારકલ્પામ્નાય નામના પુસ્તકમાં છપાયો છે. જુઓ પૃ. ૨૪૯, ટિ. ૧. અભુત-પદ્માવતી-કલ્પ (ઉ. વિક્રમની ૧૪મી સદી)–આના કર્તા ઉપાધ્યાય યશોભદ્રના શિષ્ય ચન્દ્રસૂરિ છે. એમણે આ કલ્પ છ પ્રકરણોમાં વિભક્ત કર્યો છે પરંતુ પહેલાં બે અનુપલબ્ધ છે. ગુરુ-ચન્દ્રસૂરિએ પ્ર. ૪, શ્લો. ૫૦માં ઈન્દ્રનો ઉલ્લેખ કર્યો છે અને પ્ર. ૫, શ્લો. ૧૫ પછી એમને ગુરુ તરીકે તેમજ “મંત્રવાદિ-વિદ્યા-ચક્રવર્તી-ચૂડામણિ' કહ્યા છે. આથી એમ અનુમનાય કે એમની પાસે ચન્દ્રસૂરિએ મંત્રશાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે અથવા તો એમના ગ્રંથમાંથી બોધ મેળવી પ્રસ્તુત કૃતિ રચવાની યોગ્યતા પ્રાપ્ત કરી હશે. વિષય-ત્રીજા પ્રકરણનો વિષય રક્ષણવિધિ અને ભૂતશુદ્ધિ છે. એ ઉપરથી એમ અનુમનાય છે કે પ્રથમ પ્રકરણમાં માંત્રિકનાં લક્ષણો અને બીજામાં દિવ્યાદિવ્યગ્રહલક્ષણ વિચારાયાં હશે. પદ્માવતી દેવીના ૨૪ સહચારી દેવો અને ૨૦ દંડેશો વિષેનો જે ઉલ્લેખ પ્ર. ૪માં યંત્રના વર્ણનના પ્રસંગે કરાયો છે તે વિલક્ષણ છે. ઈન્દ્રનદિની કોઈ કૃતિને આધારે આ યોજના કરાઈ હશે. આ યંત્રમાં પ્રચંગિરા, અંબિક, જ્વાલામાલિની અને ચક્રેશ્વરીનાં નામો છે. આ પ્રકરણમાં પદ્માવતીની પૂજાનું વિસ્તારથી વર્ણન છે. પ્ર. ૪ શ્લો. ૧૯માં અપાયેલો પદ્માવતી-મંત્ર' ભૈરવ-પદ્માવતીકલ્પમાં અપાયેલા પાંચ મંત્રોથી ભિન્ન છે. પ્ર. ૪ શ્લો. પ૩માં પદ્માવતીના ધ્યાનનું જ સ્વરૂપ આલેખાયું છે તે ભૈરવ-પદ્માવતી-કલ્પથી જુદું પડે છે કેમકે એમાં તો પદ્માવતીના એક હાથમાં દિવ્ય ફળને બદલે કમળ છે. પાંચમા પ્રકરણમાં યોગ્ય વ્યક્તિના શરીરમાં દેવતાના આહ્વાનની હકીકત છે. છઠ્ઠા પ્રકરણમાં દુષ્ટ સત્ત્વો તરફથી કરાતી પીડા વગેરેનું નિવારણ કરનાર “કલિકુંડ'-પાર્શ્વનાથ યંત્ર તેમજ અન્ય યંત્રો અને મંત્રો અપાયાં છે. સમય-આ કલ્પના પ્ર. ૫, શ્લો. ૬ ઉપરથી એવું અનુમાન દોરાયું છે કે પદ્માવત્યષ્ટક ઉપર વિ. સં. ૧૨૦૩માં વૃત્તિ રચનારા પાર્શ્વદેવગણિ પછી આ ચન્દ્રસૂરિ થયા છે. P ૨૪૩ ૧. આ શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પના પરિશિષ્ટ ૧ તરીકે છપાયેલો છે. ૨. આ ઇન્દ્રનદિ તે શકસંવત્ ૮૬૧માં જ્વાલિની-કલ્પ રચનારા હોય એમ લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy