SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૨ : ચરણકરણાનુયોગ : [પ્ર. આ. ૨૧૬-૨૧૯] અ. ૨માં પાક્ષિકનાં કર્તવ્યો તરીકે આઠ મૂલ ગુણોનું ધારણ, સાત વ્યસનોનો ત્યાગ, દેવપૂજા, ગુરુભક્તિ, પાત્રદાન ઇત્યાદિ વિષયો હાથ ધરાયા છે. અહીં આઠ મૂલ ગુણો નીચે મુજબ ત્રણ રીતે ગણાવાયા છે :– (૧) મદ્ય, માંસ અને મધ એ ત્રણ મકારનો તેમજ પાંચ ક્ષીરિફલ (ઉદુંબર ફળ)નો ત્યાગ. (૨) ત્રણ મકારનો અને સ્થૂલ હિંસાદિ પાંચ પાપનો ત્યાગ. (૩) મદ્ય, માંસ અને દ્યૂતનો તેમજ પાંચ પાપોનો ત્યાગ. પૂજા તરીકે નિત્યમહ, આષ્ટાહિક, ઇન્દ્રધ્વજ, મહામહ અને કલ્પદ્રુમની પૂજાનો ઉલ્લેખ છે. ૧૧૭ અ. ૩માં નૈષ્ઠિકનું લક્ષણ, શ્રાવકના જઘન્યાદિ ત્રણ પ્રકારો, ‘દર્શન’ પ્રતિમાનું સ્વરૂપ, આઠ મૂલ ગુણોના અતિચારો, ‘વ્યસન' શબ્દની નિરુક્તિ, ઉપવ્યસનોનો ત્યાગ અને ધર્મપત્નીને ધર્મારૂઢ કરવાનો ઉપદેશ એ બાબતો વિચારાઇ છે. અ.૪માં ‘વ્રત’ પ્રતિમાનું વર્ણન છે. વળી શ્રાવકનાં બાર વ્રતોનો બાર ઉત્તર ગુણ તરીકે ઉલ્લેખ છે. ત્યાર બાદ પાંચ અણુવ્રતો અને એના અતિચારોની સમજણ અપાઇ છે, અહિંસા-વ્રતના રક્ષણાર્થે અને મૂલ ગુણોની વિશુદ્ધિ માટે રાત્રિભોજનનો ત્યાગ આવશ્યક છે એમ અહીં કહ્યું છે. ચારિત્રસારમાં તો એ ત્યાગને છઠ્ઠું અણુવ્રત ગણેલ છે. અ. પમાં ત. સૂ.ની જેમ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનો અધિકાર છે. એના ૧૯મા પદ્યમાં કોટવાલની નોકરી વગેરે ક્રૂર કર્મો ન કરવાનો ઉપદેશ અપાયો છે. અ. ૬માં શ્રાવકની દિનચર્યાનું સ્વરૂપ આલેખાયું છે. અ. ૭માં સામાયિક વગેરે નવ પ્રતિમાઓનું વર્ણન છે. ક્ષુલ્લક અને ઐલક વિષે અહીં કેટલુંક કથન છે. અ. ૮ સલ્લેખના વિષે વિચાર કરાયો છે. જ્ઞાનદીપિકા—આ ધર્મામૃત ઉપરની લઘુ સ્વોપક્ષ પંજિકા છે. આની એક કન્નડ હાથપોથીનો ઉપયોગ સ્વ. પં. કલ્લપા ભરમપ્પા નિટવેએ સાગરધર્મામૃતની મરાઠી ટીકામાં કર્યો હતો અને ટિપ્પણી તરીકે એનો મોટો ભાગ છપાવી દીધો હતો. એના આધારે સાગરધર્મામૃત સટીક જે “મા. દિ. ગ્રં.''માં છપાવાયો છે તેમાં ટિપ્પણીઓ અપાઇ છે. ભવ્યકુમુદચન્દ્રિકા—આ પણ સ્વોપજ્ઞ વૃત્તિ છે પણ એ જ્ઞાનદીપિકા કરતાં મોટી છે. એની રચના વિ. સં. ૧૩૦માં પૂર્ણ કરાઇ છે અને એમાં કેટલીકવાર જ્ઞાનદીપિકાનો ઉલ્લેખ જોવાય છે. સાગારધર્મામૃતની વૃત્તિ વિ. સં. ૧૨૯૬માં રચાઇ છે જ્યારે અનગારધર્મામૃત એના કરતાં પહેલાં રચાયેલ હોવા છતાં એની વૃત્તિ ચાર વર્ષ બાદ રચાઇ છે. ૧. આ પ્રકાશિત છે. જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ-૨, ઉપખંડ-૧, પૃ. ૧૦૯). ૨. ગુણચન્દ્રે ધર્મામૃતસાર રચ્યો છે અને નયસેને કન્નડમાં ધર્મામૃતપુરાણ રચ્યું છે. Jain Education International For Personal & Private Use Only P ૨૧૮ P ૨૧૯ www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy