________________
૧૧૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૨
P ૨૧૬
છે. એ અનગાર અને સાગાર એમ બે ભાગમાં વિભક્ત છે. એમાં એકંદર સત્તર (૯+૮) અધ્યાય છે. પ્રથમ વિભાગમાં શ્રમણોને અંગે અને દ્વિતીય વિભાગમાં શ્રાવકોને અંગે વિચાર કરાયો છે.
પદ્યોની સંખ્યા–સાગર-ધર્મામૃતમાંના આઠ અધ્યાયોની પદ્યસંખ્યા નીચે મુજબ છે :૨૦, ૮૭, ૩૨, ૬૬, ૫૫, ૪૫, ૬૧ અને ૧૧૦. આમ આ વિભાગમાં ૪૭૬ પદ્યો છે.
અનગાર—ધર્મામૃતના નવ અધ્યાયોમાંનાં પદ્યોની સંખ્યા નીચે પ્રમાણે છે – ૧૧૪, ૧૧૪, ૨૪, ૧૮૩, ૬૯, ૧૧૨, ૧૦૪, ૧૩૪, અને ૧૦૦. આમ આ આદ્ય વિભાગમાં ૯૫૪ પદ્યો છે. અનગારધર્મામૃતના નવ અધ્યાયોમાં મુખ્યતયા મુનિધર્મરૂપ અમૃત પીરસાયું છે. અ. ૧માં ધર્મનો પ્રભાવ, સ્વચ્છંદતાની નિન્દા અને રત્નત્રય વિષે માહિતી અપાઈ છે. અ. રમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ, દ્રવ્યો અને તત્ત્વો, આઠ મદ વગેરેનું વિસ્તૃત નિરૂપણ છે. અ. ૩માં સમ્યગજ્ઞાનની આરાધના, જ્ઞાનના ભેદો અને ઉપભેદો વગેરે બાબતો રજૂ કરાઈ છે.
અ. ૪માં ચારિત્રની આરાધના, હિંસાનું અને કામનું વિસ્તૃત, વર્ણન, જીવોના ભેદ, હિંસાદિ પાંચ પાપો, પાંચ વ્રતો અને અતિચારો તથા એને અંગેની ભાવના, ગુપ્તિ, સામાયિક, સંયમ ઇત્યાદિ વિષયો ચર્ચાયા છે.
અ. પમાં પિંડેવિશુદ્ધિનું અને સાથે સાથે બત્રીસ અંતરાયનું નિરૂપણ છે.
અ. ૬માં દશવિધ ધર્મ, ભિક્ષાદિ આઠ શુદ્ધિ, કષાયોથી હાનિ, બાર ભાવના અને બાવીસ પરીષદોની સમજણ અપાઈ છે.
અ. ૭માં તપ, જ્ઞાનાદિકના વિનય અને સલ્લેખના વિષે પ્રકાશ પડાયો છે. અ. ૮માં છ આવશ્યકો, આસનોના પ્રકારો, વંદનાદિના દોષો વગેરે બાબતો વર્ણવાઈ છે.
અ. ૯માં ધ્યાન, સ્વાધ્યાય, નિત્ય તેમજ નૈમિત્તિક ક્રિયાઓ અને ભૂમિશયનાદિ મૂલ ગુણોને લગતી વિચારણા છે.
સાગારધર્મામૃતનો વિષય અધ્યાયદીઠ હું નીચે મુજબ દર્શાવું છું :
અ. ૧માં મિથ્યાત્વના ગૃહીતાદિ ત્રણ પ્રકારો, સમ્યક્ત્વની ઉત્પત્તિનાં આસન્નભવ્યત્વાદિ કારણો, સાગાર ધર્મ ગ્રહણ કરવાના અધિકારીના પંદર ગુણો, શ્રાવકનું લક્ષણ, દર્શનાદિ ૧૧ પ્રતિમાઓ તેમજ પક્ષ, ચર્યા અને સાધનનું સ્વરૂપ એમ વિવિધ બાબતો વિચારાઈ છે.
P ૨૧૭
૧. આ અનગારધર્મામૃત ૫. ખૂબચંદજીની હિન્દી ટીકા સહિત ખુશાલચંદ પાનાચંદ ગાંધીએ સોલાપુરથી ઇ. સ. ૧૯૨૭માં પ્રકાશિત કર્યો છે. આ ટીકામાં સાથે સાથે ભવ્યકુમુદચન્દ્રિકાનો પણ હિન્દી અનુવાદ અપાયો હોય
એમ લાગે છે. અંતિમ નિર્ણય કરવા માટે ભવ્યકુમુદચંદ્રિકા જોવી ઘટે. ૨. (૧) ન્યાયપૂર્વક ધનનું ઉપાર્જન. (૨) ગુણો, ગુરુઓ અને ગુણો વડે મુખ્ય જનોનું પૂજન, (૩) પ્રશસ્ત વચનો
બોલવાં, (૪) ધર્માદિ ત્રણ વર્ગોનું યથાયોગ્ય સેવન, (૫) ત્રિવર્ગને યોગ્ય પત્ની, (૬) ગામ અને મકાન, (૭) લજા, (૮) સમુચિત આહાર અને વિહાર, (૯) આર્યોની સંગતિ, (૧૦) પ્રાજ્ઞતા, (૧૧) કૃતજ્ઞતા, (૧૨) જિતેન્દ્રિયતા, (૧૩) ધર્મનું શ્રવણ, (૧૪) દયાળુતા અને (૧૫) પાપનો ભય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org