SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ | ૨૦૩ વિ.સં. ૧૪૪૭માં રચી છે અને એને સ્વપજ્ઞ મનાતી અને અવચૂર્ણિ જેવી વૃત્તિથી અલંકૃત કરી છે. પ્રથમ પદ્યનો પ્રારંભ “ગુણસ્થાનક્રમારોહથી થયો છે. એથી આ કૃતિનું નામ “ગુણસ્થાનક્રમારોહ પડાયું હોય એમ લાગે છે. આદ્ય પદ્યમાં “ગુણસ્થાનસ્વરૂપ” કંઈક કહેવાય છે. એવો ઉલ્લેખ છે. એ ઉપરથી “ગુણસ્થાનસ્વરૂપ” એવું નામ પણ યોજાય. અંતિમ પદ્યમાં “ગુણસ્થાનરત્નરાશિ’ એવો નિર્દેશ હોવાથી આ નામે પણ આ કૃતિ ઓળખાવાય અને કેટલાકે તેમ કર્યું પણ છે. આ ગુણસ્થાનકમારોહમાં રત્નશેખરસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચય અને યોગબિન્દુની જેમ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિની વિવક્ષા કરી વ્યક્ત મિથ્યાત્વને જ ગુણસ્થાન કહ્યું છે. આમ એઓ અવ્યવહાર-રાશિમાં રહેલા સૂક્ષ્મ નિગોદના જીવોને પ્રથમ ગુણસ્થાન માનનારથી જુદા પડે છે. P ૨૦૪ શ્લો. ૫૧ આઠમા ગુણસ્થાને શુકુલ ધ્યાનનો પ્રારંભ દર્શાવાયો છે, જ્યારે કેટલાક બીજા ગ્રંથોમાં સાતમે ગુણસ્થાને એનો પ્રારંભ કહ્યો છે ગ્લો. પર-પ૩માં ધ્યાનનું સ્વરૂપ વર્ણવાયું છે. ઉપોદ્ધાતમાં કહ્યું છે કે ઝાણજયણમાં ધ્યાતાનું સ્વરૂપ ભિન્ન રીતે દર્શાવાયું છે. શ્લો. ૧૨૮માં સિદ્ધની અવગાહનાનો આકાર દર્શાવતાં ગળી ગયેલા મીણવાળી મૂષા'નો ઉલ્લેખ કરાયો છે. ગુણસ્થાનકમારોહની સ્વપજ્ઞ મનાતી વૃત્તિનાં પત્ર ૨૩ અને ૨૪માં સૂરપ્રભસૂરિએ, હેમચન્દ્રસૂરિ, વસ્તુપાલ અને ભર્તુહરિએ જે મનોરમ મનોરથો સેવ્યા છે તેને લગતાં પદ્યો અપાયાં છે. આ વૃતિ (પત્ર ૨૬)માં નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરનારા યોગીઓના આ(પ્રા)રંભક, તનિષ્ઠ અને નિષ્પન્ન એમ ત્રણ પ્રકાર કહ્યા છે. આ વૃત્તિમાં પત્ર ૩૭ અને ૩૮માં ધ્યાનદંડકસ્તુતિમાંથી એકેક સંસ્કૃત પદ્ય અવતરણરૂપે અપાયું છે અને પત્ર ૪૦-૪૧માં ચર્પટિના ઉલ્લેખપૂર્વક એમની કોઇ કૃતિમાંથી ચાર પદ્યો ઉદ્યુત કરાયાં છે. સ્વપજ્ઞ વૃત્તિ- આ અવચૂર્ણિ જેવી છે. ૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૦૫)માં આની રચના વિ. સં. ૧૪૪૭માં થયાનો ઉલ્લેખ છે પરંતુ મુદ્રિત પ્રતમાં રચનાવર્ષ નથી તો તેનું કેમ ? બાકી જૈ. ગ્રં. (પૃ. ૧૩૨)માં ૧૪૪૭ની સાલ અપાઈ છે અને જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૪૧)માં પણ એ જ રચનાવર્ષ દર્શાવાયું છે. ૨-૩. અવચૂર્ણિ જેવી આ વૃત્તિ પ્રકાશિત થયેલી છે તે સ્વપજ્ઞ છે એમ એની મુદ્રિત આવૃત્તિમાં શા આધારે છપાયું છે તે જાણવું બાકી રહે છે, જો કે એ સ્વપજ્ઞ નથી જ એમ કહેવા માટે પણ કોઇ પ્રમાણ મને હજી સુધી તો મળ્યું નથી. ૪. જુઓ શ્લો. ૭. ૫. જુઓ છાસીઈની મલયગિરિસૂરિકૃત વૃત્તિ. ૬. જુઓ કમ્મસ્થયનું વિવરણ. ૭. આ “દે.લા.શૈ.'માં પ્રકાશિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy